________________
પ્રસ્તાવના
શાળ્યું હતું, જેમને શાસ્ત્રબોધ આ કાળમાં એકમતે અતિ ઉચ્ચ મનાતું હતું અને જેઓનું ચારિત્ર વિશુદ્ધ અને યિાજ્ઞાનયુક્ત મનાતું હતું તેના એક એક શબ્દ મહા અર્થધટના યુક્ત નીકળે એ સહજ સમજી શકાય તેવી હકીકત છે.
સંવત ૧૯૬૭ ના ગરમીના સમય પછી મુંબઈ આવી પદના અર્થ વિવેચનપર વધારે વિસ્તારથી વિવેચન લખી રાખવા ઈચ્છા થઈ આવા મહાન અર્થગૌરવવાળાં પદ ઉપર વિવેચન કરવા માટે ચાગ અને અધ્યાત્મ સંબધી બહુ વિશાળ અભ્યાસ કરવાની આવશ્યકતા લાગી તેથી એક બાજુએ વાંચન અને બીજી બાજુએ મનન કરવાનું શરૂ કર્યું. અર્થવિચારણું કરવા સાથે શ્રી હેમચંદ્રાચાર્યનું ચોગશાસ્ત્ર, શુભચંદ્રાચાર્યને જ્ઞાનાર્ણવ, પાતંજલનું ગદર્શન, વિવેકનદને રાજગ, ઉપાધ્યાયજીની દ્વાત્રિશતાત્રિશિકા, હરિભદ્રસૂરિનાં ચોગદષ્ટિસમુચ્ચય અને ગખિ-દુ વિગેરે રોગ અધ્યાત્મનાં પુસ્તકે જે પૂર્વે સામાન્ય રીતે જોયાં હતાં તેનું સવિશેષ અવલોકન કર્યું, તેપર વિચાર કર્યો, જેનગ અને અન્ય રોગની તુલના કરી, ઉપરોક્ત ચોગદષ્ટિસમુચ્ચયાદિ ગ્રન્થ તથા તેને અનુસારે લખાયેલી ચાગદષ્ટિની સઝાય વિગેરે જેયાં અને વચ્ચે વચ્ચે પદેનું અર્થચિતવન કરી કઈક લેખનની પ્રવૃત્તિ ચાલુ રાખી. અકેક પદપર બની શક્તા વિચાર કરી તેને માટે ગ્રન્થ વાંચવાગ્ય લાગે તે વાંચી જ્યારે મનમાં સંતોષ થાય ત્યારે જ વિવેચન લખવાનું કાર્ય કરવાની ધાર
ને બનતે અશે આખા પુસ્તકલેખન દરમ્યાન સ્વીકારી છે અને તેથી અસ્તવ્યસ્ત વિચારને બનતાં સુધી આ પુસ્તકવિવેચનમાં રસ્થાન આપ્યું નથી.
આવી રીતે જેટલું બની શકે તેટલું ઉપયોગી વિવેચન કરવાની ઈચ્છા રાખી હતી, જેને પાર પાડવા બનતી કેશીશ કરવામાં આવી છે. તૈયાર કરેલ છેવટનું વિવેચન તપાસી જોવા માટે મારા કાકા શ્રીયુત કુંવરજી આણંદજીને સોપવામાં આવતું હતું. તેઓ શાશૈલી તથા ભાષાના જાણકાર હોવાથી વિવેચનવિભાગમાં મેટે ફેરફાર સૂચવતા હતા. તેવી રીતે તૈયાર થયેલ કોપી પન્યાસજી શ્રીમદ્ આનંદસાગરજીને તેઓ જ્યાં સ્થિત હોય ત્યાં પિસ્ટ દ્વારા મોકલવામાં