________________
પ્રસ્તાવના
સામાન્ય રીતે ઈન્દ્રિયોને અનુકૂળ વિષયો જીવને આકર્ષે છે. આમ છતાં, યોગીઓનું માનસ એવા ઉપયોગવાળું છે કે, જેથી તે તે ઈન્દ્રિયોના વિષયોને પામીને પણ તેમનું ચિત્ત તે વિષયો તરફ જતું નથી; તે વાત પાંચે ઈન્દ્રિયોના દરેક વિષયોને આશ્રયીને વિસ્તારથી પ્રસ્તુત અધિકારમાં બતાવેલ છે, કે જેથી ખ્યાલ આવે કે કઈ ઈન્દ્રિયની સામે ક્યો ભાવ યોગીઓ પેદા કરે છે, કે જેના પરિણામમાં જ બદ્ધચિત્તવાળા હોવાથી તે વિષયો તેમને આકર્ષી શકતા નથી. આ અપરવૈરાગ્ય છે. ' ઈન્દ્રિયોના સર્વ વિષયોથી વિરક્ત થયા પછી ગુણોમાં પણ વિરક્તભાવ, અને છેલ્લે મોક્ષ પ્રત્યે પણ વિરક્ત ભાવ, યોગીઓને કઈ રીતે પ્રગટે છે; તથા તે વખતે તેઓની કેવી ઉત્તમ દશા હોય છે, તે વાત બીજા પ્રકારના પરવૈરાગ્યમાં બતાવેલ છે.
પ્રસ્તુત ગ્રંથની આટલી બાબતોનો પ્રસ્તુત પુસ્તકમાં સમાવેશ કરવામાં આવેલ છે. ... ૩૦૨, વિમલ વિહાર,
- શ્રી પ્રવિણભાઈ ખીમજી મોતા સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭.