Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah
Catalog link: https://jainqq.org/explore/034749/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વOલા છે, જે તરફ થી મારી 5A2A૦૦૬ શ્રી યશોવિજયજી ) જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર, 0 ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ Cછે કા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી વી. એ. શાહનું અંતિમ પુસ્તક 988888888888888888888888888888888888888888 વા. એ. શાહ” ગ્રંથમાળા મણકે ચેથો આર્ય ધર્મ – અથવા = વીસમી સદીના આર્ય અને આ ઘડનાર સરકાર ज्य्हां धर्म छे, लहां ज स्वराज्य छे. कोईनु पण पतन जेथी थाय ते पाप. कोइने पण निर्मळ करे - उन्नत करे ते पुण्य. __ दान, शील, तप अने भावनानुं यथार्थ सेवन ते मुक्ति. मुक्ति दरेक मनुष्य आ भवमां ज अने पोते ज मेळवी शके छे. લેખકઃ સ્વ. વા ડી લા લ મો તી લા લ શાહ મધુમક્ષિકા, સંસારમાં સુખ કહાં છે ? મૃત્યુના મહેમાં, અસહકાર, પિોલિટિકલ ગીતા, મસ્તવિલાસ, જૈન દીક્ષા, નગ્નસત્ય, મુંઝાઇ પડેલી દુનિયા, એક આદિના લેખક: સંયુક્ત જૈન વિદ્યાથીગૃહ (બૅડી ગહાઉસ) ના : સ્થાપક: વિવિધ જૈન કૉન્ફરન્સના પ્રમુખઃ “જૈનહિતેચ્છુ માસિક, ‘હિંદી જેનહિતેચ્છું પાક્ષિક અને “જૈન સમાચાર' સાપ્તાહિક પત્રના તંત્રી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ N ફે વિનામૂલ્ય વહચવા માટે 3 આ પુસ્તકની વધુ પ્રતો 3 ખરીદનારને નીચે જણાવેલા :: દરથી મળી શકો : ૧૦૦ પ્રતના રૂા. ૨૦ ૫૦૦ પ્રતના રૂા. ૯૦ ૧૦૦૦ પ્રતના રૂ. ૧૫૦ આ પુસ્તકની બે હજાર છું પ્રત રંગુન નિવાસી શ્રી. શાન્તિલાલ રવજીભાઈ તરફથી તેમના સ્વ.પિતા શ્રી રવજીભાઈ કરશીભાઈ ના સ્મરણાર્થે ભેટ આપવા { માટે પ્રગટ કરવામાં આવી છે. પ્રસિદ્ધકર્તા શકરાભાઈ મેતીલાલ શાહ ઘાટકેપર – મુંબઈ ફે વા, એ. શાહ કૃત કોઇપણુ છું હું પુસ્તક યા લેખ વિનામૂલ્ય { પ્રચારના આશયથી છપાવવા ઇચ્છનારને કેઈપણ જાતને 3 બદલે લીધા સિવાય તેવી | ગોઠવણ કરી આપવામાં આવે છે. આવૃત્તિ ત્રીજી, જુલાઇ, ૧૯૩૫ ~~- મૂલ્ય : સદુપયોગ ~~-~-~~- ~ ~ વાએ. શાહ કૃત ગુજરાતી, હિંદી, અંગ્રેજી પ્રકટ અને અપ્રકટ લેખે અને પુસ્તકેને સર્વ હક “વા, એ. શા. 3 ૫ ક્લિ શી ગ” હા જ સ ને હું 3 :: સ્વાધીન છે. :: $ વા. . શાહમૃત પુસ્તકે ? મળવાનું ઠેકાણું: વા. મે, શા. પબ્લીસ્સગ હાઉસ સારંગપુર – બુખારાપાળ અ ૧ લા વા . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસિધ્ધકર્તાનું નિવેદન આ પુસ્તકના લેખક સદૂગત શ્રી વી. એ. શાહનું પ્રથમ પુસ્તક “મધુમક્ષિકા' જે લખાયું હતું સન ૧૮૯૮ માં, અને છેલ્લું પુસ્તક આ “ આર્યધર્મ” તે લખાયું છે સન ૧૯૩૧ માં. મધુમક્ષિકા ” લખાયું હતું વર્તમાન યુવક-યુવતીઓને માર્ગદર્શક ભોમીઆની ગરજ પૂરી પાડવાના સાધન તરીકે, જ્યારે “આર્યધર્મ લખાયું છે હિંદને ગુલામગીરીમાંથી મુક્ત કરવા–ભવિષ્યના સાચા આર્ય-આર્યાઓ ઉપજાવવા માટે. એટલે વર્તમાન યુવક-યુવતીઓને છોડીને ભવિષ્યના આર્ય–આર્યાએ ઉપજાવવાના માર્ગદર્શક વિચારે જનસમાજ સમક્ષ મૂકવા જેટલે નિશ્ચય કરવા માટે લેખકને ૩૪ વર્ષ જેટલું લાંબો સમય ગાળ પડ્યો હતો. અને એ લાંબા અરસા દરમ્યાન લેખકને જીવનના અનેક તબક્કાઓ પસાર કરવા પડ્યા હતા, કેટલા ય ખાડા-ટેકરાઓ ઓળંગવા પડયા હતા, તડકી-છાંયડીને અવનવે અનુભવ પણ લેવો પડ્યો હતો, એક ધર્મપંથના અભ્યાસક તેમજ સમાજ સુધારક તરીકે જીવન શરૂ કરનાર એ લેખકને જીંદગીને મહટ ભાગ વાચન, મનન, લેખન, વસ્તૃત્વ પાછળ જ આપવો પડે હતો. જે વખત દરમ્યાન તેઓએ ગૂજરાતી, હિંદી, અંગ્રેજી અને મરાઠીઃ એમ જુદી જુદી ભાષાઓમાં લગભગ પિણે જેટલાં પુસ્તક લખ્યાં હતાં અને આશરે સે જેટલાં પુસ્તકનું સંપાદન કાર્ય બજાવવું પડયું હતું; સાત વર્ષ સુધી હિંદીગૂજરાતી સાપ્તાહિક, ચાર વર્ષ સુધી હિંદી પાક્ષિક અને ત્રેવીસ વર્ષ સુધી માસિકપત્રઃ ઈત્યાદિનું સંપાદન તેઓએ કર્યું હતું; કેટલાય સમાજસુધારા પિતાના જ ઘરથી શરૂ કરી જનતા પાસે હેન અમલ કરાવવામાં ફતેહમંદ થયા હતા, વિવિધ જૈન કૅન્ફરન્સના પ્રમુખ તરીકે તેમજ જૂદી જૂદી કોની કોન્ફરન્સના પ્રમુખના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ ભાષણો પિતે તૈયાર કરી આપીને તે દ્વારા પિતાના વિચારે તેમજ મંતવ્યો સમાજ સમક્ષ રજૂ કરી પ્રગતિ સાધવાના અનેક પ્રયાસે તેઓ કરી ચૂક્યા હતા; અનેક નવી સંસ્થાઓને જન્મ આખ્યો હતો અને કેટલીય સંસ્થાઓને ઉભાવીને હેના નિભાવ માટે હજારોની રકમ આપવામાં પાછી પાની કરી હતી; ભાગીદારી તેમજ સ્વતંત્ર વેપારના ખેડાણદ્વારા વ્યાપારપદ્ધતિ તેમજ વ્યાપારનીતિનું હાર્દ સમજવા તેઓએ પૂરત શ્રમ લીધા હતા; હિંદના ઘણુંખરા ભાગોમાં તેમજ યુરોપમાં ભ્રમણ કરીને લેકિનાં માનને અભ્યાસ કર્યો હતો, જેલ અને રાજમહેલ, ગરીબ તેમજ શ્રીમંત, મહારાજાઓ તેમજ મહારાજે (ધર્મગુરૂઓ), ગુન્હેગાર તેમજ ન્યાયાધીશો, ન્યાય, નીતિ અને ધર્મને નામે ચાલતાં ફારસે ટૂંકમાં સામાજિક, ધાર્મિક અને રાજકીય બાબતોને લગતાં અનેક પ્રસંગોમાં પિતે આવીને–એવા પ્રસંગમાં પોતે મૂકાઈને એ સઘળાના પડદાઓ ચીરીચીરીને હેમનું નામ સ્વરૂપમાં નિહાળ્યું હતું. પરિણામે જાહેરજીવન તેમજ વિચારક તરીકેના જીવને હેમના નિરંતર અજબગજબના ભાગ લીધા કર્યા હતા. આ સઘળામાંથી મળેલા અનુભવ તેમજ જેનિઝમ, થિએસૈકી, ન્યુટ, નિશૈઅન અને વેદાંતની ફિલસૂફીઃ ઇત્યાદિનો પૂરે પરિચય સાધવાનું પરિણામઃ ટૂંકમાં એ સઘળાનું દહન તે આ “આર્યધર્મનું પુસ્તક. આજથી બાર વર્ષ પહેલાં “વીસમી સદીના હિંદ માટે રાષ્ટ્રિય ગીતા” તરીકે ઓળખાવેલા એમના “મહ–ર રહેતા દવા” નામના. પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી વા. મો. શાહનું હૃદય બોલી ગયું છે કે – “મહે જે જે સાહિત્ય વાંચ્યું છે, જે જે વિચારો વિચાય છે, જે જે અનુભવ કર્યો છે : તે સર્વ મહને એક જ કામ પાછળ વાગવા પ્રેરે છે, જીદગીમાં એક જ કર્તવ્ય હોય એમ નિરંતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ હારા કાનમાં કહે છે, અને તે કર્તવ્ય બીજું કોઈ નહિ પણ હિંદને એક નૂતન આદર્શ આપવાનું છે. આ રસ્તે મહે કેટલાક પંથ કાપે છે, છૂટાંછવાયાં લખાણો કર્યો છે અને ભવિષ્યમાં એક “શાસ્ત્ર” રૂપે આદર્શ રજુ કરવાનો સંકલ્પ છે. હાલમાં તો એ શાસ્ત્રની પ્રસ્તાવનાની ગરજ સારે એ મતલબથી આ બહાનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે.” બાર વર્ષ ઉપર અપાયેલા એ છગરના કોલને તેઓએ ગઈ દીપોત્સવીને શુભ ટાંકણે-ત્રણ માસની માંદગીના બીછાનેથીઆ પુસ્તક લખીને પાળે છે. પરંતુ આ પુસ્તકના છેલ્લાં બે પ્રકરણ “માવના' અને “મુક્તિ”ની તો માત્ર રૂપરેખા જ તેઓ લખી શકેલા, એ સૂત્રોનું નિરૂપણ તો અધૂરું જ રહેલું. કારણ કે થોડા જ દિવસોમાં અધૂરાં રાખેલાં એ ભાવના અને મુજના સૂત્રને સાથે રાખીને તેઓશ્રી દિવ્ય–દેવની દીપોત્સવી (તા. ૨૧–૧૧–૩૧)ની રાત્રીના બાર વાગ્યાના છેલ્લા–બારમા ટકોરે મુક્તિને વર્યા. જનતાને “ઘેટાં' અને હેમના ગુરૂઓને તેમજ નેતાઓને “ભરવાડ” કહેનાર અને કીડામાંથી દેવ બનવાની અને ખી સમજણ આપવાને અખંડ પ્રયાસ કરનારની “મુક્તિ” દિવ્ય–દેવની દીપોત્સવીએ જ થાય એ તદન સ્વાભાવિક છે. આ પુસ્તકના છેલ્લાં બે પ્રકરણ --ભાવના” અને “મુકિતની ટૂંકી રૂપરેખાઓ–જેવા રૂપમાં લખાયેલાં છે તે જ પ્રમાણે પ્રકટ કરવાનું ઉચિત ધાર્યું છે. કારણ કે સદ્દગતના જૂના લખા માંથી એને લગતાં સૂત્રોની ચૂંટણી કરીને ત્યાં મૂકવા જતાં હેમના લખાણનો આત્મા બેડોળ થવા સંભવ રહે છે. આ પુસ્તક વાંચનારે શબ્દોના ખોખાને વળગી ન રહેતાં, એ શબ્દની પાછળ રહેલા ભાવોને––ગર્ભને પકડી પાડતાં શિખવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ જોઈએ; કારણ કે ઘણી વાર વા. મે. શાહ કહેતા હોય એક વસ્તુ અને શબ્દોના ખાંને વળગી રહેવાની ટેવવાળા વાચકે સમજી બેસે બીજી જ વસ્તુ. એમ ન થાય એટલા ખાતર તેઓએ સમજવું જોઈએ કે લેખકે લખવા ખાતર કદી પણ લખ્યું નથી. તેઓ તો હરહમેશ કહેતા આવ્યા છે કે – જે શકિતથી સંતાન અથવા મનુષ્યસૃષ્ટિ ઉત્પન્ન થઈ શકે છે, તે જ શક્તિથી ભાવનાસૃષ્ટિ ઉત્પન્ન થઈ શકે છે,––માત્ર દિશાઓ જૂદી છે. એટલે “સૃષ્ટિ રચ” એવો અવાજ અંતરના ભોંયરામાંથી જહાં સુધી નીકળે નહિ, સૃજવાની “તાલાવેલી ” અને “ઝણઝણ” તેમજ “મસ્તી’: જહાં સુધી પ્રગટ થાય નહિ હાં સુધી ભગવતી લેખિની કે ભગવતી ભામિનીને સ્પર્શ કરવાનું જેઓ મેકુફ ન રાખી શકે તેઓ તે દેવીઓના દ્રોહી અને વાસનાઓના દાસ છે.” સાથે સાથે એ પણ કહી લેવું આવશ્યક છે કે આવા ધ્યેયવાળા લેખકના લખાણને સમજવા માટે તેમજ તેને હજમ કરવા માટે વાચક પાસે પોતીકા જ દાંત અને પિતીકાં જ જડબાં “જોઇશે', ભાડૂતી દાંત કે ચોગઠાં નહિ ચાલે. આ પુસ્તકની હજારે પ્રતે વિનામૂલ્ય વહેંચાવાની જરૂર છે, આ પુણ્યકાર્ય માટે જેઓ તૈયાર હશે તેઓને આ પુસ્તકની સામટી પ્રત લગભગ પડતર કિંમતે મળી શકશે. છેવટમાં એ પણ જણાવવું જરૂરનું છે કે પુસ્તકનાં કુફ તપાસવામાં પૂરતી કાળજી રાખવા છતાં પ્રેસના માણસોની બેકાળજીથી ભૂલે રહી જવા પામે છે, જે વાચક સુધારીને વાંચશે એવી આશા છે. ઘાટકોપર શકરાભાઈ મેતીલાલ શાહ જુલાઈ, ૧૯૩૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ દ: :::: :: :::::::: ** ** ** * * ** ** * * * ** ::.55 * સ્નેહાંજલિ છે પરમ ઉપકારી પૂજ્ય પિતાશ્રી સ્વ. રવજીભાઈના ચરણકમળમાં 出生的的的的出出出出出出出出出出出出出出出出出出出体步中华体的进出出出出出出出出本群图 આપનામાં સરળતા, ક્ષમા, સહનશીલતા, નિરાભિમાનપણું, જ્ઞાન મેળવવાની જીજ્ઞાસા, દીવ્ય જીવન ગાળવાની ભાવના, સાદાઈ, ઉદારતા વગેરે કે જે કેઈથી છીનવી ન શકાય તેવા ઉચ્ચ ગુણેને શુભ ભંડાર હતો, તેને દીવ્ય વારસો આપે આપના અમો સૌ બાળકને આપીને અત્યંત અણ બનાવ્યા છે. આ ઋણમાંથી યત્કિંચિત મુક્ત થવા માટે આપના ઉચ્ચ આદર્શોને પોષતું આ ઉત્તમ પુસ્તક આપશ્રીના અમરાત્માના હિતાર્થે [આપશ્રી જ્યાં છે ત્યાં] આપને અર્પણ કરી કૃતાર્થ થાઉં છું. ૐ શાંતિ. 中世出身中中中中中也事由击击步步步古中步步产车中立事事生访事由书多多多多多多多 - ૭૦ વૉક રેડ, છે રંગુન (બરમા) - ૧ તા. ૧૫-૭-૧૯૩૫ ] આપને ચરણ સેવક બાળક શાંતિલાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી. રવજીભાઇ કારશીભાઇ વિજપાળ શાહના ટૂંક પરિચય. સ્વ. શ્રી રવજીભાઇના પિતા શાહુ કારશીભાઈ વિજપાળ કચ્છમાટા આસખીયાના રહીશ છે. અને તે લગભગ ૪૦ વર્ષથી વ્યાપાર રાજગાર અર્થે રંગુનના વતની થયા છે. શ્રી ધારશીભાઇ પ્રમાણિકતા અને પાપકારવૃત્તિને લઇને સ્વબળથી વ્યાપાર–રાજગારમાં ઘણા આગળ વધેલા છે. તે શ્રીમંત હાઈ શ્રીમંતાઇને શાલતાં ઘણાંખરાં સાધને અને સગવડા ધરાવતા હેાવા છતાં તદ્દન સાદાઈમાં રહેનારા, પાપકારી, મિલનસાર, નિરાભિમાની, જ્ઞાન મેળવવાને અત્યંત ઉત્સુક અને આદર્શ જીવન ગાળવાની ધગશવાળા છે. કારશીભાઈની સંતિતમાં એક પુત્રી બાઈ પાનખાઈ છે કે જેમણે ગયે વર્ષે શ્રો જૈનધમની દીક્ષા અંગીકાર કરી છે, અને એક પુત્ર વજીભાઇ હતા, કે જેઓનું સાડત્રીસ વર્ષની ભર યુવાનીમાં સંવત્ ૧૯૮૯ ના માહા શુદ ૧૨ ના રાજ અકાળે અવસાન થયું છે. આવા દુ:ખદ બનાવથી કાને દુઃખ ન થાય ! પરંતુ તેમના વૃધ્ધ પિતાના બાલ્યાવસ્થામાંથીજ ધમ ઉપર પ્રેમ અને ઉત્તમ પુસ્તક વાંચવાને અત્યંત શાખ હાવાને લીધે તે શાન્તિક આ આવી પડેલા અસહ્ય દુઃખને સહી રહ્યા છે, મરહુમ રવજીભાઈ તેમની પાછળ તેમની વિધવા, એક પુત્ર, પાંચ પુત્રીએ અને વયાતૃધ્ધ પિતાનું અહેાળું કુટુંબ મૂકતા ગયા છે. પુત્રનું નામ શાન્તિલાલ છે અને પુત્રીઓનાં નામ સુંદરબાઈ, કેસરબાઈ, નિર્મળાબાઈ, રૂક્મિણિભાઈ અને ઝવેરખાઈ છે. મરહુમ રવજીભાઈમાં પૂના શુભ કર્માંના યાગે ઉત્તમગુણાની પ્રશ'સાપાત્ર સુવાસ હતી તેમજ તેમના કુટુંબમાં પણ એ જ ગુણાની વૃત્તિ પ્રસરી રહેલી છે. જેને પરિણામે સિક્ષેત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાલીતાણામાં નવી જૈન ધર્મશાળા, કચ્છ–મોટા આસંબીયામાં જૈન પાઠશાળા અને અંગ્રેજી સ્કૂલ, શ્રી પાવાપુરીજી જૈન ધર્મશાળા, ક–મેટા આસંબીયામાં સેનાપુર અને ભવ્ય હેલ, શ્રી ચંપાપુરીજી જૈન ધર્મશાળા, શ્રી રાયગિરિજી જૈન ધર્મશાળા, શ્રી અયોધ્યાજી જૈન ધર્મશાળા અને જીર્ણોધ્ધાર, મીનાબાદ વિદ્યાશાળા, રંગુન આર્ય સમાજ ધર્મશાળા, રંગુન ગુજરાતી સ્કૂલ, પાલીતાણા જીર્ણોધ્ધાર, જવાલાપુર (હીમાલય)માં કન્યાશાળાના મકાનમાં, અમરેલી વ્યાયામ મંદિર (શાળા), ભીલકામના બાળકોને શિક્ષણ માટે, અજગંજ જૈન પાઠશાળા, શ્રી ઘાટકોપર સાર્વજનિક જીવદયા ખાતુ વગેરે વગેરે અનેક સાર્વજનિક કાર્યોમાં હજારો રૂપિયાની સખાવતો થવા પામી છે. શ્રી કરશીભાઇમાં નાનપણથી જ જ્ઞાન આપનાર પુસ્તકોને વિનામૂલ્ય પ્રચાર કરવાનો શોખ છે જેથી આજથી પાંત્રીસ વર્ષ ઉપર તેમણે આ જ પુસ્તકના લેખકનાં બહાર પડેલાં “મધુમક્ષિકા” અને “સતી દમયંતી નામના બે પુસ્તકની ૨૦૦–૨૦૦ પ્રત વિનામૂલ્ય આપવા માટે ખરીદી હતી અને તે પછીથી અન્ય લેખકના પુસ્તકોની હજારે પ્રતે વિનામૂલ્ય વહેંચી છે અને તેવી જ રીતે મરહુમ રવજીભાઈના સુપુત્ર ભાઈ શાન્તિલાલ તરફથી “આર્યધર્મ પુસ્તકની બે હજાર અને મૃત્યુના મહેમાં અથવા અમૃતલાલનું અઠવાડિયું નામના પુસ્તકની એક હજાર મત વિનામૂલ્ય વહેંચવા માટે તૈયાર કરવામાં આવી છે, જે કેરશીભાઈ અને તેમના કુટુંબીઓમાં જ્ઞાન પ્રચારનો શોખ કે તીવ્ર છે તે દેખાડી આપે છે. મરહુમના આત્માને અખંડ શાંતિ મળે અને તેમના કુટુમ્બીઓ તરફથી વધુને વધુ પરેપકારી કાર્યો થવા પામે એ જ શુભેચ્છા. ઘાટકોપર છે શકરાભાઈ મોતીલાલ શાહ. તા. ૨૧-૭-૩૫. ઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Eas વિજયને મંત્રી રહીશ હદય કહે તે કરવું, હો સજન હૃદય કહે તે કરવું; વિચારીને જ વિચરવું, હો સજજન! ભય ત્યાગીને ફરવું–ટેક. આ કે પેલા સુયા સિધ્ધાતો . માટે ન બાઝી મરવું; અંતઃકરણ, બુદ્ધિ, અનુભવને સમય મુજબ અનુસરવું–હો સજજન! વિજયેચ્છા ત્યાં શું ભય-શંકા ? લોકટીકાથી ન ડરવું; વિઘ હજારે આવી નડે પણ પાછું ન ડગલું ભરવું–હે સજન! હાથ ધરેલાં કાર્યો પૂરાં કરતાં કરતાં મરવું; જાય કદાપિ કાંઇ રહી તો, મરતાં મરતાં કરવું–હે સજજન! અત્ર વિજય છે, તત્ર વિજય છે, વિજયમાં જ અવતરવું; હાર્યા ઢોર સમ જીવવા કરતાં ભલું વિજયમાં મરવું–હો સજન! વિજય ધર્મ છે, વિજય દેવ' છે, | વિજય જ જીવન–હેતુ'; વિજયાદશમી દશે દિશામાં બાંધે વિજય સેતુ!–હે સજન! વિજયાદશમી, સંવત ૧૯૭૪. વા. મા. શાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ સદ્ગત શ્રી વા. મ. શાહ કૃત પુસ્તકો ગુજરાતી ભાષામાં પ્રકટ થયેલાં (૧) મધુમક્ષિકા–બે આવૃત્તિ સન ૧૮૯૮ અને ૧૯૦૦: પ્રત ૨૦૦૦ઃ મૂલ્ય ૦–૮–૦. (૨) સતી દમયંતી–બે આવૃત્તિ સન ૧૯૦૨ અને ૧૯૦૪ પ્રત ૨૦૦૦: મૂલ્ય ૦–૮–૦. (8) કરછના સ્થા. જૈનેની ડિરેકટરી–સન ૧૯૦૪: મૂલ્ય-વિના મૂલ્ય પ્રમાર. () રષિદના આખ્યાચિકા–બે આવૃત્તિ સન ૧૯૦૪ અને ૧૯૧૪: પ્રત ૨૦૦૦: મૂલ્ય ૦–૩–૦. (૫) સીશ્યકત્વ અથવા ધર્મને દરવાજો–બે આવૃત્તિ સન ૧૯૦૩ અને ૧૯૦૫: પ્રત પ૫૦૦: મૂલ્ય ૦–૮–૦. (૬) હિતશિક્ષા–પાંચ આવૃત્તિ સન ૧૯૦૪ થી ૧૯૦૫: કુલ ૧૨૫૦૦ પ્રતઃ મૂલ્ય ૦–૮–૦. (૭) બારવ્રત–બે આવૃત્તિ સન ૧૯૦૫: પ્રત ૭૭૦૦: મૂલ્ય -૨૦. (૮) ધર્મતત્ત્વ સંગ્રહ–બે આવૃત્તિ: સન ૧૯૦૬: કુલ મત ૩૦૦૦ મૂલ્ય ૧-૦–૦. (૯) નમી રાજ–પ્રથમ આવૃત્તિ સન ૧૯૦૬: પ્રત ૨૦૦૦: બીજી આવૃત્તિ : પ્રત : મૂલ્ય ૦–૧૦–૦. (૧૦) જીવદયાના હિમાયતીઓને અપીલ-બે આવૃત્તિ સન ૧૯૦૭: પ્રત ૧૦૦૦૦ : મૂલ્ય-વિના મૂલ્ય પ્રચાર. (૧૧) એ. સા. પ્રથમ જન કે. ને હેવાલ–સન ૧૯૦૬: (૧૨) શ્રી મહાવીર–સન ૧૯૦૮ : પ્રત ૨૦૦૦ : વિના મૂલ્ય પ્રચાર. (૧૩) એ. સા. બીજી જન કેં. ને હેવાલ–સન ૧૯૦૮: (૧૪) સુદર્શન ભાગ ૧ લ–બે આવૃત્તિ: સન ૧૯૦૮ અને ૧૯૧૧ 'પત ૩૫૦૦ : મૂલ્ય ૦–૬–૦. (૧૫) સંસારમાં સુખ હાં છે ?-પાંચ આવૃત્તિ: સન ૧૯૦૯ થી ૧૯૧૧ : પ્રત ૧૪૪૦૦ : મૂલ્ય ૦–૬–૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ (૧૬) ઐતિહાસિક નેધ–બે આવૃત્તિ: સન ૧૯૦૯ : પ્રત ૪૦૦૦ : મૂલ્ય ૦–૬–૦. (૧૭) છે. સા. ચેાથો જૈન કેં. ને હેવાલ–સન ૧૧૦ : (૧૮) છે. સા. પ્રથમ મુનિ પરિષદને હેવાલ–-સન ૧૯૧૦: (૧૯) જૈન સમાજનું દિગ્દર્શન અને હવે શું કરવું જોઇએ? સન ૧૯૧૦ : પ્રત ૧૦૦૦૦ઃ મૂલ્ય—વિના મૂલ્ય પ્રચાર. (૨૦) મહાત્મા કબીરનાં આઠયાત્મિક પદ, ખંડ ૧-૨– આવૃત્તિ: સન ૧૯૧૧: પ્રત ૩૨૫૦ઃ મૂલ્ય ૦–૮–૦. ત્રીજી આવૃત્તિ ખંડ ૧-૨-૩ સાથે સન ૧૯૩૨ : મૂલ્ય પાકું પૂંઠું ૧-૪-૦ (૨૧) સદગુણપ્રાપ્તિના ઉપાય-સન ૧૯૦૮: પ્રત ૨૦૦૦: મૂલ્ય ૦-૩-૦ (૨૨) ભક્તામર સ્તોત્ર-સન ૧૯૦૯ : પ્રત ૧૫૦૦ : મૂલ્ય ૦-૩-૦. (૨૩) કલયાણુમંદિર તાર–સન ૧૯૧૦:પ્રત ૧૫૦૦: મૂલ્ય ૦-૩-૦. (૨૪) ધર્મસિંહ બાવની–સન ૧૯૧૧ઃ પ્રત ૧૫૦૦: મૂલ્ય ૧-૪-૦. (૨૫) જેનસમાચાર ગદ્યાવરિ, ખંડ ૧-૨–સન ૧૯૧૨: પ્રત ૧૫૦૦: મૂલ્ય ૦–૮–૦. ખંડ ૩-૪ ખંડ ૫-૬ ખંડ ૭-૮ (૨૯) છે ખંડ ૯–૧૦સન ૧૯૧૩: પ્રત ૧૫૦૦: મૂલ્ય ૦–૮–૦, (૩૦) શ્રાવિકા ધમ–ત્રણ આવૃત્તિ સન થી ૧૯૧૯ : પ્રહ મૂલ્ય ૦–૧–૦. (૧) આયનારી ધર્મએ આવૃત્તિ સન ૧૯૨૯: પ્રત ૧૦૦૦૦ ? મૂલ્ય ૦–૧–૦. (૩૨) ઉત્તરાયયન સુત્ર–સન ૧૯૧૨ : (૩૩) દશવિકાલિક સુત્ર-સન ૧૯૧૨ : (૩૪) દીક્ષા કેને આપી શકાય?—સન ૧૯૧૩: પ્રત ૨૦૦૦: મલ વિના મૂલય પ્રચાર. (૫) તીર્થોના ઝઘડા મટાડવા માટે અપીર–સન ૧૭ : પ્રત ૫૦૦૦ : મૂલ્ય-વિના મૂલ્ય પ્રચાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com : (૨૬) (૨૭) (૨૮) છે » Page #14 -------------------------------------------------------------------------- ________________ (૩૬) પર્યુષણ પર્વ અથવા પવિત્ર જીવનને પરિચય–સન ૧૯૧૯ પ્રત ૨૦૦૦ : મૂલ્ય-વિના મૂલ્ય પ્રચાર. (૩૭) મહાવીર મીશન–સન ૧૯૧૩: પ્રત. ૩૦૦૦ઃ મૂલ્ય-વિના મૂલ્ય (૮)મહાવીર કહેતા હવા અથવા વીસમી સદીના હિંદ માટે નૂતન રાષ્ટ્રિય ગીતા–સન ૧૯૨૧ : પ્રત ૭૦૦૦ : મૂલ્ય ૦–૮–૦. સચિત્ર બીજી આવૃત્તિ : સન ૧૯૩૨ : પ્રત ૩૦૦૦ : મૂલ્ય ૦-૫-૦ (૯) અસહકાર-પાંચ આવૃત્તિ સન ૧૯૨૧ઃ પ્રત ૨૨૦૦૦ : મૂલ્ય વિના મૂલ્ય પ્રચાર. (૪૦) સાત સૂત્રને સાર(૪૧) મૃત્યુના હેમાં અથવા અમૃતલાલનું અઠવાડિયું સન ૧૯૨૧ ; પ્રત ૪૦૦૦ : મૂલ્ય ૧-૦–૦. સચિત્ર બીજી આવૃત્તિ: સન ૧૯૩૫ : મૂલ્ય પાકું પૂંઠું ૨-૦૦ (૪૨) મસ્ત વિશ્વાસ સન ૧૯૨૫ઃ પ્રત ૨૦૦૦ : આ પુસ્તક જેઓને મફત લેવું ન પરવડે તેવાઓ માટે પુસ્તકનું મૂલ્ય રૂા. ૩-૦-૦ રખાયું હતું. (૪૩) તમામ હિંદી માને ચેતવણી સન ૧૯૨૭: પ્રત ૨૦૦૦ : (૪૪) ઉદેપુરને હત્યાકાંડ-સન ૧૯૨૭ : (૪૫) જેનદીક્ષા–સન ૧૯૨૯: પ્રત ૨૦૦૦ : મૂલ્ય ૨-૦-૦. (૪૬) એક–સન ૧૯૩૨ : પ્રત ૨૦૦૦ : મલ્ય પાકું પૂંઠું ૧૦–૦ (૪૭) પ્રાયશ્ચિત્ત-સન ૧૯૩૨ : પ્રત ૨૦૦૦ : મૂલ્ય ૦–૨-૦ (૪૮) સંગાળશા શેઠ અને કેલૈયા કુમાર—સન ૧૯૩૨ મત ૨૦૦૦, મૂલ્ય ૦–૨-૦ (૪૯) આર્યધર્મ-સન ૧૯૩૨ થી ૧૯૩૫ ત્રણ આવૃત્તિ: પ્રત ૭૦૦૦ મૂલ્ય ૦-૫-૦ (૫૦) પ્રગતિનાં પાદચિહે અથવા અનુભવના એહકાર-પ્રથમ આવૃત્તિ સન ૧૯૩૩ : પત ૨૦૦૦ : મૂલ્ય પાકું પૂઠું ૧-૦-૦ અંગ્રેજી ભાષામાં | મરાઠી ભાષામાં PoliticalGita-સન ૧૯૨૧ઃ પ્રતા જાણતત્ર-સન ૧૯૨૧ : ૫૦૦૦:વિનામૂલ્ય પ્રચારઃ પૃષ્ટ ૨૧૬ ) મૂલ્ય વિના મૂલ્ય પ્રચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Surat Page #15 -------------------------------------------------------------------------- ________________ (૬) - 5 હિંદી ભાષામાં પ્રકટ થયેલાં પુસ્તક. (૧) સંસાર હૈ? | (૧૦) મહાત્મા ર પ મા ૧ માW 1-૨ (૨) નીરાગ (નોવેરા) (૧૧) , મા ૨૪ (३) सच्चे सुखकी कुंजियां (૧૨) તી જે gિ . (४) सप्त रत्नो (૧૨) સા. શૈ. . . તું (५) जैनशास्त्रमाळा खंड १ ला । सम्मेलनका अहेवाल __ खंड २ रा | (૧૪) જ્ઞાનીપ (८) साधुपरिषदकी रिपोर्ट (૧૫) શ્રીપારિત્ર સમાછોરના. (९) सद्गुणप्राप्तिके उपाय (१६) श्राविका धर्म વા. એ. શાહે રક્ટ કરેલાં અન્ય લેખકોનાં પુસ્તકો (૧) ખરા સુખની કુંચીઓ (૭) સ્વર શાસ્ત્ર (૨) દિવ્ય યાત્રા (૮) સુસઢ ચરિત્ર (૩) જ્ઞાનદીપક (૯) કયા ઇશ્વરે આ વિશ્વ રચ્યું (૪) બુદ્ધ ચરિત્ર (૧૦) મેતી કાવ્ય (૫) દયાને ઝરો (૧૧) ઉપદેશરત્નકાલ (૧) ગની કુંચી | (૧૨) સતિ સાવિત્રી વા. . શાહ કૃત અપ્રકટ પુસ્તકે (૧) સરળ અંગ્રેજી વ્યાકરણ | (૪) મૂંઝાઈ પડેલી દુનિયા (૨) હાર જેલનો અનુભવ | (૫) જિન દીક્ષા–ભાગ ૨ જે. (૩) માયાની છાયામાં (૬) આ બધે પ્રતાપ વેપારને ! 8િ નિઃસ્વાર્થ, ઉંચા શેખ તરિકે, વિનામૂલ્ય પ્રચારના આશયથી વ. મ. શાહ કૃત કઈ પણું પુસ્તક યા લેખ છપાવવા ઇચ્છનારને કઈ પણ જાતનો બદલો લીધા સિવાય તેવી સગવડ કરી આપવામાં આવે છે. તેમ જ વિનામૂલ્ય વહેંચવા માટે છપાયેલા પુસ્તકની સામટી પ્રતે ખરીદનારને કીંમતમાં ખાસ ઘટાડો કરી આપવામાં આવે છે. વા. મો. શાહ કૃત મળી શકતાં પુસ્તકે અને | અભિપ્રા માટે જુઓ પૃષ્ઠ ૮૧ થી ૯૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ = વા. મેં. શાહની ધગશ = -- દર અઢ * R.", d a . : * 'ભા જિક, * , , * * * , , જ * my Longuy rear Eveli ૨ - ભવાની વાત લાનને તી , - તજને કે અન્ય જ ને હું એ વા ઈચjયું કે રે કૂધ યર ઉચાં ઉચી ત્રા જમવ બનy 2છે જુ ન વક પ નવું નાકમાં નારીસાત જર dan Rane ले कर र, 2 2014nीने औपुरપર હાવ-ઉતારાની ને કહ રદ ”. { « માટે ઇચ્છું છું કે માત્ર ના જ- તી રેં બી કાજ – હું અને તાલી-દાવા - જન સેવ્યાજ! હરસ્ત ખેલતા કરાવી પછી આનંબક નિના પ્રકાર જી. on an ups at angene til 218 at of Genesis will *R6 દ તે જ છે મુજ કેમ રહી છે! હ પર – જૈ જ છે – ખ બર પડે છે જે I rasu saa į East "ofseig' bist - ger and mine ciles ક બની (ખાનગી ડાયરીમાંથી કેટ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના સત્તરથી બાવન વર્ષની ઉમર લગભગ બધા સમય મર્યે બહુધા પુરૂષવર્ગ માટે જ લખવા અને કામ કરવામાં ગુજાર્યો છે. પુરૂષવર્ગના વિકાસ માટેના મહારા રાત્રીદિવસના પરિશ્રમે, લખાણો, પ્રવૃત્તિઓ, યુદ્ધો, ખર્ચે લગભગ વ્યર્થ ગયાં છે, એ એકરાર પ્રમાણિકપણેજે કે બળતા હદયે-કર જ પડે છે. હારી પ્રવૃત્તિઓએ ઘણએ ચકચાર જગાડી હતી, ઘણીએ તારીફના મેધા ગજવ્યા હતા, ઘણુએ અંગત શત્રુતા સુજી હતી, પણ એ સર્વનું નક્કર પરિણામ–માનવ જાતિમાંથી થેડા ય સાચા દેવ બનવા રૂપ પરિણામ–જોવાની આશામાં હું ખરે જ નિરાશ થયો છું. મહને ચાહનારા હજારે “ભણેલા છે અને હજારો જૂના વિચારના બને મળ્યા છે, પણ બન્ને વર્ગમાંથી એક પણ સાચે મરદ સાચે આર્ય–દેવ, યુરોપ—અમેરિકામાં ગલીએ ગલીએ છે તેવો એક પણ મગજ અને હદયના વિકાસવાળે “મરજીવો’ એ હજારો બકે લાખમાંથી પાક્યો નથી એ કબૂલ કરી મારી હાર પર હું એ આંસુ હમેશ નાખતો રહ્યો છું. ધર્મ અને નીતિ અને દેશદાઝની વાતો પર તાલીઓ પાડનારા અને એ વિષય પર ભાષણે અને લખાણ કરનારાઃ બન્નેમાં બુદ્ધિની જડતા, ઈરાદાની મલિનતા, દૃષ્ટિની સંકુચિતતા, કલ્પનાશક્તિની ગેરહાજરી, ઈચ્છાશક્તિની મંદતા, ઉચા શેખપર–પિતાના જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ રહીએ છીએ, અને તે છતાં નફકરા થઈ તુચ્છ હવસોમાં અને gછ શખમાં ફરીએ છીએ. નફકરો કેણુ હોય? કાં તો મુડદું અને કાં તો વધારેમાં વધારે ચૈતન્ય ધરાવતા મનુષ્ય. મુડદામાં ચૈતન્ય જ નથી તેથી હેને ગમે તેટલું છુંદો તો પણ લાગતું જ નથી, અને વધારેમાં વધારે ચૈતન્ય ધરાવતો મનુષ્ય પોતાની અંદરના બળને લીધે ગમે તેવા સંકટોને હશી કહાડે છે. પણ અમે તો એવું અંદરનું બળ જ શું ચીજ હશે તે પણ જાણતા નથી. અમે તે નીતિની વ્યાખ્યાઓને સર્વસ્વ માનીએ છીએ, અને ધર્મની ક્રિયાઓને મુક્તિનું સાધન માનીએ છીએ,--મુક્તિ પણ મુઆ પછીની અને બીજી દુનિયામાં મળવાની. અંદરનું બળ અંતઃકરણની ચીજ છે અને અંતઃકરણ એ મન, બુદ્ધિ, ચિત્ત તથા વ્યક્તિત્વ(Personality) એ ચાર અંગ ધરાવે છે, તથા એ ચાર અંગના “અંતઃકરણ” ને જ માણસ (માનવ) કહેવામાં આવે છે, સઘળું બળ એ ચાર અંગના વિકાસમાં જ રહેલું છે, નહિ કે જ્ઞાનેન્દ્રિય કે કર્મેન્દ્રિમાં એ અમે જાણતા જ નથી, તો પછી એ અંતઃકરણના ચારે અંગોને ખિલવવા માટે જ સ્થપાયેલી ધર્મસંસ્થાને સાચે ઉપગ તો કરી પણ કેમ શકીએ ? આ ચાર આંતરિક અંગેની ક્રિયાને બદલે બાહ્ય અંગેની ક્રિયામાં–ધમાલમાં–સપાટી પરની પ્રવૃત્તિમાં જ અમે ગેધાઈ રહીએ છીએ અને ધર્મનો ઉપયોગ પણ બાહ્ય ઈન્દ્રિયે વડે થતી ક્રિયારૂપ ધમાલમાં જ કરીને અમારાં સ્કૂલ સાધનોને વ્યય તથા સૂક્ષ્મ અંગેની શક્તિને વ્યય ઉડાઉપણે કરી નાખીએ છીએ. અમારા જેવા આત્મઘાતી–ઈndisciplined સંસ્કાર રહિત–લેકે ભણેલી કે અભણ દુનિયામાં બીજે કઈ સ્થાન નથી. જે પિતાને–પિતાના અંતઃકરણને પિતાનાં મન, બુદ્ધિ, ચિત્ત તથા વ્યક્તિત્વને—વફાદાર નથી તેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મનુષ્ય ધર્મને કે નીતિને કે સમાજને કે કોઈપણ ઉચ્ચ આશયને વફાદાર હોય એ કોઈ કાળે બન્યું નથી અને બની શકે નહિ. મનુષ્યમાં જેમ બહારનો માણસ” અને “અંદરને માણસ' (જ્ઞાનેન્દ્રિયો' તથા કર્મેન્દ્રિયો” અને “અંતઃકરણ) એમ બે પક્ષ છે, તેમજ જીવનમાં પણ આ લોક” અને પર લોક’ એવા બે પક્ષ છે. આ લોક” એટલે જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિયાને, તે જે જે પદાર્થોના સંગમાં આવે છે તેઓ સાથે વ્યવહાર. અને “પરલેક એટલે મન, બુદ્ધિ, ચિત્ત તથા વ્યકિતત્વથી થતી ક્રિયા-પ્રતિક્રિયાને પ્રદેશ, કે જે પ્રદેશમાં જ શકિત-અશક્તિને વાસો છે. હવે જેણે મન, બુદ્ધિ, ચિત્ત અને વ્યક્તિત્વને તો ઓળખવાની ય જીંદગીભરમાં દરકાર કરી નથી તથા એમના આરોગ્ય અને વિકાસ માટે પ્રયત્ન કર્યો નથી એવા મનુષ્યોને બહારના કાયદા કાનૂનથી, ઉપદેશથી કે રક્ષાથી પણ હિત કેમ થઈ શકવાનું હતું? જેની બુદ્ધિ જ જડ છે તે ધર્મ કે જે માનસિક સાયન્સ છે તે કેમ હમજી શકવાનો હતો ? જેનો હૃદયનો આયનો જ વાંકે છે તેવો મનુષ્ય ગમે એવી ઉત્તમ વાત કે ઉત્તમ મનુષ્યની મજાક જ કરે એમાં શું આશ્ચર્ય ? વસ્તુસ્થિતિ એમ હોઈ આજના હિંદીઓને ધર્મ, તત્ત્વજ્ઞાન, દેશપ્રેમ, ખાનદાનીભરી પ્રવૃત્તિઓ, મેઝ ખાતરનાં મરી પડવાં, એવું કાંઈ શિખવવાના જેટલા પ્રયાસ થાય તેટલા લગભગ નિરર્થક જ નીવડે. કૂતરાનો સંઘ કાશીએ ન જાય અને આંતરિક શકિતઓની તાલીમ વગરના Undisciplined લેકોનાં ટોળાં આ ભવ કે પરભવની મુકિતરૂપ કાશી ન પામી શકે. બહારની ઇન્દ્રિયોને ઉશ્કેરીને લોકો પાસે ધમાલ કરાવવામાં આવે તે તાકાદવાળી કદાપિ ન હોય, સુવ્યવસ્થિત પણ ન હોય. હિંદનો ઉદ્ધાર થવાને જ હોય તો તે ફક્ત નવા હિંદીઓ વડે જ થઈ શકશે, અને તે પણ તેઓ જન્મે તે પહેલાં હેમની જન્મભૂમિ-માતા–ને વિશુદ્ધ કરવાને સતત પ્રયત્ન ચાલુ રહેશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ માટે તે આ રિયતિ બાળકને તે જ. આજના હિંદીઓ પોતે અગવડ, ખર્ચ, માનસિક પીડા સહી લઈને પણ હિંદી બાલાઓને જોગમાયા જેવી બનાવવા કમર કસે તો એ ભૂમિમાંથી ઉપજતી “પ્ર–જા” (Pro-creation) એક દિવસ ખરા આર્યો ઉપજાવશે. અને એ આર્યો “પિતાનો આર્યાવર્તબનાવશે. હિંદુઓને જ્યારે એમ કહેવામાં આવે છે કે હમે હમેશ દાન કરતા રહે, હમેશ અમુક તપ અને નિયમનું પાલન કરતા રહો, અમુક ધર્મગુરૂના વચનને ઈશ્વરવચન તરીકે માથે ચહડાવી સર્વસ્વ એને અર્પણ કરતા રહે તો, સેપાંચસે કે હજાર ભવે મુક્તિ પામશે,–એવું જ્યારે કહેવામાં આવે છે ત્યારે તે વાત તેઓ માની શકે છે અને એ માન્યતા પર સગવડ અને નાણુને ભેગ પણ આપી શકે છે તથા પરિણામ માટે સો કે હજાર ભવની રાહ પણ જોઈ શકે છે. ધર્મોએ હિંદી માનસને આ સ્થિતિ પર લાવી મૂક્યું તે તો ઠીક જ કર્યું છે, પણ હવે એમને વધુ વખત બાળક ન માનતાં પુખ્ત વયના સમજી ખુલ્લું સંભળાવી દેવું ઘટે છે કે હિંદીઓ ! હમે આજે જેવા છે તેવાથી કાંઈ મુકિત–સ્વાતંત્ર્ય મળી શકે જ નહિઃ મુકિત માટે જે આંતરિક બળ જોઈએ તેવા બળવાળા સંતાન ઉપજાવો તે તેઓ વડે એક દિવસ મુકિત મળે ખરી. એ સંતાન માટે આજથી તૈયારી કરે તો પાંચ કે પચીસમી પેઢીએ મુકિત મેળવી શકનારા હમારાં જ સ્વરૂપો પાકે. હમે આજે “કાચા” છેઃ હમને પાકવાને એટલે વખત લાગશે. પાકશો ત્યારે હમારો જ અંશ ફળ તરીકે -પરિપક્વ શક્તિવાળી પ્રજા તરીકે-જન્મશે. એ જ હમારે ન જન્મ! એટલો સમય રાહ જોવાની ધીરજ હમારે કેળવવી જોઈએ અને એટલા વખત સુધી હમારાં સઘળાં સાધને ભવિષ્યના ઉદ્ધારકોને હયાતીમાં લાવવાના કામ પાછળ જ ખર્ચવા હસતે મુખે-પુણ્ય કાર્ય તરીકે–મુક્તિની કિંમત તરીકે–તૈયાર રહેવું જોઈએ. પુણ્ય એ જ છે, કારણ કે હમારા એ ભાવિ સંતાનેથી જ હમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com હવે Page #22 -------------------------------------------------------------------------- ________________ પવિત્ર થશે. મુક્તિ એ જ છે, કારણ કે હિંદીઓ પોતાની ભૂમિમાં મુક્તપણે જીવી શકશે,–ગુલામ કે કીડા માફક નહિ. આપણે સ્વતંત્રતાની વાત કરીએ છીએ : પણ સ્વતંત્રતા શાની ? આપણને શું જોઈએ છે તે જ આપણે જાણતા નથી : ફક્ત પોપટની માફક કેઈએ શિખવેલ “સ્વતંત્રતા ” શબ્દ બક્યા કરીએ છીએ. અંદરની સ્વતંત્રતા વગર બહારની સ્વતંત્રતા સંભવતી જ નથી એ કુદરતી કાનૂન છે. ન માની શકતા હોય તેમણે સ્વતંત્ર દેશનાં સ્ત્રી-પુરૂષાનાં જીવનનું બારીકાઈથી અવલેકન કરવું. એમના મન ઉપર એમનો કેટલે કાબૂ છે? એમની બુદ્ધિ કેટલી તીવ્ર છે ? એમનું ચિત્ત કેટલું ઉંડુ અને નિર્મળ છે? એમનું વ્યક્તિત્વ કેવું વા જેવું છે? એમનું જીવન કેટલું વ્યવસ્થિત અને ઉંચા શેખવાળું છે ? લજજા-શંકા-ભય : એ ત્રણ રાક્ષસેથી સ્વતંત્ર એમનું દરેક વર્તન કેવું પ્રકૃતિજન્ય છે? સંતાન ઉછેરવાની કાળજી અને અનુભવ તે કેવો સુંદર ધરાવે છે ? હમારા યોગશાસ્ત્રમાં કહેલા નિયમોનું ફળ એમના જીવનમાં કેટલું ઓતપ્રોત છે ? એવા લેકે રાજ ન કરે તો હિંદુ ધર્મો અને યેગશાસ્ત્રો જૂઠ્ઠા પડે. આપણાં શાસ્ત્રોનું સંશોધન કે ભાષાન્તરકાર્ય પણ યુરેપી વિદ્વાનો આપણું પંડિતો અને ધર્મગુરૂઓ કરતાં સારું કરી શક્યા છે હેનું કારણ શું? કારણ એ છે કે તેમાં ચિત્તની એકાગ્રતા અને જોખમદારીના ભાનરૂ૫ વ્યક્તિત્વ છે; જે અમારામાં નથી અગર કઈમાં છે તે બહુ અલ્પ અંશમાં. આપણાં બુદ્ધિ અને ચિત્ત અને વ્યકિતત્વ રોગી અને નબળાં હોવાથી જ આપણે નીતિઓ પાળવા છતાં ય નીતિઓને ભ્રષ્ટ કરીએ છીએ. દાખલા તરીકે અહિંસાની નીતિ તથા શીલની નીતિ તપાસે. હડકાયા કૂતરાને પણ નહિ મારવા તથા પ્રતિક્ષણ કીડી મકોડીની પણ રક્ષા કરવા સુધી આપણે અહિંસા પાળીશું અને પિતા તરફની અહિંસા શું ચીજ છે હેને તો ખ્યાલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ નહિ કરીએ. પિતાની બુદ્ધિની રક્ષા ન કરવાથી જ એ હેટામાં મહટ પ્રમાદ–સ્ફોટામાં મોટી આત્મહત્યા થઈ જાય છે. કોઈ એ કહ્યું કે હિંસા કરો તો હિંસા કરવા કુદી પડશે,–ખુદ ધર્મના નામથી પણ; અને કેઈએ કહ્યું કે અહિંસા પાળે તે સમાજ અને દેશને બૂરી દાનતથી પાયમાલ કરનાર તરફ પણ દયાબુદ્ધિ રાખશે. મતલબ કે પિતાની બુદ્ધિનું ખૂન અને પારકી બુદ્ધિની ગુલામી : એ જ આપણે ધર્મ છે ! અર્થાત “આર્યધર્મ ” નથી – પ્રેરિત ધર્મ' છે,– અને પ્રેરિત ધર્મ એ મુદલ ધર્મ ન હોવા કરતાં ય વધુ ભયંકર ચીજ છે. દયા પ્રથમ પિતાની જોઈએ પોતાના આત્માને નીરોગી અને પુષ્ટ બનાવવામાં જોઈએ, અને બલવાન આમા તે સદા બીજા પ્રત્યે દયાથી જ વર્તે છે. માંસાહારી યુગને સ્વભાવતઃ જાનવરે તરફ દયાળુ છે, –આપણાથી કંઈ અંશે વિશેષ. તેઓ મનુષ્યોને પણ બીનજરૂરી કષ્ટ ન પહોંચાડવા કાળજીવાળા છે, રે બીનજરૂરી કડવો શબ્દ કે કેલાહલ પણ કરવાની તેમની પ્રકૃતિ નથી, જ્યારે અમે જીવડાંની દયા પાળનારાએ અંદરોઅંદર અને ખુદ કુટુંબમાં પણ જીવતું નરક ઉપજાવીએ છીએ. દરેક ધર્મના લાખો પંડિત દયા અને અહિંસાની વ્યાખ્યા હજારો વર્ષોથી કરતા રહ્યા છે અને લોકોને ઘડીમાં આમ અને ઘડીમાં તેમ ભમાવતા રહ્યા છે. કોઈ પણ સાચા અનુભવીને પૂછે ? તે કહેશે કે વ્યાખ્યાઓ માત્ર સાપેક્ષઆથી હાય : સત્ય તો એ છે કે પિતા તરફ દયા કરનાર અને તેથી પિતાના અંતઃકરણના ચારે અંગોને નીરેગી બનાવનાર સ્વભાવતઃ દયાળી જ હોય છે. મતલબ કે દયા એ કઈ નીતિનો વિષય નથી. અંદરના બળનું સ્વાભાવિક પરિણામ છે. નબળો દયાળુ હાઈ શકે જ નહિ અને નબળાનાં દયાકર્મો ઢોંગ કે આત્મહત્યારૂપે જ હોય. દયા ? નબળાઓમાં દયા ? તે કેવી જાતની હોય તે જોવું છે? હમે શું તમારા જ વર્તાનની નોંધ નથી કરી કે જેથી બીજા પાસેથી જાણવા ઈચ્છે છે ? છોકરા પરની દયાથી હમે હેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પરણાવી આપે છે ઃ એનું ખૂન કરી છે ! હમને હેના પર હાલમાં એક વતી અને ભવિષ્યમાં વધુ જીવાની જોખમદારી નાખવાના શું હક્ક હતા ? હમે પેાતાને જ કેળવી શકયા નથી, હમારા પુત્ર-પુત્રીને પણ યથેષ્ટ રીતે કેળવી શક્યા નથી અને હવે તે પુત્ર-પુત્રી પર જીવનભરની જોખમદારીએ નાખેા છે? ધેડા પર વધુ ભાર ભરનારને હમે ગુન્હેગાર ઠરાવી સરકારમાં દંડાવા છે, અને હમારાં બાળકાને સમ બનાવ્યા સિવાય આખી જીંદગી સુધીના ભાર લાધી દેવામાં ગુન્હા જેવું કાંઈ જ લાગતું નથી ! કેટલી હદનું પાપી જીગર ! કરતાં તા કસાઈ ભલેા કે જે એક જ પ્રહારે જીવની વેદનાના અંત લાવે છે. આજના હિંદી લગ્નોને ૯૫ ટકા જેટલા ભાગ કસાઈનાં કૃત્ય કરતાં કાઈ રીતે ઉતરતો નથી : મ્હને લગ્ન જોઇ કમકમાટી છૂટે છે ઃ પા શાપ હિંદ તરફ નીકળી જાય છે. શીલ અને બ્રહ્મચર્યની આપણી નીતિ તપાસા : થોડાકા જીવનભરનું બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લઈ સાધુ અને છે, જ્યારે ખીજાએ સ્વશ્રી સિવાય દષ્ટિ ન કરવી એવા નિયમથી પરણે છે; એ સિવાયના ખીજાએ પરણવા માગે છે પણ જાતિઅધનાની નડતરથી ફરજ્યાત કુંવારા આથડે છે. ત્રણેનુ આ ન હવે તપાસા : પહેલા વ સાચી દાનતવાળા હોય તે પણ અંતઃકરણનાં અંગોની શક્તિ વગરના હાઈ નિયમ નથી જ પાળી શકતા અને છૂપા વ્યભિચારનું કેં અકુદરતી ચુન્દ્રાનું સેવન કરે છે, બીજો વર્ગ પ્રમાણિક હાય તા પણ અંતઃકરણના અંગેાની શક્તિને અભાવે સ્વસ્રીસેવનમાં નિરંકુશ–જાનવર જેવા અને છે અને કેટલાકા બહારનાં આકષ ણાને પણ નમે છે; ત્રીજો વર્ગ રાત્રી-દિવસ સ્ત્રીની જંખના કરે છે તેથી પરવશદશામાં ગમે તેવાં ઢળી પડે છે. બતાવેા, એક્કે વર્ગમાં શીલરક્ષા થઈ શકી? ઉપદેશક વર્ગ માટે ક્ન્યાત બ્રહ્મચર્ય રાખવાથી બેવડું નુકસાન ન થઈ એન્ડ્રુ ? ગૃહસ્થવર્ગને જોખમદારીનું ભાન પ્રકટા પહેલાં પરણા માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ વવાથી કુંવારાને મળતા વ્યભિચારના પ્રસંગ કરતાં ય વધુ અબ્રહ્મચર્ય ન સેવાયું ? હજારેને ઈચ્છા છતાં ફરજ્યાત કુંવારા રહેવાની સ્થિતિ ઉપજાવવાથી વિશ્વાસઘાત, વ્યભિચાર, વેશ્યાવર્ગ, સૃષ્ટિવિરૂદ્ધ કાર્યઃ આ સર્વ ભયંકરતાએ ન ઉત્પન્ન કરી આપી ?..... જેમ જેમ અકુદરતી કાનૂન કરશે તેમ તેમ વધુને વધુ ગુંચવાડા અને વધુને વધુ અંત:કરણની નિર્બળતા તથા ઢાંગધતીંગ આવવાનાં જ. કુદરતી કાનૂન પર આવતાં હમને આજની રૂઢિઓને ભય લાગે છે, એ ભયને છેડો નથી અને વજ જેવા વિદેશીએના ભયથી છટકવું છે ! થે, રાહ જુઓ, આપણું આખા દેશના નાશ થઈ જાય ત્યાં સુધી રાહ જુએ ! હું ફરી ફરીને કહું છું–અનુભવથી કહું છું–ઉંડા વિચાર પછી કહું છું કે નીતિઓ નહિ, બળ જ બચાવી શકે; અને બળ અંતઃકરણના ચારે અંગેનું. બળવાન જ દયા કરી શકે, બળવાન જ શીલ પાળી શકે, બળવાન જ સત્યકથન કરી શકે, બળવાન જ ચેરવાને બદલે આપવામાં આનંદી શકે. અને ધર્મ બીજું શું વધારે કહે છે ? –હિંદુ ધર્મ કે જૈન ધર્મ કે મુસલમાન ધર્મ કે ખ્રિસ્તી ધર્મ બીજું શું વધારે કહે છે ? આ બળ ઉપજાવવા માટે નીતિઓ નહિ પણ તાલીમ-culture સંસ્કારની જરૂર પડે, અને ધર્મ એવા સંસ્કાર આપવા માટે જ સર્જાયા હતા. આજે સંસ્કાર શબ્દને અર્થ પણ કેણ સમજે છે? ઉંચી ટે એ સંસ્કાર છે. ખાવું-પીવું, પરણવું, પ્રજોત્પત્તિ કરવી, બોલવું, લખવું, વ્યાપાર કરવો, સમાજકાર્ય કરવું ઈત્યાદિ દરેકે દરેક ક્રિયા ઉંચા માનસથી–ઉંચા શોખથી–થવા પામે એવી ટેવ પાડવીઃ જ્ઞાનતંતુઓ આપોઆપ એવી જ ક્રિયા કરે એવાં બનાવી દેવાં? એ જ સંસ્કાર. માત્ર કલ્પનાઓ, વ્યાખ્યાને, નીતિઓ, વિધિઓ એ કાંઈ “સંસ્કાર” નથી જ, એ તે બધાં સમર્થનાં વર્તન જોઈને પંડિતએ ઉપજાવેલી કલ્પનાઓનાં જાળાં છે. પંડિત અને ધર્મગુરૂઓ “સત્ય” શબ્દનાં ચૂંથણું ચુંથતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ હજારો વર્ષથી ધરાયા નહિ અને હજીએ હિંદના ખૂણે ખૂણે એ જ નામ પર મારામારીઓ ચાલી રહી છે. હજારો વર્ષથી જે ન મેળવાયું તે હવે આ પંડિત અને ધર્મગુરૂઓ મેળવી આપવાના હતા ! વર્તમાનમાં જીવવાને બદલે ભૂત અને ભવિષ્યની કલ્પનાએમાં જ દેશને રમાડનારાં એ બાળકે હિંદ છોડે નહિ ત્યાં સુધી પોતાનું માનસ સ્વતંત્ર કરી શકે નહિ અને પિતાનું માનસ સ્વતંત્ર ન હોય તેવાઓ પરદેશીઓથી સ્વતંત્ર કટિ કાળે પણ ન થઈ શકે. સત્ય ? આ બધા શું સત્ય-અવ્યાબાધ સત્યનારા સત્યના ભક્ત છે ? એમને હા કહેવા દો : નગ્નસત્યના એ ભકતો માટે જ મહારા નગ્ન પ્રશ્નો છે : હમને જીવવું શા માટે પડે છે ? પ્રયત્ન છવો છો તો મરવાનો પ્રયત્ન કાં નથી કરતા ? આ જીવન તો પાપમય જ છે તો પછી જીવવાનો પ્રયત્ન શા માટે ? અંગ્રેજોને આ દેશ પર રાજ્ય નહિ કરવા દેવું અને હમારૂં જ રાજ્ય જોઈએ એમ શા માટે ? બધા ધર્મો ખોટા અને હમારે જ ધર્મ સાચે એમ શા માટે ? તપ જ ધર્મ છે તો ખાઓ છો શું કરવા? શીલ જ ધર્મ છે તે પરણે છે શું કરવા ? ધ્યાન જ પરમ સત્ય છે તે લાંબી સમાધિ જ કાં નથી કરી લેતા ? દાન જ ધર્મ છે તે લાખ્ખો કાળાધોળાં કરી એકઠા કરેલા અને દાટેલા-લાખો અન્ન વગર ભૂખે મરતા અડધા ભારતને કાં આપી નથી દેતા ? અહિંસા જ પરમ સત્ય છે તે સંથારે કાં નથી કરતા ? બધા ધર્મો એમના મહાપુરુષોની સેવામાં અનંતશક્તિવાળા દેવો આવતા હોવાનું કહે છે તે એ બધા દે આજે કાં દેશનો તે શું પણ એ ધર્મોને ય બચાવ કરવા નથી આવતા ? બધાએ ધર્મના સ્થાપકેને ત્રણ લોકના નાથ કહ્યા અને અનંત જ્ઞાન–શકિત તેમજ અનંત કરૂણ કહી તો આજે અથવા કોઈ કાળે આખી દુનિયા પર કે દુનિયાના હદય પર કોઈ એક ધર્મનું સામ્રાજ્ય કેમ ન થઈ શકું ? ભિખારાઓ જ સાધુ કેમ બને છે અને શ્રીમંત નહિ ? કાઇ રષોખડવો શ્રીમંત સાધુ થતું હોય છે તો અંગત મિલ્કતને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જાહેર મિલકત બનાવવા જેટલી સાધુતા કેમ નથી પળાતી ? કૈવલ્ય કે એનાથી અતિ નજીકની સ્થિતિને દાવો કરનારા ય મિલ્કત પરને મેહ કેમ ન છેડી શક્યા ? સાધુ આશ્રમને હલકે પાડી આધ્યાત્મની ખાલી વાતમાં લેકીને ખેંચી જઈ નવા પંથ યુકિતપૂર્વક સ્થાપનારાઓ એકાંતમાં બેસી ત્યાં શું પરાક્રમ કરે છે? આત્મા શબ્દથી તેઓ સમજ્યા જ શું છે ? અક્રિય બેસી રહેવું અને આત્મકલ્યાણ તથા આધ્યાત્મ શાબ્દને જાપ જપવો એ જ બધાને હલકા પાડીને આપવાનું પરમ સત્ય છે કે ? અને એમ જ પોતાની મૂર્તિઓ પૂજાવવાનું અને ગોશાળાનાં ધર ભરવાનું પરમ સત્ય સેવાય છે કે ? જડવિજ્ઞાન અને માનસવિજ્ઞાન પણ નહિ જાણનારાઓ એથી ય અતિ સૂક્ષ્મ પદાર્થનું જ્ઞાન પામી શકતા હશે કે? વેદ અને જૈન શાસ્ત્રોમાં વિશિષ્ટ પુરુષના શરીરવિકાસ તથા બુદ્ધિવિકાસ અને વાણીનું જે વર્ણન આપ્યું છે હેમાનું કશું આ ધર્મધુરંધરે અને ધર્મસ્થાપકોમાં જેવામાં આવે છે કે ? જે લેકે કોઈપણ ધર્મપંથના અગ્રેસર કહેવાય છે તે જ પ્રાયઃ સર્વથી વધુ ધૂd, હરામખાઉ, પ્રપંચી અને ટાખોર કેમ બને છે? આત્મા જ પરમસત્ય છે તો પછી રાં, અપાસરા, મઠ, મદિર વગેરે ધામની, ફડની, અધિકારીઓની જરૂર કેમ પડી ? જેઓ પરમસત્ય પામ્યા હતા એમ કહેવામાં આવે છે તેઓએ તે સત્ય પોતે ન લખતાં બીજાઓ માટેસાક્ષાત્કાર વગરના પાછળનાઓ માટે–તે કામ કેમ રહેવા દીધું ? જેમને નમવા આકાશમાંથી ઈન્દ્રો અને દેવ વિમાન સાથે અહીં આવતા અને સુવર્ણની વૃષ્ટિઓ થતી તેવાઓની હયાતીમાં પણ શા માટે તે ધર્મ હિંદ બહાર ન જઈ શકો અને હિંદમાં ય મુઠ્ઠીભર માણસોમાં જ કેમ ગાંધાઈ રહ્યો ? બધા ધર્મો એમ દાવો કરે છે કે દુનિયાની તમામ વિવાઓ હેમના મહાપુરુષે જ શોધી અને શિખવી હતી તે આજે એક પણ વિદ્યા એક પણું ધર્મના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મહાપુરુષથી કે અલ્પપુરુષથી કાં નથી શોધાતી ? શું બધા ધર્મો મરી ગયા છે?... હકીકત એ છે કે, ધર્મોએ માત્ર સઘળી વિદ્યા અને સઘળા વિજય મેળવનાર અંતઃકરણને ઘડવાનું જ કામ કરવાનું છે. બાપે પુત્રને વારસો આપવાનો નથી, નાણું મેળવવાની અને નાણાંને જીરવવાની તથા હેનો સદુપયોગ કરવાની શક્તિ આપવાની છે; અને વ્યવહારૂ રીતે એ જ ખરો વારસો આપ્યો કહેવાય. પણ આજે ધર્મ, ધર્મનું કામ બજાવતો નથી અને ધર્મને નામે લોકોનાં મન, બુદ્ધિ, ચિત્ત, વ્યક્તિત્વ ઃ ચારે કિમતી અંગેને–એ પરલેકને ભ્રષ્ટ કરનારાઓ-કેટલાકે અજ્ઞાનતાથી અને કેટલાક ખૂરી દાનતથી–પિતાની બેડીઓ આખા દેશ પર જકડી રહ્યા છે. એથી આજના હિંદીઓના જીવનની બધી પ્રવૃત્તિઓ ગુલામત , કીટવત, રોગી, મિથ્યા બની છે અને તેઓ જીવતરનું ગાડું જેમતેમ ખેંચે છે. એવા લોકોને જેમ તેમ જીવવું ય મુશ્કેલ છે હાં, જીવવું અને દેવ જેવી શક્તિઓવાળા યુરોપ-અમેરિકાની સતત હરીફાઈ વચ્ચે જીવવું એ કઈ રીતે શકય છે? હરીફે એક હાનામાં ન્હાનું કામ પણ એનાં સો વર્ષ પરનાં પરિણામને વિચાર કરીને કરે છે અને આપણાથી હજાર વર્ષમાં નથી બની શકયું તેટલું એક વર્ષમાં કરતા રહ્યા છે. અમે મહટામાં મોટું કામ કરવાનું પ્રાપ્ત થતાં પણ આવતી કાલના ય પરિણામનો વિચાર નથી કરતા અને એક દિવસમાં થવું જોઈએ તે કામને માટે સો વર્ષ લેવા છતાં કોઈ જ પરિણામ લાવી શકતા નથી. કારણ કે આપણે કોઈ વાતને એના ખરા રૂપમાં હમજી શકતા જ નથી અને એના પડછાયારૂપ તર્કવિતર્કોમાં જ ગોથાં ખાધાં કરીએ છીએ અને ચર્ચાઓ, વિવાદો અને તેમાંથી તકરારેમાં જ આપણું મનના પરમાણુઓને વેરી નાખીએ છીએ, જેથી માનસિક શક્તિઓનું એકીકરણ થઈ એક ચીજ પર પડી એના પૂરા પ્રકાશથી જે સ્વરૂપ દેખાવું જોઈએ તે આપણને દેખાતું જ નથી. બધા રોગ આપણું માનસમાં–મન, બુદ્ધિ, ચિત્ત, વ્યક્તિત્વમાં–જ છે, એ રાગ નીકળે નહિ ત્યાં સુધી આપણું જીવન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તનદુરસ્ત અને નહિ, અને જીવન તંદુરસ્ત બન્યા સિવાય દેશ કે વ્યક્તિને સ્વતંત્રતા—મેાક્ષ—કદાપિ પ્રાસ થાય જ નહિ. શાસ્ત્રો ખેાટાં નથી—સમજનારા ખાટા છે. શાસ્ત્રો કહે છે કે આત્મા પર અનેક ભવના કર્મોના દળી વજ્રલેપ નયેમ સ્ફુટી ગયાં છે, અને લાંબા કાળ સુધી તપ-જપ –વ્રત–નિયમ–ધ્યાનાદિ ઉપાયા કરતા રહીએ તેા જ કેટલાએ ભવા પછી મુક્તિ મળે. ’ તે તદ્દન સાચી વાત કહી છે, પણ અમે ઊંધું સ્હમજ્યા છીએ. પામર મનુષ્યેાના હાથમાં શાસ્ત્રો આવી પડવાથી તેઓ ઉંધુ જ સમજાવી શકયા છે. જે લેાકા ગૃહસ્થાશ્રમમાં પેાતાનું ય ગુરાન ચલાવી શકતા નહોતા, એટલું ય જ્ઞાન અને શક્તિ ધરાવતા નહાતા એકાએક દુનિયાને મુક્તિ અપાવનાર થઈ બેઠા હતા ! ભેાળા ખચ્ચરા અમે ! સાધુ શું, વૈરાગ્ય શું, દયા શું, મુક્તિ શું, જીદગી શું, કાંઈ પણ ન વિચારતાં માત્ર કલ્પિત મેાક્ષ, કલ્પિત વૈરાગ્યવાળાએ માત મેળવવાની દાડધામમાં અમારૂં આ જીવન જ ભૂલી ગયા; સામાન્ય અક્કલ—સાદી સમજ—તે પણ ધરાણે મૂકી બેઠા; શેક્સેા પાપડ જેનાથી ન ભાગી શકાય હેનાથી પહાડ તાડવાની આશા કરવા જેટલા મૂર્ખ બન્યા; અને તે માત્ર શબ્દોની જાળમાં ફસાઈ ને! વૈરાગ્ય, મેાક્ષ, પરલેાક : એ શબ્દોએ જ અમને ફસાવ્યા અને અમારા બાળપણાને-મૂર્ખાઇના-લાભ ભિખારીએ અને શ્રીમતાએ સારી રીતે લીધેા, ભિખારીએને અમનચમન જોઇતાં હતાં અને શ્રીમ ંતાને પેાતાના હથીઆરરૂપ માણસે જોઈતાં હતાં. શ્રીમતાએ ભિખારીઓને સાધુપદે સ્થાપી એમની મારફત મેાક્ષ, પરલેાક, વિરાગની જાળ બીછાવી લેાકેાતી રહીસહી ઈચ્છાશક્તિને પણ નબળી બનાવી, કે જેથી એ શ્રીમા ધરધર બની તેમના પર જંગર તકલીફે સત્તા જમાવી શકે અને સત્તાના અંગમાં સમાયલા આર્થિક લાભેશ્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ પ પણ ગુપચુપ મેળવ્યાં કરે ! આ આખી ગંદી બાજી મ્હેં બારીકાઈથી અવલાકી છે. કાઈ દેવ પણ આવીને કહે કે એ ત્હારી શંકા ખાટી છે, તે હું એને કહું કે સેતાન ! ચાલ્યેા જા ! કોઈ ગમારાને શેાધ ! મ્હારી આંખાએ જોયેલુ, મ્હારી બુદ્ધિએ જોયેલું, મ્હારા ચિત્તે અનુભવેલું જૂ ઠરાવવાની હિંમત ધરનારને સાંભળવાની વાત તે દૂર રહી પણ એને જતા કરવા એ ય મ્હારે માટે માણસાઇ રહિત થઇ પડે. હું એને બે તમાચા વગર જવાય ન દઉં. સઘળા પાખડા શ્રીમતાના જ છે, અને ભિખારામે એમનાં હચીઆર છે; સામાન્ય ગણુ એમની જાળમાં પકડાતી મચ્છીએ છે. એ ધૂર્તો વિરાગની વાત કરે છે : એમાંના એકમાં વિરાગ છે ?— વિરાગની જે વ્યાખ્યા તેઓ આપે છે તેવા વિરાગ તેના એક્રેમાં છે ? વિરાગ છે શું ભલા ! ને ધર્મગુરૂ અને ધનાયકરૂપ શ્રીમંતાથી વિરાગ ઉપજ્યેા છે, એ સાચા વિરાગ છે, તે કેમ ઉપજ્યેા ? મ્હે' તેએને અનુભવ અડધી સદી સુધી કર્યો અને હેમના અંતઃકરણના ખૂણાખાંચકા કાપીપીને જોયે, મ્હને ત્યાં સંડાસ દેખાયેા. સંડાસ તરફ અણુગમે કાને ન ઉપજે ! અને એ અણુગમા એ જ વિરાગ ! એમ જ સંસારની દરેક ચીજને, સંબંધને, કાપીકૂટી તપાસીએ તે કાઇ ચીજ પર માહ નહિ રહેવા પામે; પણ ચીજને સગ કર્યા વગર, ચીજની કાપકૂટ ( ભાગ ત્યાગ લક્ષણ વડે ) કર્યાં વગર, ચીજને તપાસવાની તકા લીધા વગર ચીજ પરના માહ છૂટે ? પૈસા દીઠા, સેવ્યા અને અનુભવ્યા વગર પૈસા પર વિરાગ થાય ? પણ સબૂર, મ્હને સાધુ અને શ્રીમંત પર વિરાગ થયે એટલે શુ થયું? જીંદગીમાં હવે હું એવા કેાઈ માણસ સાથે શું કામ જ નહિ પડવા દઉં કે શ્રીમત કે સાધુ હાય ? ના, મ્હારી ઈચ્છા હૈ। વા ન હા, એ પૈકીની કાષ્ટ નહિ તે કોઇ વ્યક્તિ સાથે સારાનરસા પ્રસંગ તે પડરો જ. ફ્ક્ત હવે હું જૂદા માનસથી એમની સાથેના આવી પડેલા પ્રસગને બરદાસ કરીશ. એક કીડાઝેરીકÚડા–સાથે કામ પાડવાનું પ્રાપ્ત થયું છે એવા ભાન સાથે વર્તીશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ એ વિરાગ! એમના પર મેહ નહિ હોય, ખુલ્લે તિરસ્કાર પણ ન કરૂં, ફક્ત મહારૂં માનસ હેમનું સ્વરૂપ જાણતું થઈ સાવધાનીથી વર્તે એટલું જ. વિરાગ એટલે માનસિક ગુલામીમાંથી છૂટકારો. સાધુએ જીદગીને પાપરૂપ માની તેથી શું તે આત્મહત્યા કરે છે ? ભજનને પાપ માન્યું તેયો શું છંદગીભર ભૂખ્યા મરે છે ? ત્યહાં તો તેઓ એમ કહે છે કે જીંદગીની પોકળતા જોઈ લીધી, હવે એના પર મેહ ન થઈ શકે. ખોરાકના સ્વાદની પોકળતા જોઈ લીધી હવે ખાઈએ છીએ ખરા પણ સ્વાદના મોહમાં ફસાયા વગર. હિતકર હેય તે ખાઈએ, હાનીકારક હોય તે હેને ગાળો દીધા સિવાય જ છોડીએ. ગાળો દેવી એ એક ચીજ છે અને મેહથી છૂટવું એ બીજી ચીજ છે. મોહથી છૂટવામાં ગાળોની કાંઈ જરૂર નથી. અને મેહ છૂટે છે ક્યારે ? ચીજના ગંદાપણુંનો કે નમાલાપણુનો અનુભવ થાય છે ત્યારે જ. આ ભિખારાઓને પૈસાનો, જીવનને, સત્તાને અનુભવ ક્યારે થયે કે એમને મેહ ગયે અને વિરાગ થયો ? ઉલટા તેઓ નીરાંતે પિસે, સત્તા, જીવન ભોગવે છે ! –પારકા શ્રમે! શ્રમ વગરનું જીવન અને મહેનત વગરની પ્રાપ્તિ એ હિંદી માનસનો ભયંકરમાં ભયંકર રોગ છે, લગભગ દરેક મનુષ્યને એ રેગ છે. પુસ્તક ગમે તેવું ઉત્તમ હશે, હમને તે ગમે તેટલું ગમ્યું પણ હશે, લેખક તરફ ગમે તેટલું હમારૂં માન પણ હશે, છતાં ય હમને પુસ્તક મત મેળવવા નહિ તે કમમાં કમ મફત વાંચવા તો જરૂર ઈચ્છશે. શેર-સટ્ટા–વગર મહેનતે દ્રવ્ય મેળવવાની ધાંધલ નથી તો બીજું શું છે ? “શીરા માટે કે પતાસાં માટે શ્રાવક' થવાની વાત તો કહાણરૂપે પ્રસિદ્ધ છે. આ શું સૂચવે છે ? ભિક્ષુક માનસ ! ભિખારચેટ પ્રકૃતિ ! ગુલામના ગુલામની ટેવ ! યુરેપમાં બે સગ્ગા ભાઈએ પણ એક પેપરની બે જૂદી નકલ ખરીદે છે. પુસ્તક મફત કે ઉછીનું લેવાની વાત નહિ. લેખક સ્નેહી હોય અને એક પ્રત ભેટ મોકલે તે હમજે કે મિત્રને દશ કે સો ગુણ લાભ પહોંચાડવાની જોખમદારી મહારા માથા પર આવી. સ્નેહીના ઘેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ભજન માટે આમંત્રણ હોય તો હેનાં બાળકે માટે કાંઈ નહિ ને કાંઈ ભેટ લીધા સિવાય જાય નહિ. નાતાલના દિવસે, પિતાની જન્મગાંઠના દિવસે, નેહીની જન્મગાંઠના દિવસે કાંઈ નહિ ને કાંઈ ભેટે મોકલ્યા સિવાય રહે જ નહિ–પછી પોતે ગમે તેવો ગરીબ . કાં ન હોય ! એમનાં માનસ આપણું જેવાં ભિખારચેટ નથી. હને અનુભવ છે: બત્રીસ બત્રીસ વર્ષ સુધી પેપર અને પુસ્તક જે કાંઈ મહે લખ્યાં તે પૈકી ઘણુંખરાંની પડતર કિંમત કરતાં ય અડધી કે ચોથા ભાગની કિંમત રાખો, છતાં સેંકડો પ્રતે મફત જતી ! અને તે પણ મફત લેનારાઓ બબ્બે ચચ્ચાર વખત ફરી ફરી માગતા! તેમાંય શ્રીમંતો પહેલા! અને મફત લેનારાઓ તરફથી બે પાંચ પણ પ્રતના ગ્રાહક કરવાની વાત નહિ ત્યાં પછી મહારા ખર્ચ માટે ચિંતા કરવાની તે વાતે શું કરવી? આ નફટ માનસ ! આ સેતાની જીગર ! એમને પૂર્ણ સાધુઓ અને પૂર્વ મૂડીવાદીઓ કાં ન મળે? એમને પાખંડી પેટભરા લેખક અને પત્રકારે ન મળે તે બીજું શું મળે? કુદરતમાં કાંઈ જ એવું નથી બનતું કે જે નહોતું બનવું જોઈતું. ત્યારે એમ જ અનુભવથી જ–મહને સાધુઓ અને શ્રીમતે અને લેકેને મોહ ગયો, એ જ વિરાગ ! અને શાસ્ત્રોએ કહ્યું છે કે પ્રથમ વિરાગ થાય, પછી અનેક ભવના–આપણું કંઈ પેઢીના પૂર્વજોનાં પાપ-એમની ભૂલ ભરેલી માન્યતાઓ અને ટેવોને દૂર કરવા માટે આખી જીંદગી સુધી તપ અથવા પરિશ્રમ-માનસિક પુરુષાર્થ—કરીએ તો જ જ્ઞાનતંતુ (Nerves)નો ચીલો બદલાય, મિથ્યાત્વમાંથી સમક્તિમાં અવાય. શું, તપ એટલે પુરુષાર્થ એવો અર્થ મહારા ઘરનો છે ? પૂછ ખુદ શાસ્ત્રોને. “પુરુષાર્થ એ કર્મેન્દ્રિયના શ્રમની નહિ, જ્ઞાનેન્દ્રિયના શ્રમની પણ નહિ, પણ અંતઃકરણ–મન, બુદ્ધિ, ચિત્તના શ્રમની વાત છે ” એવું મહારું કથન શાસ્ત્રના આધારે નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૯ એમ: પુરવાર કરનારને હું પાંચસે રૂપિયા ભેટ આપવા તૈયાર છું. શાસ્ત્રમાં જ્હાં જ્હાં ‘ પુરુષાર્થ કરેા, પુરુષાર્થાં કરા!' એમ કહેવામાં આવ્યું છે šાં ત્હાં મન, બુદ્ધિ અને ચિત્તને ગતિમાન કરા, એને તાલીમ આપે, એને શુદ્ધ અને સશક્ત કરેા ઃ એ જ અર્થાંમાં કહ્યું છે, પણ આજે બધા પુરુષાતા અ` બાહ્ય ધમાલ રૂપે જ કરે છે. શાસ્ત્રો કહે છે કે હજારા ભવનાં પાપનાં દળીઆં લાંખા કાળ તપાદિ કરવાથી બળે અને કઈ ભવે મુક્તિ મળે. ખરૂ છે : હમારા અધ્યાસા–અનેક પેઢીઓથી ચાલતી આવતી ખાટી માન્યતાઓ અને ટેવે–તે અભ્યાસથી ( તાલીમથી ) દૂર કરેા તે। હમારા સંતાન હમારા કરતાં વધુ આરેાગ્યવાળાં થશે (આરેાગ્ય શબ્દ હું અંતઃકરણના આરાગ્યના અમાં ખેાલું છું ) અને હેમનાં સંતાન તેથી ય વધુ આરેાગ્યવાળાં બનશે. એમ કેટલીક પેઢી પછીને તનદુરસ્ત પુરુષ–મુક્તપુરુષ પાકશે અને એવા મુક્ત જ્યાં હશે ત્યાં મુક્તિ જ અનુભવશે. હિંદ તે વખતે આપેાઆપ મુક્ત થયું હશે. જા મુકત હતા તે। અંગ્રેજો–ફ્રેંચા–અમેરિકના વ્હેમને હરાવવા છતાં ગુલામ ન જ બનાવી શકયા. હમારા સંતાન મુક્ત હશે ત્હારે અંગ્રેજો કે અમેરિકના કાઈ એમને ગુલામ નહિ બનાવી શકે. જે લેાકા શાસ્ત્રોના રહસ્યને પકડવાની ના કહી બાહ્ય ધમાલેા અને વહેમાને વળગવાના આગ્રહ કરે છે તેએ હેમની એ વૃત્તિથી ખીજાએને ધથી વિમુખ બનાવે છે અને હજી-જો આમ જ ચાલુ રહેશે તા–એક દિવસ એવા આવશે કે જ્યારે સધળા હિંદીઓ ધને સમૂળગા છેડશે. હું ધર્મીએ એ પસંદ કરે છે ? શું એ સ્થિતિ પસ કરવા જેવી છે? હરગીજ નહિ. રાજ ધર્માંની અસર જતાં યુરેાખન પાલીટીકસ-ગદા પ્રપંચનું જોર વધ્યું છે. યુરેાપ એ સેતાનની એડીમાંથી છૂટરો તે તત્ત્વજ્ઞાનની મદદથી; કારણ કે તત્ત્વજ્ઞાનમાં ધની કુમાશ છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૯ સાયન્સની નિષ્ઠુરતા પણ છે. અને તેથી યુરેાપી પ્રજાને તે વધારે અનુકૂળ થાય એ સ્વાભાવિક છે, પણ હિંદ જો ધમ ગુમાવશે તે જંગલી–રાક્ષસી જ–બની જશે. એના અનિયત્રિત માનસને કાબૂમાં રાખનારી એ એકની એક ચીજ નાબૂદ થાય એ એના વિકાસને અને મુકિતને માટે નહિ છવાજોગ છે. પણ હિંદ એના અતિધર્મોને લીધે જ ધર્મના નાશ કરી બેસશે તે। કાણુ અટકાવી શકશે? અધ્યાસાનાં––પાપાનાં——દળીઆં હિંદી માનસમાં એટલાં જામી ગયાં છે કે, મ્હને તે દળીમમાંથી અંશે છૂટતાં ૩૫ વર્ષ મનનરૂપી તપમાં ગાળવાં પડયાં. મ્હે જે અનુભવ આજે—વગર સહાયે— મેળબ્યા તે હું ખીજાને ૬ માસમાં આપી શકું. તે એવા કાઇ ૧૭ વર્ષની વયે મળ્યે હાત તે મ્હારાં ૩૫ વર્ષો બચત અને તે ૩૫ વર્ષમાં મ્હેં કેટલીએ શક્તિ મેળવી હાત. મ્હારૂં આ નુકસાન ધ`ગુરૂએ અને ધગ્ર ંથેાના ફાટેલા રાફડાને અભારી છે. હું એમને જીવતાં સુધી શાપ દઈશ, છાપરે છાપરે એમને માટે શાપ લખીશ, દમબદમ એમને બદદુવા દઇશઃ એ મ્હારા જાપ છે-એ મ્હારૂં ધ્યાન છે. એથી લાકા ચેતશે, જાગશે, નવાં ચક્ષુ પામશે. જૂની મૂત્તિએ માત્રનેા ભાગી ભૂકા થશે. એથી મ્હારૂં નહિ તા લાખા–ક્રોડા હિંદીઓ પૈકીના એકાદની સામી પેઢીના સંતાનનું કલ્યાણ થશે તે મ્હારૂં જ કલ્યાણ છે. મ્હને જૈના અને હિંદુએ કહે છે તે સિદ્ધશીલા અને વૈકુડ હગવાય નથી જોઈતું. અહીં જ વૈકુ છેઃ એકાદ પણુ કાઇ જાગતા થાય તે એને જોવાથી જ મ્હારૂં વૈકુંઠ છે. મા. મા, શાહ Ο ઘાટકાપર વા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશ મહાયુદ્ધ આખા જગતને ખળભળાવી મૂકયું છે. સર્વત્ર રાજકીય, સામાજિક, ધાર્મિક તથા વ્યાપારવિષયક પુનર્વ્યવસ્થા થવા લાગી છે. જૂના પોશાક નવા દેહને બંધબેસતા નથી થતા એવું ભાન સર્વ પ્રજામાં ઉગવા લાગ્યું છે. હિંદમાં પણ પુનરૂત્થાનની ચર્ચાઓ ચોતરફ થવા લાગી છે,-- હા માત્ર ચર્ચાઓ અને વાતો જ હજી તો થવા લાગી છે, અને તે પણ બહુધા વિતંડાવાદ તરીકે. હિંદી માનસ (Mentality ) રૂપી ક્ષેત્રને નિયમિત ખાતર આપવાની કાળજી કર્યા સિવાય એમાંથી ઘણું પાક લેવાઈ ચુક્યા હોવાથી એ “જમીન' કસ વગરની બની ગઈ છે, તેથી ગતિશીલતાને બહુધા અભાવ છે. હિંદનું પુનરૂત્થાન હિંદી માનસને પૂર્ણ પલટ માગે છે, પણ શિક્ષણસંસ્થાઓ અને રાજદ્વારી સંસ્થાઓ માનસ શબ્દને ફક્ત બુદ્ધિના અર્થમાં ગોંધી રાખતી જણાય છે અને ધર્મસંસ્થાઓ હેને માત્ર લાગણુના અર્થમાં ગાંધી રાખતી જણ્ય છે. પરિણામે અર્ધમનુષ્યો” જ પાકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ હિંદ જ્યારે તનદુરસ્ત માનસ ધરાવતું હતું તે વખતના હેના તત્વવેત્તાઓએ માનસનું સ્વરૂપ સારી રીતે વિચાર્યું હતું અને હિંદીઓના આખાય માનસના આરોગ્ય તથા વિકાસનું સાયન્સ શોધ્યું હતું. તેઓ “માનસ” ને “અંતઃકરણ” કહેતા અને એમાં મન, બુદ્ધિ, ચિત્ત તથા “અહંકાર એવાં ચાર સૂક્ષ્મ અંગાને સમાવેશ કરતા. “અહંકાર એટલે વ્યકિતત્વ (Individuality) જેમાં ચારિત્ર (character) નો વાસ છે, એને Will (ઈચ્છાશકિત, સંકલ્પબળ ) કહે તે પણ ચાલે. તાત્પર્ય કે માણસના બાહ્ય શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો એ જેમ મુખ્ય “અંગ” અથવા “કરણ છે, તેમ હેના આંતરશરીરમાં (અંતઃકરણમાં) મન, બુદ્ધિ, ચિત્ત અને વ્યક્તિત્વ એ ચાર ‘કરણ” અથવા અંગ છે. અને એ પ્રત્યેક કરણ જ્યારે તનદુરસ્ત હોય એટલું જ નહિ, પણ એક-બીજાથી સહકાર કરતા હોય ત્યારે જ એમ કહી શકાય કે અમુકનું માનસ બરાબર છે, અર્થાત્ અમુક મનુષ્ય “સ્વાભાવિક સ્થિતિમાં છે. એ ચાર અંગેમાંનું એક પણ અંગ બીમાર, મુડદાલ, દબાયેલું, સહકાર નહિ કરનારૂં, સ્વછંદી બને તે મનુષ્યની અંદરની મશીનરી અવ્યવસ્થિત થાય અને એ ક્ષણભર પણ ભૂલવું ન જોઈએ કે મનુષ્યની સઘળી ક્રિયાઓ પ્રથમ “અંતઃકરણમાંથી જ પ્રકટે છે. ક્રિયા કરવાની ઈચ્છા ત્યાંથી જ ઉદભવે છે, ક્રિયાની દિશા ત્યાં જ નક્કી થાય છે, અને યિાનું બળ પણ ત્યાંથી જ મળે છે. એટલે જે પ્રજાએ, “સંપૂર્ણ મનુષ્ય ઉપજાવવા હોય તેણે માનસના ચાર અંગોના આરોગ્ય, વિકાસ તથા સહકાર તરફ લક્ષ ઠેરવીને જ શિક્ષણ પદ્ધતિઓ મુકરર કરવી જોઈશે, એ દષ્ટિએ જ લગ્નાદિ સામાજિક પ્રશ્નોની પુનવ્યવસ્થા કરવી જોઇશે અને એ દૃષ્ટિએ જ રાજકીય પુનરૂત્થાનના પ્રશ્નો હલ કરવા જોઇશે. આટલી સહમજ એ પુનરૂત્થાનનું કામ કરનારાઓ માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩ર પહેલામાં પહેલી જરૂરીઆત છે અને કામ બરાબર કરી શકવા માટે તો કામ કરનારાઓએ પ્રથમ પિતામાં એ “આરોગ્ય” ઉપજાવવું જોઈશે, તે સિવાય એ “સહમજ' ને ચાલુ પ્રશ્નો પર લાગુ પાડવામાં અને એ રીતે સાચો માર્ગ શોધવામાં ભૂલ જ થવાની. શિક્ષણ ખાતાના વડાઓ ગમે તેટલા વિદ્વાન ભલે હે પણ એમના માનસનાં ચારે અંગે તનદુરસ્ત ન હોય તો શિક્ષણપદ્ધતિ, વાંચનમાળાની યોજના, શિક્ષકોની પસંદગી ઇત્યાદિ બાબતોમાં “સાચા નિર્ણય” નહિ જ થઈ શકવાના. ચારે અંગેની એકતારતા (Harmony) થી બુદ્ધિ પ્રબુદ્ધ (enlightened) બની જે સાચે માર્ગ દેખાડે છે તે કાંઈ નરા બુદ્ધિતત્વથી જ નહિ દેખાય. તાત્પર્ય કે, આ પ્રાથમિક સત્યના સ્વીકાર અને અનુપાલનથી આખી શિક્ષણ સંસ્થા પલટાઈ જશે, સમાજસંસ્થા પણ પલટાઈ જશે અને એ રસ્તે કામ કરનારાઓમાં નવી અને અતિ મહાન જોખમદારીનું ભાન ઉગશે. તેમાં નવું “ઉંડાણ” અને નવું ઉંચાણ” પ્રકટશે અને શિક્ષણ વિષયક, સમાજ વિષયક તથા રાજકીય પ્રશ્નોના ખરા ઉત્તરે તે વખતે જ “સૂઝશે.” એ ઉપર કહેલા માનસનાં ચારે અંગો પૈકીના એકાદ અંગની બીમારીનું જ પરિણામ છે કે એક વર્ગ ધર્મસંસ્થાને જ હમ્બગ કહેવામાં આનંદ માને છે અને એક વર્ગ ધર્મના નામની દરેક ચીજને દરેક બાબતમાં આગળ કરવામાં પવિત્રતા માને છે. બને વર્ગ એવા છે કે જેઓ ધર્મના “મૂળ” માં ગયા નથી અને એ સંસ્થા–એ “જીવનકલા – શેધનારાઓના છૂપા આશયને પહોંચી શક્યા નથી. આ લખનારે અડધી સદી જેટલું આયુષ્ય ધર્મ, આધ્યાત્મ, માનસશાસ્ત્રની વિચારણામાં ગુજાર્યું છે, અને તે જ વખતે એમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૩ જીવન પરની અસરે વિચારી છે; પિતા પરની તેમ જ પિતાના ઉપદેશોએ લાખો મનુષ્યો પર ઉપજાવેલી અસરો અને એનો અનુભવ કહે છે કે હિંદી ધર્મે મૂળ માનસને ઘડવા માટે સંજાયા હતા,–જે કે પાછળથી બીમાર માનસના હાથમાં આવી પડવાથી દલીલના વિષય બનાવવામાં આવ્યા હતા. એનો અનુભવ એ પણ કહે છે કે ઘડતરકાર્ય કરનારમાં ઘડતરના સાયન્સનું જ્ઞાન અવશ્ય જોઈએ, પણ જેમના ઉપર ઘડતરકાર્ય થાય છે તેઓને તો સાયન્સ નહિ પણ કલા જ આપવી જોઇશે. હા, એ કલા આરોગ્ય અને શક્તિ આપનારી હોવી જોઈએ, નહિ કે બીમારી pya 3421156. Man can not and does not live by logical truths. The will-to-live demands what may be philosophically termed 'Lies'. 242 હજારો વર્ષના હિંદી સંસ્કાર જોતાં હિંદનું ઉત્થાન કરવામાં તે ધર્મ નામની “ કલા”ની અવગણના કરવી કોઈ રીતે કાર્યસાધક થશે નહિ. હિંદુઓ, જેને, પારસીઓ, મુસલમાન સર્વ ફર્યાદ કરતા રહ્યા છે કે જાહેર શાળાઓમાં ધાર્મિક શિક્ષણનો પ્રબંધ થવો જોઈએ. દરેક ધર્મવાળાઓએ ખાનગી ધાર્મિક કલાસો તો ખાલી જ હોય છે. ભિન્ન ભિન્ન ધર્મનું શિક્ષણ જાહેર શાળાઓમાં આપવું શક્ય નથી, અને કેઈ અમુક શહેરમાં જુદા જુદા ધર્મવાળાઓ પોતા તરફથી સાધનો પૂરાં પાડે તો પણ એ શિક્ષણ તનદુરસ્ત માનસ ઘડવામાં ઉપયોગી થઈ શકવાનું નથી. દરેક ધર્મની ખાનગી કલાસનું એ જ પરિણામ આવ્યું છે. ત્યારે એ ખાનગી કલા અને જાહેર સ્કુલો માટે શું એવા એક પુસ્તકની જરૂર નથી કે જે સધળા ભિન્ન દેખાતા ધર્મોના અનુયાયીઓની જરૂરીઆત પૂરવા ઉપરાંત યુવકે અને કન્યાઓનું માનસ ઘડવામાં ઉપયોગી થઈ પડે ? ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ એ જરૂરીઆતે જ આ હાનું પુસ્તક લખવાની પ્રેરણા કરી છે. નવા તનદુરસ્ત હિંદી ઘડવાને આ પુસ્તકનો આશય છે. લખનાર અંતઃકરણથી ઈચ્છે છે કે દરેક શિક્ષક અને શિક્ષિકા તથા દરેક દંપતી આ પુસ્તક મનનપૂર્વક વાંચે અને પિતાનું તથા પિતાના હાથ નીચેનાં બાળકોનું માનસ ઘડવામાં એ જ્ઞાનને ઉપયોગ કરે. વિચારશક્તિ ખિલવા પામી હેય એવા પ્રત્યેક કુમાર અને કુમારિકાને પણ આ પુસ્તકને કાળજીપૂર્વક અભ્યાસ કરવાને લેખક આગ્રહ કરે છે, અને એને વિશ્વાસ છે કે આસ્તિક તેમ જ નાસ્તિક બન્નેને પિતાના જીવતરના કડીઓ બનવામાં આ પુસ્તક અવસ્ય ઉપયોગી થશે. ભિન્ન ભિન્ન ધર્મ સંસ્થાઓના અનુયાયીઓ આ પુસ્તકમાં પોતાના ધર્મનાં મૂળતને આબાદ રક્ષાયેલાં જોશે. તે જ વખતે વળી સાયન્ટીસ્ટ અને સાઈકોલોજીસ્ટ પોતાના દૃષ્ટિબિંદની સલામતી જોઈ શકશે. ઘાટકેપર (મુંબઈ). દીપોત્સવી, ૧૯૮૭ વા, મે, શાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ आपणे कोण ? હદ આપણે દેશ છે. આપણા પૂર્વજે હજારે વર્ષથી આ દેશમાં રહેતા આવ્યા છે. જ્યારે દુનિયાના બીજા ભાગમાં વસનારા મનુષ્યબંધુઓ હજી જંગલી કે અણઘડ સ્થિતિમાં હતા ત્યારે પણ આપણું હિંદના લકે બધી બાબતમાં આગળ વધેલા હતા અને તેથી અખિલ જગતમાં તેમનું સન્માન થતું હતું. સન્માનને પાત્ર મનુષ્યને સંસ્કૃત ભાષામાં આર્ય કહેવાય છે. સંસ્કૃત ભાષા દુનિયામાં જૂનામાં જૂની ભાષા હતી, જેમાંથી હિદની હાલની ભાષાઓ તેમજ યુરોપની ભાષાઓ જન્મ પામી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૬ આર્યધર્મ : લેખક, વા. મ. શાહ આપણા પૂર્વ સન્માનને યેગ્યા હતા અને સર્વત્ર સન્માન પામતા હતા તેથી જ તેઓ “આર્ય” કહેવાતા, સ્ત્રીઓ “આર્યા ” કહેવાતી. એમનામાં એ પાત્રતા કેવી રીતે પ્રકટી હતી? હિંદુ ધર્મ તેઓમાં જ્ઞાનશક્તિ તથા ક્રિયાશકિત પ્રકટાવી આપી હતી, જેથી તેઓ—સ્ત્રીઓ તથા પુરુષ સર્વે–પિતાના શરીરને ખિલવી શક્યાં હતાં, બુદ્ધને ખિલવી શક્યાં હતાં અને વ્યક્તિત્વ અથવા ચારિત્રબળને ખિલવી શક્યાં હતાં. સર્વ દિશાની એ ખિલવટને લીધે એ સ્ત્રી-પુરુષ પરાક્રમી અને તેથી ઉદાર બન્યાં હતાં, પરાક્રમને લીધે તેઓ આખી દુનિયામાં પગપેસારો કરી શકયા હતા અને ઉદાર પ્રકૃતિને લીધે સન્માન પામ્યા હતા. * આર્ય” અને “આયશબ્દ એમના એ ગુણેને લઈને જ એમને લગાડવામાં આવ્યા હતા. અને એમનામાં એ ગુણે-જ્ઞાનશકિત તથા ક્રિયાશક્તિ-હિંદુધર્મ પ્રકટાવ્યા હતા. એ વખતને હિંદુધર્મ વહેતી નદી–જીવતી નદી જ હતઃ બંધીઆર પાણીના ખાબોચીઆ જે ન હતો. જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિના ભંડળ સમાન ત્રષિએ હેટી સંખ્યામાં હતા, જેઓ ધર્મની નદીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ આપણે કોણ ? વહેતી–જીવતી–નિરંતર પ્રેરણા આપતી, નિરંતર રૂપ બદલતી રાખવામાં કુશળ હતા. એ ત્રાષિઓ હિંદી સ્ત્રી-પુરુષને દરેકની માનસિક સ્થિતિના પ્રમાણમાં ભિન્ન ભિન્ન માન્યતાઓ અને ભિન્ન ભિન્ન ક્રિયાકાંડ આપતા અને એક વાર આપેલી માન્યતાઓ અને ક્રિયાકાંડથી થવું જોઈને બુદ્ધિવિકાસ થયા પછી જૂદી જ માન્યતા અને જુદે જ ક્રિયાકાંડ આપતા અને એમ ક્રમે ક્રમે તેઓને વિકાસ કરી આપતા. સઘળી માન્યતાઓ અને સઘળા ક્રિયાકાંડ ઇલાજ તરીકે, સાધન તરીકે, પગથીઆ તરીકે શિખવાતાં, નહિ કે છેવટના સત્ય તરીકે. એક પગથીઆ પરમનુષ્યને પગ દ્ધ થયો એટલે તેને ઉપલે પગથીએ જવાની પ્રેરણું કરવા માટે નવી જ માન્યતા અને નવી જ કિયા શિખવતા. કઈ પણ એક પગથીઆ પર મનુષ્ય સ્થિર થઈ બેસે તે વહેમી કે ધર્મઝનુની બની જાય એ તેઓ બરાબર હમજતા હતા તેથી દરેકને “એ નહિ, એ નહિ” એમ કહી આગળને આગળ ધકેલતા હતા –પ્રગતિ કરાવતા હતા; અને જ્યારે પુરુષ કે સ્ત્રીમાં જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિ બરાબર પ્રકટતીએટલે કે “વ્યક્તિત્વ” પ્રકટતું––ત્યારે હેને સ્વતંત્ર વર્તન કરવા દેતા. એથી જ હિંદમાં સેંકડે ધર્મો અને હજારે માન્યતાઓ જોવામાં આવે છે. ધર્મના મૂળ આશયને નહિ હમજનારાઓ આજે એમ ભય બતાવે છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આર્યધર્મ ઃ લેખક, વા. મે. શાહ જ્યાં ઘણા ધર્મો હોય ત્યાં એકતા ન થઈ શકે.” પણ વસ્તુતઃ ઘણા ધમે થવા પામ્યા એ તે હિંદી માનસની સ્વતંત્રતા–વ્યક્તિત્વની ખિલવટ સૂચવે છે. હા, એ જુદા ધર્મો મૂળ આશયમાં ન મળતા હોય અને જાદા ખાબોચીઆ તરીકે જ જીવતા હોય તો તે અલબત ભયરૂપ છે, કે જેમ આજે બનવા પામ્યું છે. કોઈપણ માન્યતા અને કોઈપણ ક્રિયાકાંડને છેવટના સત્ય તરીકે, સાધન નહિ પણ સાધ્ય તરીકે, નરા સત્ય તરીકે, મનાવવાને દુરાગ્રહ થાય ત્યારે લેકેમાં જડતા, ધમધપણું, પ્રગતિને બદલે ઝનૂનીપણું અને હેમીપણું આવે, એક્તાને ભંગ થાય અને પ્રજા સડવા લાગે. એમ કયારે બનવા પામે ? ધર્મગુરૂ જે અધૂર, અપકવ, બીન અનુભવી જ્ઞાન-ક્રિયાશકિતના ભંડોળ વગરને સ્થિતિચુસ્ત, પ્રમાદી થાય તે જ, જીવનસંગ્રામ ખેલીને પરાક્રમ કર્યા પછી જ અને તે દ્વારા જ્ઞાનશક્તિ પણ પૂરી ખિલવ્યા પછી જ ઋષિ કે ધર્મગુર બનવાને જે કાળે રિવાજ હતો તે કાળે વિવિધ હિંદુ ધર્મે સ્થપાયા હતા તેથી તે વખતે પ્રગતિને ભય નહોતે. તેઓ તે અમુક બદલાતી માન્યતાઓ અને ક્રિયાકાંડો વડે સ્ત્રી-પુરુષને ઉંચા ને વધુ ઉંચા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ આપણે કેણ ? ૩૯ સંસ્કાર”( Culture ) આપી તે પછી માન્યતાઓ ભૂલાવી દેતા. કારણ કે માણસને જરૂર છે સરકારની, નહિ કે માન્યતાની. સંસ્કાર આપવા એ મનુષ્યના અંતઃકરણરૂપ જમીન પર કૃષિકાર્ય–ખેતી--કરવાનું કામ છે. પ્રત્યેક આત્માને બે શરીર છે: એક, સ્કૂલ શરીર અને બીજી, સૂરમ શરીર. સ્કૂલ શરીર તે પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિયો. સૂક્ષ્મ શરીર તે અતઃકરણ, જેમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અથવા “હું” એવું વ્યક્તિત્વભાન જેમાં ચરિત્ર રહેલું છે તે. સઘળી શક્તિએ આ ચાર સૂક્ષમ “કરણ”માં – અંતઃકરણમાં રહેલી છે. જ્ઞાનેન્દ્રિયે અને કર્મેન્દ્રિયને ચલાવનાર બળ અત:કરણમાં છે. ખેત જમીનની ઉપર નહિ પણ જમીનના પેટમાં –અંતરમાં ખેતી કરે છે. તેમ જ શિક્ષક કે ધર્મગુરૂ પણ મનુષ્યના અંતઃકરણ પર જ ખેડાણ કરે છે અને ત્યાં સંસ્કાર નાખે છે, કે જે સંસ્કાર મુજબ જ મનુષ્ય જીવનનું દરેક વર્તન આપોઆપ થવા પામે છે. અંતઃકરણ પર ઉંચા સંસ્કાર નાખવાની હિંદી કષિઓની કળાનિપુણતાને લીધે જ હિંદી હદ • ખેડાયલાં ” બન્યાં હતાં, અને તેથી જ તેઓ “આર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આર્યધર્મ : લેખક, વા. મા. શાહ અર્થ · સારી રીતે " ' કહેવાતા. · આર્ય - શબ્દના એક ખેડાયલા' એવા પણ છે. પણ તે દિવસે વહી ગયા. આપણા દેશમાં અનેક જાતિઓ આવી, અનેક થયા,—અને આપણા જેએ ધર્મને વહેતી નદી' ધર્મા આવ્યા, અનેક રાજપલટા ઋષિએ ન રહ્યા; ઋષિએ કે તરીકે જીવતા રાખી શકતા. ઋષિઓ ન રહ્યા તથી આપણા ધર્મો માત્ર માન્યતાઓ અને ક્રિયાકાંડ રૂપે રહી ગયા. ખુદ સંસ્કાર અથવા ‘ ઉંચી ટેવ ’ એ પણ વહેમી વર્તન રૂપે પડછાયા રૂપે –– રહી ગયા. ઋષિઓના વખતમાં શક્તિ પર સઘળું ધ્યાન અપાતું, હવે માન્યતાઓ અને ક્રિયાકાંડનાં ખાખાં સર્વસ્વ મનાવા લાગ્યાં. પ્રકાશનું સ્થાન અંધકારે લીધું: શક્તિની પૂજાને બદલે અશકિત—સડાની પૂજા ચાલીઃ અંતઃકરણની ક્રિયાને સ્થાને સ્થૂલ શરીરની ધમાલમાં જ સો રચ્યાપચ્યા રહ્યા, જેથી અશકિત વધતી ગઈ અને આખરે શક્તિવાળી પ્રજાએ એક પછી એક આપણને ગુલામ બનાવવામાં તેહમંદ થઈ. - સંસ્કાર — અત:કરણના સંસ્કાર — ઉંચી દેવા જ્ઞાનતંતુએ ( Nerves ) ને પડેલી ઊંચાં જ કાા કરવાની ટેવે! જ્યારે અદશ્ય થાય ત્યારે મિથ્યાભિમાન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com — Page #46 -------------------------------------------------------------------------- ________________ આપણે કોણ ? ૪૧ વકતા અથવા છૂપી રીતે હલકું કામ કરવાની પ્રકૃતિ અને બુદ્ધિની જડતા : આ સર્વ જરૂર આવે જ. અને એ સ્થિતિમાં કલહ સિવાય બીજું કાંઈ જ ન હોઈ શકે. દેશમાં કલહ, નાતજાતમાં કલહ, કુટુમ્બમાં કલહ, અને પોતાની જ ઈચ્છા અને બુદ્ધિ વચ્ચે પણ કલહ ચાલ્યા કરે. ઉંચા સંસ્કાર હોય ત્યાં ઈચ્છા, બુદ્ધિને અનુસરનારી દાસી હોય કે સખી હોય. ઉંચા સંસ્કાર ગયા તે હમજવું કે ઈચ્છા અને બુદ્ધિ વચ્ચે કલહ જ થવાના અને ઘણું વખત બુદ્ધિ હારવાની. એટલે કે બુદ્ધિ વગરનાં જાનવર જેમ ઈચ્છાથી દેરવાઈને જ વર્તે છે તેમ મનુષ્ય પણ ઈચ્છાની આજ્ઞા મુજબ જ વર્તવાને. તેથી સ્વાભાવિક રીતે જ મનુષ્યનું જીવન યોજના વગરનું, ઇયેય વગરનું, ફેંકાફેંકરૂપ, ધાંધલરૂપ કીટવત, પશુવત્ જ બને. સ્વદેશપ્રેમ જેવી વિશાળ ભાવના ત્યાં ન હોઈ શકે અને વિશ્વભાવનાને તે સંભવ પણ ન હોય. કારણ એ જ છે કે આજે આપણે આર્ય” અને “આર્યા નથી રહ્યાં. અંતઃકરણની બીમારીએ આપણું શરીરને પણ નિર્બળ અને રેગી બનાવ્યું છે. આપણું ગૃહજીવન તેમ જ સમાજજીવન તેથી જ રેગી બન્યું છે. અને તેથી જ આપણને બીજી પ્રજાઓ માનપાન આપવાને બદલે “અસ્પૃશ્ય માને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ આર્યધર્મ : લેખક, વા. મેા. શાહ એક વાર ફરીથી હિંદમાં આર્યધર્મને જગાડવાની કૈાશિશ થવા લાગી છે. એક વાર ફરીથી નવા આ અને નવી આયો ઘડવાના પ્રયત્ના શરૂ થયા છે. સર હિંદીહૃદય ધર્મથી એટલા લાંખા વખતથી ટેવાયેલું છે કે એને જગાડવા અને ખિલવવા માટે ધર્મને છેડીને કરાતા કેઈ પ્રયત્ન સફળ થવાના સંભવ નથી, પણ સેંકડા ધર્મોવાળા દેશના મનુષ્યને કયા એક ધર્મ વડે પદ્ધતિસર કેળવી શકાશે ? કોઇપણ ધર્મવડે તે બની શકે: માત્ર ધર્મથી જે પરિણામ ઉપજાવવાનું છે તે ધર્મોપદેશકે ખરાખર જાણવું જોઇએ અને દરેક ઉપદેશ એ ધ્યેય પર દષ્ટિઠેરવીને જ કરવા જોઇએ. દરેક ધર્મની માન્યતાઓ અને ક્રિયાકાંડના મૂળ રહસ્યમાં ઉતરવું જોઇએ. પાણી જેટલું નીચે ઉતારા તેટલું જ ઉંચે ડુડી શકશે, રહસ્ય શેાધવામાં જેમ ઉંડા ઉતરશેા તેમ ઉંચી ષ્ટિ અને ઉંચુ જીવન બનશે. મનુષ્ય માળકમાંથી યુવાન બનતા જાય છે તેમ તેમ હેનાં કપડાં ખદલાતાં જાય છે એટલું જ નહિ પણ એના શરીરના દરેક પરમાણું ખદલાઇ જાય છે, આ બદલાવું એ વિકાસનું પરિણામ છે અને તેથી સ્વાભાવિક છે. તેવી જ રીતે માણસના ધર્મ પણ એના વિકાસ કરી આપી અદશ્ય થાય છે અને નવા ધર્મને જગા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ આપણે કોણ? ૪૩. આપે છે. જેનું માનસ (અંતઃકરણ) ખિલતું રહે છે ત્યની બાબતમાં આમ સ્વભાવતઃ બનતું રહે છે. * * આયો બનાવનારા સંસ્કાર આપવાને આ ન્હાના પુસ્તકને આશય છે, પણ સંસ્કાર એવી ચીજ છે કે જે બોલનાર અને સાંભળનાર બનેને સહકાર માગે છે. સાંભળનારે બધા તર્કવિતર્કને દાબી રાખી એકચિત્ત સાંભળવું જોઈએ, અને સાંભળેલું (વાંચેલું) ચિત્તમાં લઈ જઈ ત્યાં એને મનનરૂપ પિષણ આપવું જોઈએ અને તે પછી ઉત્સાહપૂર્વક એને ક્રિયામાં મૂકવું જોઈએ. વારંવાર ક્યામાં મૂકવાથી “સંસ્કાર ” બની જાય છે. હિંદુધર્મ કે જૈનધર્મની કોઈપણ શાખાને માનનારી હેનને આ પુસ્તકમાં પિતાને જ ધર્મ દેખાશે. અને આ પુસ્તકના ઉપદેશ વડે પિતામાં સંસ્કાર પાડનાર દરેક બહેન પિતાના કૂળને, જાતિને, ધર્મને તેમ જ દેશને ગૌરવ આપનાર થશે,–સૌથી વધુ લાભ તે એ થશે કે પ્રજા ઉત્તરોત્તર ચઢીઆતી થશે, અને એક દિવસ એ પ્રજાની પ્રજા જ હિદને મુક્તિ આપશે. હિંદની મુક્તિ એ જ પ્રત્યેક આર્ય અને આર્યાની મુકિત. જેઓ અહીં મુક્તિ મેળવી શક્તા નથી અથવા મુકિતની સમીપ પણ જઈ શકતા નથી તેઓ માટે કયાંય પણ મુકિત નથી જ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ आर्या આર્યા એટલે સન્માનને એગ્ય સ્ત્રી માન કે સન્માનને ચગ્ય તે મનુષ્ય છે કે જેના દેદાર, જેના વિચાર, જેની વાણું અને જેનું વર્ણન જેવાથી હરકેઈ સુઘડ મનુષ્યના જીગરમાં આપોઆપ સંતેષ થવા પામે. માન માગ્યું મળતું નથી, માન મેળવવા ઈચ્છનાર પિતા પ્રત્યેનું માનવમાન ગુમાવી બેસે છે. જે પિતા તરફ વફાદાર છે તે જ પિતા તરફ માન-સ્વમાન ધરાવી શકે છે. કોઈપણ વાસણ ખાલી રહી શકે નહિ ? કાંઈ નહિ ભર્યું હોય તે હવા હશે જ. કાંઈ નહિ વાગ્યું હોય એવી જમીનમાં નકામા રોપા ઉગશે. સ્વમાન જે હૃદયમાં નહિ પ્રકટાવ્યું હોય તેવા હદયમાં મિથ્યાભિમાન ઉગી નીકળશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ આર્યો અધી અતિએ અને બધી પડતીઓનું મૂળ એક માત્ર મિથ્યાભિમાન છે. અધી શક્તિ અને ચડતીનું મૂળ કારણુ સ્વમાન છે. સ્વમાનવાળા મનુષ્યને માનષ્ટિથી જોવાનું ત સ્વમાનવાળા મનુષ્યથી જ મને,–મિથ્યાભિમાનીથી નહિ. સ્વમાન વગરના લેાકેા તરફથી અપાતું માન કિંમત વગરનું છે, અને તે સ્વીકારનારને જ નુકસાનકારક છે. સ્વમાન વગરના લેાકેા તરફથી થતી પ્રશંસા કાઇ છૂપા સ્વાર્થથી કરાતી ખુશામત હાય અગર ક્ષણિક તરંગરૂપ હાય. સ્વમાન વગરના લેાકેા તરફથી થતી પ્રશંસાથી રીઝે કે એમનાથી અપાતું માન સ્વીકારે તે ‘ આર્યો ’ નહિ પણ અણુઘડ સ્ત્રી, સ્વમાન વગરના લેાકાથી કરાતી નિંદા કે અપમાનમાં કાંઇ જ અર્થ નથી—કાંઈ જ કિંમત નથી એની અસર પેાતાના મન પર થવા દેવી એ નિમૅળતા છે. આર્યો એવી અસરને વટાવી જાય. સ્વમાન વગરના લેાકાથી થતી પ્રશંસા અને નિંદાને પેાતાના મન પર અસર કરવા દે તે સ્ત્રી પ્રતિદિન ઉંચા ચારિત્રથી પતિત થાય, શક્તિ ગુમાવે, ચિત્તશાન્તિ ગુમાવે અને એના શેાખ દિનપ્રતિદિન હલકા થતા જાય. ફક્ત સ્વમાનવાળા મનુષ્યો તરફથી કરાતી પ્રશંસા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ આર્યધર્મ : લેખક, વા. મ. શાહ કે અપાતું માન જ કિંમતવાળું છે : એથી જોઈ શકાય છે કે આપણે કેટલા ટકા વિકાસ સાધી શકયા છીએ. માન એ ગુણોની સુગંધ છે. ગુણ કેઈ ક્ષણિક કલ્પના નથી, પણ અંતકરણની શકિત છે. ગુણોની ગેરહાજરી હોય ત્યાં જ અને માત્ર ત્યાં જ માનની ઈચ્છા હોય. મનુષ્યના મોટા ભાગમાં પુરુષે તેમ જ સ્ત્રીઓમાં ગુણેની એટલે અંતઃકરણના બળોની ગેરહાજરી હોય છે. તેથી એમની પસંદગીઓ અને નાપસંદગીની કશી કિંમત નથી –એક “આર્ય” કે “આર્યાની દષ્ટિએ. ક્રોડ સ્વમાન વગરના લેકે વખાણે અને એક સ્વમાનવાળે મનુષ્ય ખેડે ત્યારે સમજવું કે આપણું જીવન આર્ય જીવનથી કંઈક ઉતરતું હોવું જોઈએ. કોડ સ્વમાન વગરના લેકે વડે કે નિદે અને એક સ્વમાનવાળે મનુષ્ય પ્રસન્ન થાય ત્યારે સમજવું કે આપણે ખર રસ્તે છીએ. લેકે ના માન-અપમાન બનેથી બચવું હોય તેણે સ્વમાનની માત્રા દિનપ્રતિદિન વધારતા જવું ઃ તે જ સમતોલપણું રહી શકશે. જે કાંઈ વિચારો કે કરે છે એવું હોવું જોઈએ કે જેથી હમારું સ્વમાન વધવા પામે. ભલાઈ પણ માન માટે નહિ પણ સ્વમાન માટે જ કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ સ્માર્યો ४७ બીજાઓના સારા અભિપ્રાય ખાતર ભલાઈ પણ કરશે તે મારું મન નિર્બળ થશે, ગુલામવત થશે. હીરાની કિંમત ઝવેરીને જ હોય અને ગુણની કિંમત ગુણને જ હોય, તેથી ગુણુ, ગુણી તરફ વભાવતઃ પ્રેમ અને માન ધરાવે છે. જેનામાં પિતા તરફનું માન છે તે પિતાના ધર્મ અને દેશ તરફ સ્વભાવત : માન ધરાવે છે. હમારે ધર્મ આર્યધર્મની એક શાખા છે, હુમારે દેશ આર્યાવર્તનો એક ભાગ છે : તે બે તરફ માન ધરાવવા માટે હમારે સ્વમાન કેળવવું જ જોઈશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ आर्य धर्म આર્ય ધર્મ એટલે આત્માની ઢંકાયેલી, દબાયેલી શક્તિઓને પ્રકટાવનારી તાલીમ. આત્માની શક્તિઓ અંતઃકરણમાં રહે છે. અંત:કરણ એટલે અંદરના કરણ અથવા યંત્ર. અંદરના યંત્રે ચાર છે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. બહારના યંત્રો આંખ, કાન, નાક, જીભ અને ત્વચા છે. એ પાંચ યંત્રને ગતિમાન કરનાર મન છે. મનને માર્ગ સૂચવનાર–હિતાહિતની સલાહ આપનાર બુદ્ધિ છે. બુદ્ધિને પ્રકાશ આપનાર ચિત્ત છે. ચિત્તમાં રહેલી વાતને ક્રિયાશકિત આપનાર અહંકાર અથવા “હુંપણું–ચારિત્ર છે, એજ નિશ્ચયબી છે. આર્યા તે છે કે જેનામાં નિશ્ચયબળ ખિલ્યું હાય. નિશ્ચયબળ એ કોઈ નરી ઈચ્છા નથી, ચિત્તના પ્રકાશવાળી બુદ્ધિથી મનની ગતિ પર અંકુશ ધરાવ એ જ નિશ્ચયબળ (will ) છે. મનને હુકમ આંખ-કાન-જીભ વગેરે ઈન્દ્રિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૯ આર્ય ધર્મ પાળતી હોય એવા મનુષ્યને જાનવર જાણ. તે પિતાનું તેમ જ પારકાનું અહિત કરી બેસે છે. બુદ્ધિની આજ્ઞા મુજબ મનને વર્તાવવાને પ્રયત્ન કરવા એનું જ નામ “પુરુષાર્થ ” છે. લડાઈ લડવી એ પુરુષાર્થ છે એમ જેઓ કહે છે, અને જેઓ કહે છે કે ઈશ્વરનું નામ જયાં કરવું એ પુરુષાર્થ છે, તેઓ બને શાસ્ત્રીય પરિભાષા હમજ્યા નથી. બુદ્ધિની આજ્ઞા જ્યારે મન ન માનતું હોય અને હઠીલું થઈ ધાર્યું કરવા ફૂદાકૂદ કરી રહ્યું હોય ત્યારે હેને બીજે રસ્તે વાળવા ઈશ્વરનું નામ જપાય કે એને શાન્ત કરવા ધ્યાન ધરાય એ વાજબી રીતે તે વખતને પુરુષાર્થ છે, કારણ કે એમ કરવામાં મન ઉપર બુદ્ધિને ઉપગ થયે છે. લાંબા કાળની ગુલામીને લીધે અથવા ધર્મ સંબંધી ભૂલભરેલા કાઈ ખ્યાલને લીધે મનુષ્ય પ્રમાદી બની ગયે હોય ત્યારે જાતિ કે દેશ માટે સામાજિક કે રાજકીય યુદ્ધમાં ઉતરવું એ “પુરુષાર્થ ” છે, કારણ કે હેમાં પ્રમાદી મન પર બુદ્ધિએ પુરુષાર્થથી જય મેળવ્યો છે. પણ કૂદાકૂદ કરવી, કઈ નહિ ને કાંઈ ધમાલે કર્યો કરવી, પોતાની બુદ્ધિના ઉપગ વગર કેઈની ઉશ્કેરણીથી કોઈ જાતની લડાઈ કે પ્રવૃત્તિ કર્યા કરવી એ “પુરુષાર્થ નથી પણ પુરુષાર્થનું ખૂન છે. પુરુષાર્થ તે મનની સુરતી તેમ જ મનની સ્વછંદી કુદાકૂદ બનેને બુદ્ધિથી રેકવી એમાં જ છે. બુદ્ધિને તાત્કાલિક અવાજ એ સાચે અવાજ નથી. સંગેનું સાંગોપાંગ ચિત્ર દેરી બુદ્ધિ જ્યારે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આર્યધર્મ: લેખક, વા. મ. શાહ ચિત્તના ભેંયરામાં જાય અને ત્યાં પ્રકાશ ઝીલી જે નિર્ણય કરે એ જ નિર્ણય બુદ્ધિને સાચે અવાજ હેય. બુદ્ધિને ઠગારી કહી છે તે એટલા માટે કે ચિત્તને પ્રકાશ લીધા વગર બુદ્ધિ જે અભિપ્રાય બાંધે છે તે તાત્કાલિક લાભ માટેના હોય છે, અને તાત્કાલિક લાભ બધા પરિણામે ગેરલાભ ઉપજાવનારા હોય છે. જ ચિત્તના ભેંયરામાં જેમ વધુ વખત જવાય તેમ તેમ બુદ્ધિ વધુ પ્રકાશિત થવા પામે અને નિશ્ચયબળ વધુ દઢ થતું જાય. ચિત્તના ભેંયરામાં જનારે આડાઅવળા તર્કવિતર્કથી બચવું જોઈએ, અને એક જ પ્રશ્ન પર સ્થિર રહેવું જોઈએ; એ સ્થિરતા જ ચારિત્ર ઘડે છે. ચારિત્ર એ જ આર્યારૂપ વૃક્ષનું પુષ્પ. જ્યાં ચારિત્ર છે ત્યાં– સુખશીલી આપણું ન હોય, વેવલાપણું ન હોય, સાંકડું મન ન હોય, નિરૂત્સાહ ન હોય, અધીરાપણું ન હોય, છીછરાપણું ન હોય, છાકટાપણું ન હોય, ભીરૂપણું ન હોય, બાલિશતા ન હોય, જોખમદારીનું ભાન હોય, ધીરજ હેય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ એ आर्यधर्मनां चार अंग આર્યધર્મનાં ચાર અંગ છે : દાન, શીલ, તપ અને ભાવના. ચાર વડે ચારિત્ર ઘડાય છે. ચાર વડે ઉંચા સંસ્કાર અને છે. અને તે જ વખતે એ ચારથી ખીજાઓનું પણ હિત થવા પામે છે. મનુષ્ય જાતિમાં સુહેલશાન્તિ, એકતા, એક ખીજાના વિકાસમાં સહકાર અને જીવનનેા ભાર ઉપાડવાની સરળતા : ઉક્ત ચાર ક્રિયાઓનાં પરિણામ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ + दान દાન એટલે ઉદાર મનનું વર્તન. ક્ષમા એ દાન છે. કેઈએ અજાણપણે નુકસાન કર્યું હાય–શરીરથી, મનથી, વચનથી– તે એની બુદ્ધિને ગુન્હ નથી એ વિવેક કરવામાં આવે તે હેના તરફ સહજાસહજ ક્ષમાભાવ જ રહે. જાણીબૂજીને કઈ શરીરથી, મનથી, કે વચનથી નુકસાન કરે તે એની બુદ્ધિનું કાર્ય હે ગુહે છે. એના એ કૃત્યને “ગુન્હા” તરીકે જાણવું જોઈએ, પણ ઉશ્કેરાઈ જવું ન જોઈએ. ઉશ્કેરાઈ જવું એ પોતાની બુદ્ધિની નિર્બળતા સાબિત કરવા બરાબર છે. ગુન્હેગારને જતે કરો એ માનસિક નિર્બળતા છે, પણ ગુન્હેગારને જતે ન કરે એને અર્થ એ નથી કે કાયદે હાથમાં લે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ દાન ૫૩. ગુન્હેગારને ઠપકો આપવાથી તે સુધરશે એવી માન્યતા ભૂલભરેલી છે. એગ્ય સત્તાને ગુન્હો જાહેર કરો અને તે પs વૈરની ઈચ્છાથી નહિ, પણ સમાજની વ્યવસ્થામાં ફરી ફરી ભંગાણ ન પડે એવા ઉદાર આશયથી. અને એ ઉદાર આશય એ જ ક્ષમા ગુણ છે. એવી ઉદારતા પોતાના ચિત્તની શક્તિ માટે પણ જરૂરની છે. પિતાને કરાયેલી ઈજા માટે ક્ષમા કરવાને મનુષ્યને હક્ક છે, પણ સમાજ કે દેશને ઈરાદાપૂર્વક કરાતી ઈજા માટે ક્ષમા કરવાને મનુષ્યને હક નથી. જે મનુષ્ય પિતાના સમાજ કે દેશને ઈરાદાપૂર્વક કરાતી ઈજા સાંખે છે તેઓ ક્ષમાશીલ નથી, પણ કાયર છે, સાંકડી દષ્ટિવાળા છે, સ્વાથી છે. તેવામાં પિતાના પડકે કુટુમ્બમાં જ આખું જગત સમાયેલું જેનારા હોય છે. વ્યાપકબુદ્ધિના ઉપગપૂર્વક થતી ક્ષમા એ જ ક્ષમા છે, ટૂંકી બુદ્ધિથી કે બુદ્ધિને મુદલ ઉપગ નહિ કરવાથી કેઈનું દુષ્કૃત્ય સહન કરવું એ ક્ષમા નહિ પણ અતઃકરણની નિર્બળતા છે. ક્ષમા એ વીરનું–અંતઃકરણના બળવાળા મનુષ્યનું ભૂષણ છે. નબળાઓની કહેવાતી ક્ષમા એ જ જાતિ અને દેશના વિનાશનું મૂળ કારણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ પર આર્યધર્મ: લેખક, વા. મે. શાહ દુઃખી તરફ મનથી અનુકમ્મા કરવી એ દાન છે. કેઈનું દુઃખ ટળે કે ઓછું થવા પામે એવી સલાહ આપવી એ દાન છે. દુઃખીને દિલાસો મળે કે હિમ્મત મળે કે ઘડીભર દુઃખને વિસારે થાય એવું બોલવું એ પણ દાન છે. ભૂખ્યા-તરસ્યાને અન્નજળ આપવું એ દાન છે. વિદ્યાદાન પેટે આપવું કે અપાવવું એ દાન છે. રસ્તે ચૂકેલાને માર્ગ બતાવ એ દાન છે. લોકહિતના સુવ્યવસ્થિત કાર્યમાં દ્રવ્યથી, સિફારસથી કે જાતમહેનતથી ફાળો આપે એ દાન છે. બીમારની માવજત કરવી-કરાવવી એ દાન છે. ઘર, આંગણું, પળ, ગામ સાફ રાખવું–રખાવવું એ સાર્વજનિક દાન છે. જાતિમાંથી હાનિકારક રૂઢિઓ અને અજ્ઞાન દૂર થાય એવી પ્રવૃત્તિ કરવી કે કરાવવી તથા એવી પ્રવૃત્તિ કરનારને અનુમોદન તથા યથાશક્તિ સહકાર આપે એ દાન છે. સુખી કે જ્ઞાનીને જેઈમનમાં ખુશી થવું એ દાન છે. પોતાને દરરોજ કાંઈક નવું જ્ઞાન કે અનુભવ મળે એવી કાળજી રાખવી એ સ્વદયા અથવા શ્રેષ્ઠ દાન છે. * દાન માટે શ્રીમંત થવાની રાહ જોવી નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ દાન ૫૫ દાનનું મૂલ્ય ખર્ચેલી રકમ પરથી નહિ, પણ કેટલી ઉંડી લાગણુથી અને કેટલા વિવેકપૂર્વક દાન કરાયું તે પરથી જ આંકી શકાય. વિવેક એટલે સર્વ બાજુને વિચાર. વિવેક વગરનું દાન “પાપ”રૂપ પણ થાય. પાપ એટલે જે વિચાર, વાણી કે કૃત્યથી પિતાના કે પરના શરીર, મન, બુદ્ધિ, ચિત્ત કે વ્યકિતત્વને હાની પહોંચે તે. કેઈનું પણ પતન જેથી થાય તે પાપ. પુણ્ય એટલે જે વિચાર, વાણું કે કૃત્યથી પોતાના કે પરના શરીર, મન, બુદ્ધિ, ચિત્ત કે વ્યકિતત્વને હિત થવા પામે છે. કેઈને પણ નિર્મળ કરે-ઉન્નત કરે તે પુણ્ય. છતી શક્તિએ, બુદ્ધિ અને હદયે મળીને કરેલી દાનની આજ્ઞાને સાંભળી ન સાંભળી કરવી એનું નામ “પ્રમાદ.” પ્રમાદ એ મહેોટામાં મોટું પાપ છે, કારણ કે તેથી વ્યકિતત્વ દબાઈ જાય છે. દાન બુદ્ધિ જેમ વધુ પ્રબળ થાય તેમ વ્યક્તિત્વ વધુ ખિલવા પામે. પૂર્ણ રીતે ખિલેલું વ્યકિતત્વ એ જ દેવપણું, દિવ્યતા. ખૂબ દબાયેલું વ્યક્તિત્વ એ જ નરક, પતિત દશા. દાનબુદ્ધિ જે સમાજમાં ન હોય તે સમાજમાં સંઘટ્ટન અને સુવ્યવસ્થા, સુલેહ અને પ્રગતિ કદાપિ ન સંભવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૬ આર્યધર્મ ઃ લેખક, વા. મ. શાહ ખાવુંપીવું, પહેરવું, જેવું બધું જરૂરનું છે,એટલા માટે કે એથી રક્ષા ને વિકાસ થાય. પણ જે મનુષ્ય ખાવા-પીવા–પહેરવા–જેવા માટે જ જીવે છે તે મનને ગુલામ છે. હેની બુદ્ધિ, ચિત્ત, વ્યકિતત્વ છેક જ દબાયલાં છે, તે જાનવર છે. “ જાનવર” થી દાન થાય જ નહિ. દાન દેવ-દેવીથી જ થઈ શકે. પૈસાની ગુલામી, માજશેખની ગુલામી, હૃદય વગરની બુદ્ધિની ગુલામી : એટલી ચીજે દાન કરવા દેતી નથી. જેણે દાનગુણુ ખિલજો નથી હેનાથી શીલ, તપ અને ભાવના થઈ શકે જ નહિ. સહેલામાં સહેલે ગુણ દાન ગુણ છે. સઘળા ગુણેને પાયે દાન ગુણ છે. સાવધાન ! ધ કે પાખંડી લોકોને દાન કરશે તે આખા મનુષ્યસમાજમાં દ્રોહ કરવાનું પાપ થશે. સાવધાન ! દાનને ઘમંડ કરશે તે વ્યક્તિત્વને નાશ કરી બેસશેઃ ખેટને સદે થશે ! સાવધાન ! દાન કે શીલ–તપાદિ જે કાંઈ કરે તે પોતાના જ અંતઃકરણની શુદ્ધિ અર્થે – પોતાના જ વ્યકિતત્વની ખિલવટ માટે–પોતાના જ આનંદ ખાતરકરજે–પરોપકાર” હમજીને નહિ. લોકોની વાહવાહ ઘડીભરની છે, પચાસ ચરીને પાંચનું દાન કરનારની પણ લોકો તો વાહવાહ કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ દાન ૫૭ કેાઈ મહત્વના કાર્ય માટે પોતાનું સર્વસ્વ ખરચી નાખનારની વાહવાહને બદલે લેાકેા ઉલટી હાંસી પણ કરે છે, અને આજે જેની વાહવાહ કરે છે ત્યેની નિંદા પણુ કાલે તે જ કરે છે: આ બધું લેાકસ્વરૂપ હુમજી રાખીને લેાકેાની વાહવાહરૂપ ખલાથી દૂર જ રહેવું એ જ ખરા વિવેક અને સ્વદયા છે. “ દયા કરે ! દયા કરા ! ” એવી ખૂમા ત્હમે હંમેશ ચાતરથી સાંભળશેા, પણ હૅમારા દિલને મજબૂત મનાવે અને લેાકપ્રવાહમાં ખેંચાઈ જતું રાકે. હું હૃમને કહું છું : સ્વદયા કરે ! સ્વદયા કરો ! પાતા તરફ વફાદાર રહેા—કે જેથી સર્વ તરફની વફાદારીનું જતન આપેાઆપ થશે. હું તમને કહું છું : નરી લાગણીના હાથમાં હમારૂં સુકાન આપશે। તેા વ્હાણુ પૂછ્યું હુમજજો! નરી બુદ્ધિના હાથમાં સુકાન આપશે તે એક તસુ પણ આગળ નિહ વધી શકો. બુદ્ધિ અને લાગણીના સહકારથી હમારૂં જીવનજહાજ સહીસલામત સફર કરશે. 6 ધૂર્તો કરતાં ય · દયાળુ 'એથી બહુ ચેતવાનું છે. દયાળુ કરતાં ય નરા બુદ્ધિવાદીએથી બહુ ચેતવાનું છે. સાવધાન ’ રહેવું એ મ્હાટામાં મ્હાટી સ્વદયા છે અને મ્હાટામાં મ્હોટી બુદ્ધિમત્તા છે. 6 બુદ્ધિ અને લાગણીના પ્રમાદ એ મ્હાટામાં મ્હાટી આત્મહત્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ शील શીલ એટલે સત્તન. સર્જનમાં એજસ્ની જરૂર પડે છે, તેથી એજસ્ની રક્ષા અથવા બ્રહ્મચર્યનું પાલન એને જ મુખ્યત્વે શીલ અથવા શિયળ કહે છે. બ્રહ્મચર્ય વગર મનેાખળ ન સંભવે, નિશ્ચય જ ન થઇ શકે અને થાય તેા ટકી ન શકે. બ્રહ્મચર્ય વગર બુદ્ધિ સ્થિર અને સૂક્ષ્મ ન હોય. બ્રહ્મચર્ય વગર ચિત્તની શુદ્ધિ ન હાય. લેાકેા જ્યાં શરમાવું જોઇએ ત્યાં શરમાતા નથી અને માખા મનુષ્યસમાજના આરોગ્ય તથા વિકાસના જેના પર આધાર છે એવા વિષયા—બ્રહ્મચર્ય અને લગ્ન— પર વાત કરવામાં ય શરમ માને છે. આર્ય અને આર્યાં ખાટી શરમની ગુલામી ન સ્વીકારે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ શીલ ૫૯ આર્ય અને આર્યા પોતે પોતાને બરાબર ઓળખે: પિતાના અંતઃકરણને તેમ જ બાહ્ય કરણને અને તે સર્વના સદુપયોગ તથા દુરૂપયોગને. બાહ્ય અને તેમ જ અતરનાં અંગે (મન, બુદ્ધિ, ચિત્ત, વ્યક્તિત્વ)ને નિર્મળ રાખવાં જોઈએ તથા પ્રતિદિન વિકસાવવાં જોઈએ. કેઈપણ અંગને દુરૂપયેગ ન કરવો જોઈએ—ન થવા દેવે જોઈએ. સામાન્ય મનુષ્ય અથવા અણઘડ મનુષ્ય અને આર્ય અથવા સંસ્કારી મનુષ્ય : એ બે વચ્ચે મુખ્ય તફાવત એ છે કે પહેલા મનુષ્ય ઇન્દ્રિયાની તમામ ક્રિયાઓ મનની આજ્ઞા પ્રમાણે કરે છે, જ્યારે બીજે મનુષ્ય મનને શુદ્ધ બુદ્ધિના કાબૂમાં રાખી ઈન્દ્રિયે પાસે એવી ક્રિયાઓ કરાવે છે કે જેથી પરિણામે મહેતું હિત થાય. અણઘડ મનુષ્ય જાનવરની માફક કામને તાબે થાય છે, આર્ય મનુષ્ય કામને કાબૂમાં લઈ પિતાથી પણ હડીઆતી પ્રજા ઉત્પન્ન કરવામાં એને ઉપયોગ કરે છે. પ્રજા શબ્દનો અર્થ જ જન્મ આપનાર જેડકાં કરતાં વિશેષ જ્ઞાનશક્તિ અને ક્રિયાશકિત ધરાવનાર સંતાન એ થાય છે. લગ્નને એક જ મૂળ આશય છે : “પ્રજા ઉત્પન્ન કરવાને, એટલે કે જન્મ આપનારાઓ કરતાં શરીર અને અતકરણની શક્તિઓમાં હડે એવું સંતાન જન્માવી એ દ્વારા મનુષ્યજાતિના વિકાસમાં ફાળે આપવાને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ આર્યધર્મ : લેખક, વા. મે. શાહ. નબળા બાંધાવાળા અને મુડદાલ અંત:કરણવાળા મનુષ્યોએ સ્વદયા તેમ જ પદયા ખાતર લગ્નથી દૂર રહેવું ઘટે, અને એવાં મનુષ્યો અજ્ઞાનદશામાં વિવાહિત થઈ ચૂકયાં હોય તો તેઓએ પ્રજોત્પત્તિના મેહથી બચવું એમાં એમનું, કુટુમ્બનું, દેશનું અને માનવજાતિનું હિત છે. સશક્ત સ્ત્રી-પુરુષે પણ બાળઉછેરનાં સાધન વગર પ્રજોત્પત્તિને મેહ ન કરવો ઘટે. સશક્ત અને સાધનસંપન્ન સ્ત્રી-પુરુષે ત્રણ સંતાનથી વધુ “જોખમદારી ... હેરવા પહેલાં અનેકવાર વિચાર કરવો ઘટે. સ્ત્રી-પુરુષના આખા જીવનની ન્હાની–હાટી દરેક ક્રિયા ભવિષ્યની પ્રજાને દષ્ટિમાં રાખીને જ થવી જોઈએ, કારણકે ક્રિયાઓ પ્રમાણે સંસ્કાર બને છે અને એ સંસ્કાર ભવિષ્યમાં બાળકમાં ઉતરે છે. બીજા શબ્દોમાં કહીએ તે, લગ્ન એ એક ભવિષ્યના બાળક માટે એક સ્ત્રી અને પુરુષથી અપાતે પોતાની જીદગીઓને ભેગ છે. ઉંચા આશય વગરનું લગ્ન વ્યભિચાર છે. ઉંચા આશય વગરનું જીવવું નરક છે. ઉંચા આશય વગરનું ખાવું જાનવરપણું છે. ઉંચા આશય વગરનું બોલવું ભસવું છે. જીવનની દરેક ક્રિયા ઉંચા આશયથી જ કરવાની ટેવ પાડો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ શીલ જીવનની દરેક ક્રિયા પદ્ધતિસર કરવાની ટેવ પાડે. આશય અને પદ્ધતિને અનુસરીને જીવન જીવે તે જ આર્ય અને આર્યા. ખરા અર્થમાં પ્રજોત્પત્તિને વેગ્ય ન હોય એવાં પાત્રને લગ્નની ખમદારીમાં હમનાર વડીલે અને એ લગ્નની ક્રિયા કરનાર બ્રાહ્મણ એમના કરતાં વધુ વ્હોટા ખૂની દુનિયામાં શોધ્યા હાથ નહિ લાગે. પ્રથમ હમારી કાયાને, મનને, બુદ્ધિને, વ્યક્તિત્વને બરાબર ઘડો: પછી જ બાળક ઘડવાની જોખમદારી વહારજે. લગ્ન વિષયતૃપ્તિને હકકે આપે છે એવું માનનારાં સ્ત્રી-પુરુષે નરકના જીવડા છે અને માતૃભૂમિના શત્રુ છે. કિમતીમાં કિમતી બળોને ક્ષણિક તરંગ ખાતર વ્યય કરનાર સ્ત્રી-પુરુષ મહટામાં મહેટા જુગારી કરતાં વધારે ઉડાઉ અને ગુન્હેગાર છે. સશક્ત સ્ત્રી-પુરુષથી થતી પ્રજોત્પત્તિ પુણ્યકાર્ય છે. અશક્ત સ્ત્રી-પુરુષનું કામસેવન મહા પાપકાર્ય છે. બાળઉછેર અને ગૃહવ્યવસ્થા શિખ્યા પહેલાંનું પરણવું પિતાના હાથે નરક માંગી લેવા બરાબર છે. સુખ અને વિલાસની ગરજ હેય તેણે ગમે તેટલા મોટા વારસાને એક બાજુએ રાખીને પોતાના પતિની આવક પર જ જીવન જીવવાની ટેક રાખવી ઘટે. ગરીબ, મધ્યમ તેમ જ શ્રીમંત સ્થિતિની સ્ત્રીએ રસોઈનું, કપડાં શીવવાનું, બાળઉછેરનું, તનદુરસ્તીના સામાન્ય નિયમનું, અકસ્માત્ પ્રસંગે લેવા ગ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ કર આર્યધર્મ : લેખક, વા. મા. શાહુ તાત્કાલિક ઇલાજોનું અને ઘરને હિસાબ રાખવાનું કામ જાણવું અને કરવું જોઇએ. ગમે તેવી શ્રીમંત સ્થિતિમાં બાળકાને ધવરાવવા તથા ઉછેરવાનું અને પતિ માટે રસાઇ કરવાનું કામ સ્ત્રીએ પેાતે જ કરવું એ સુંદર લ્હાવા છે અને સર્વને માટે હિતકર છે. ગામગપાટા, કુથલી, કાઈને અર્થ ન સરે એવી વાતચીત, પડયાં પડયાં તર્કવિતર્ક કરવા : આ સર્વે અનાર્યપણાના–અણુઘડપણાંના લક્ષણ છે. આર્યો દરેક પળને કાંઇ નહિ ને કાંઈ ઉપયેગી કાર્યથી શણગારે. ઉદ્યમીને ખાટા વિકાર થવા પામતા નથી. કાઈપણ પુરુષને દેખીને આર્યાં શરમાય નહિ. સ્ત્રીને જોતાં હું ‘મનુષ્યને જોઉં છું એવા જ પુરુષ કે ખ્યાલ કરે. સ્ત્રી એ પુરુષના ભાગ્ય પદાર્થ છે એવી ષ્ટિવાળા મનુષ્યે ભયંકર નાગ છે. નાગથી અલખત · મનુષ્ય ’ અચીને જ ચાલે. સેંકડા પેઢીએ થયાં પુરુષના માનસમાં જે સ્વછંદીપણું ખિલતું આવ્યું છે વ્હેને દૂર કરી હેની જગાએ વિવેક પ્રકટાવ્યા સિવાય હિંદીઓનું ગૃહજીવન કે જાહેરજીવન તનદુરસ્ત કદાપિ થઇ શકે જ નહિ, અને પુરુષના માનસમાં વિવેક પ્રકટાવવાનું કામ વજ્ર જેવા શીલવાળી સીઆથી જ મની શકે, બીજા કાઈથી નહિ પણ સ્ત્રીઓના દઢ મનેાખળવડે જ બની શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ શીલા સ્વછંદીપણું એટલે આંખ, જીભ, કાન, નાક, ત્વચા ઃ એમને, મન જે જે પદાર્થોને સંગ કરાવે તે તે પદાર્થોમાં સપડાવાની ટેવ. વિવેક એટલે મન પર બુદ્ધિને કાબૂ. બુદ્ધિ કે જે અનેક પ્રશ્નો વિચારી નિર્ણય કરી શકે છે : અમુક પદાર્થની આ શરીરને જરૂર છે? જરૂર હોય તે તે હમણાં કે બીજે કઈ વખતે? એ પદાર્થની કિંમત ભરવાની શકિત છે? એ પદાર્થોના ઉપયોગ કરવાથી હિત શું છે અને અહિત શું છે? કેવી રીતે ઉપયોગ કરવાથી અહિત કરતાં હિત વધારે છે? અમુક ચીજની કિંમત ભરવાની શક્તિ હોય તો પણ તે કિંમત ભરતાં તે ચીજથી વધુ ઉપયોગી ચીજની કિંમત ભરવાની શક્તિ બચત રહે છે કે નહિ ? વિવેક એટલે સદા જાગૃત બુદ્ધિ. જ્યાં વિવેક હેાય ત્યાં પંડ, વસ્ત્ર, ઘર, સરસામાનઃ સની સુઘડતા અને સુવ્યવસ્થા હોય. જ્યાં વિવેક હોય ત્યાં વિચારણું વ્યવસ્થિત હોય. જ્યાં વિવેક હોય ત્યાં વાણુ સંસ્કારી હોય. જ્યાં વિવેક હોય ત્યાં ન્હાનું જ્હોટું દરેક કામ પદ્ધતિસર કરાતું હોય. જ્યાં વિવેક હોય ત્યાં ઉશ્કેરાઈ જવું ન હોય. જ્યાં વિવેક હોય ત્યાં મનને ક્રોધ ન હોય, બુદ્ધિનો કે–અર્થાત્ પ્રશસ્તકોધ–હેતુપૂર્વક થતે કોલ–હાય, કે જે કોધમાં ચિત્તની શાન્તિને ખલેલ ન હોય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૪ આર્યધર્મ : લેખક, વા. મ. શાહ મન પર કાબૂ ન રહેવાથી ઈછા જોર કરતી હોય તે ઠંડા જળથી સ્નાન કરવું, એકાંત છેડવું, કેઈની પણ–બનતાં સુધી કઈ વડીલની–સોબતમાં જવું કે કાંઈ વાંચવું. શરીરને શ્રમ પડે એવું કાંઈ મહેનતનું કામ કરવું એ વળી શ્રેષ્ઠ ઉપાય છે. એક વાર પણ મનને ધાર્યું કરવા દેવાથી મન વધુને વધુ નિરંકુશ બને છે, બુદ્ધિને અવાજ મંદ પડે છે, ચિત્તને પ્રકાશ ઢંકાઈ જાય છે. આ મોટામાં મોટું નુકસાન છે કે જે હરવખતે અને હરેક કાર્યમાં નડતર કરે છે. વિધવા સ્થિતિમાં અખંડ બ્રહ્મચર્ય સેવવું એ સ્વવિકાસ માટે જરૂરી છે, અને શક્ય પણ છે જ; પરન્તુ સંકડે પેઢીઓથી લગ્નના હક્કને દુરૂપયેગ થતું આવ્યું હેવાને પરિણામે “અહંકાર અથવા વ્યક્તિત્વ અથવા ચારિત્ર નિર્બળ બની ચૂક્યું હોઈ યુવાન સ્ત્રી, પતિના મરણ બાદ સદાને માટે અપવાદ રહિત બ્રહ્મચર્ય પાળી શકે એ સંભવતું નથી. એ સંજોગોમાં યુવાન વિધવા પાસે ફરજ્યાત વૈધવ્ય પળાવવાને યત્ન એ અસ્વાભાવિક અને નિષ્ફળ કાર્ય છે. દરેક અસ્વાભાવિક કાર્ય બેવડું નુકસાન ઉપજાવે. બેવડા નુકસાનથી બચવા ઈચ્છનારે વિવેકબુદ્ધિને ઉપગ કરી ઓછામાં ઓછે હાનિકારક માર્ગ લેવો જોઈએ. એ માગે યુવાન વિધવાએ પિતે શોધવો જોઈએ અને વડીલોએ અને સમાજે હેને તેમ કરવામાં સહકાર આપવો જોઈએ. સમાજ જે સહકારને ધર્મ ચુકે તો વ્યક્તિ માત્ર સ્વછંદીપણામાં લપસી પડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ શીલ ૬૫ એજને દુરૂપયોગ કરનાર પુરુષ તેમ કરનાર સ્ત્રી જેટલો જ દેશદ્રોહી છે. સ્ત્રીના ગુન્હાથી પુરુષને ગુન્હો કરવાને હકક મળતું નથી, અને પુરુષના ગુન્હાથી સ્ત્રીને ગુન્હો કરવાને હક્ક મળતું નથી, એકને ગુન્હ બનેને અને સમાજને હાનિકારક હોઈ, એકના ગુન્હા માટે બનેએ શરમાવું ઘટે અને બન્નેએ ગુન્હાને નિર્મળ કરવા પ્રયત્ન કરવો જોઈએ. લગ્ન એ ભાગીદારી છે, જીવનભરની ભાગીદારી છે, અને પિતાથી સાતમી કે સત્તરમી પેઢીએ પિતાથી સત્તરગુણી શક્તિવાળું ફરજંદ ઉપજાવવા માટેની ભાગીદારી છે. એ નફા માટે બીજી બધી બાબતને ભેગ, અંગત સુખ-સગવડને ભેગ હસતે મુખે આપવાની ટેવ પાડવી જોઈએ. એવી આર્યાએ માગું છું કે જેના બેલવામાં એકવીસમી સદીનું ફરજંદ હોય, જેના ચાલવામાં એકવીસમી સદીનું ફરજંદ હોય, જેના વર્તનમાં એકવીસમી સદીનું ફરજંદ હોય, જેના બીછાનામાં એકવીસમી સદીનું ફરજંદ હેય, જેના રાચરચીલામાં એકર્વીસમી સદીનું ફરજંદ હોય, જેના અખંડ બ્રહ્મચર્યમાં એકવીસમી સદીનું ફરજંદ હોય, જેના લગ્નમાં એકવીસમી સદીનું ફરજંદ હોય, જેના લખવા-વાંચવામાં–રે જેના સ્વપ્નમાં પણ એકવીસમી સદીનું ફરજંદ હોય. એ એક જ આશય સ્ત્રી જીવનને છે, એ એક જ એની સાધુતા છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ આર્યધર્મ ઃ લેખક, વા. મ. શાહ એ એક જ એને ધર્મ છે, એ એક જ એનો ત્યાગ છે, એ એક જ એની મુક્તિ છે, એ સિવાયનું બધું સ્ત્રીને નરકમાં ખેંચી જનારું છે. કીડાએ જણનારી સ્ત્રી વેશ્યાથી ય બૂરી છે. કીડાઓ જણવાની ના કહેવાની તાકાત સ્ત્રીમાં છે જ. દેવ જન્માવવાની ગ્યતા પિતામાં નથી એમ શોધી કહાડવું એ પહેલે સગુણ છે, એ ગ્યતા મેળવવા પ્રયાસ કરો એ બીજે સગુણ છે, એ ગ્યતા મેળવવા સુધી લગ્નની જોખમદારીથી બચવું એ ત્રીજો સગુણ છે, એ ગ્યતા ન જ પ્રાપ્ત થાય તે આખી જીંદગી અવિવાહિત રહેવાનો નિશ્ચય કરવો એ થે સગુણ છે. કાંઈપણ નિશ્ચય ન કરી શકે એ સ્ત્રી જડ છે, મનુષ્ય નથી; અને એને આર્યો અથવા સન્માનને યોગ્ય સ્ત્રી તરીકેના માનને કશે હક્ક ન હોઈ શકે. સ્ત્રીઓ આજે બૂમ મારે છે કે હજાર વર્ષથી પુરુષવર્ગ આપખુદ બની સ્ત્રીઓ પર પરતંત્રતાની બેડીઓ નાખી છે. વાત ખોટી નથી, પણ નબળાઓ ઉપર સબળાઓ હમેશ એમ જ કરે છે. હિંદીઓ નબળા થયા તો મુસલમાન અને અંગ્રેજો હેમના પર બેડી નાખી શક્યા. જેમનામાં પરસ્પરને સહકાર અને વ્યક્તિત્વનું બળ નહિ હોય તેઓની હમેશ એ જ દશા થવાની. દુનિયા હજી એટલી સંસ્કારી નથી બની કે બીજાઓનું બળ ખિલવવા દ્વારા પિતાનું બળ ખિલવવાનું એને સૂઝે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ શીલ ૬૭ ત્યાં સુધી નબળા પક્ષે સબળા પક્ષને ગાળ દઈને લમણે હાથ દઈ બેસવાથી એનું પોતાનું હિત નહિ જ થાય. બડબડવું એ નિર્માલ્યતા છે. વ્યક્તિત્વ ખિલવવું અને સહકાર સાધવે એ જ ખરો ઈલાજ છે. હજી સ્ત્રીઓ પોતાના નિશ્ચય જ પિતે નથી કરી શકતી તે સહકાર તે સાધે જ કેવી રીતે? અને તેમ ન થાય તે પુરુષવર્ગની જોહુકમી કે સ્વેચ્છાચારીપણાને અટકાવી પણ કેમ શકશે? આય ! લાખ વાત છેડી વ્યક્તિત્વ કેળ અને અખિલ સ્ત્રી વર્ગનું સઘદૃન કરે–પછી બધું આપોઆપ ઠીક થશે. વ્યક્તિત્વ વગર સંઘટ્ટન પણ નહિ જ અને. “ચાર મળે એટલા તે ઉખાડી નાખે એટલા” એ કહેવત સ્ત્રી વર્ગમાં વ્યક્તિત્વ નહિ કેળવાયાનું જ પરિણામ છે. - યુરેપ-અમેરિકામાં હજારે વિવેકી સ્ત્રીઓ જોખમદારીના ભાનને લીધે જ જીદગી પર્યત અવિવાહિત રહેવાનું પસંદ કરે છે. હજારે સ્ત્રીએ સંજોગોની રાહ જોઈ ત્રીસ-પાંત્રીસ વર્ષ સુધી કુમારિકા રહે છે. એમને તો આજીવિકા પણ આપકમાઈમાંથી કરવાની હોય છે, પણ એમની તરફ કુદષ્ટિ કરવાની પુરુષો હિંમત તો શું પણ ખ્યાલ પણ કરી શક્તા નથી. તમારા દેશના પુરુષવર્ગને એવા બનાવવાનું કામ હમારું પોતાનું છે. - બ્રહ્મચર્યને ખરા અર્થ શું છે? બ્રા એટલે આદ્યશક્તિ, પરમાત્મા, મૂળતત્વ, આત્મા, પરમાત્મામાં જ ચાલવું અર્થાત્ પરમાત્મા તરફ જ અખંડદષ્ટિ રાખીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ આર્યધર્મ : લેખક, વા. મે. શાહ જીવન જીવવું તે. હું પરમાત્માને અંશ છું એવી દ્રષ્ટિથી જીવન જીવવું તે. પરમાત્મા હારી જગાએ હોય તે કેમ વર્ત એ પ્રશ્ન પૂછીને દરેક કામ કરવું તેનું નામ બ્રહ્મચર્ય. હવે એ સ્થિતિમાં કેવાં કામ થાય અને કેવાં કામ ન થાય તે દરેકે પોતપોતાની સ્વતંત્ર બુદ્ધિથી વિચારી લેવું. આ એક પ્રશ્ન પર જેમ જેમ વધુ મનન કરશે તેમ તેમ હમારી કલ્પનાશક્તિ વધુને વધુ તીવ્ર, ઉંચી અને સર્વ વ્યાપક બનતી જશે. હમારી પસંદગી આપોઆપ ઉંચી જ થતી જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ + तप તપ એટલે તપાવવું તે. કોને તપાવશે? શરીર અને મનને. શરીરને શા માટે તપાવશે? અને કેમ તપાવશે? સઘળા રોગોનું મૂળ કારણ હાજરીમાં ભરાયેલો કચર છે. હોજરીમાં રાક નાખતા બંધ થાઓ તે તે પોતાની રહીસહી અગ્નિ કચરાને બાળવાના કામમાં વાપરે છે. કચરો બળી જવાથી તે પ્રદિપ્ત થાય છે અને પછી જે ખોરાક ખાવામાં આવે હેને બરાબર પચાવી લેહી કરી મગજ વગેરે જગાએ મોકલી આપે છે. તેથી જ્યારે પણ અપચો કે અપચાથી થતે કઈ રેગ થાય ત્યારે કે પણ ખોરાક ન લેવાનો નિશ્ચય કરવો એ તપ છે. રાક લેવાથી ટેવાયેલી ઈન્દ્રિયે એ વખતે પિકાર કરશે અને મન કૂદાકૂદ કરશે, તે વખતે બુદ્ધિએ મજબૂત થઈને એમને ચૂપ કરવી જોઈશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ આર્યધર્મ : લેખક, વા મા. શાહ તપ કરી તે હમારા જ હિત માટે—જરૂરીઆત તરીકે—કરા છે એમ સમજીને કરજો. ધર્માત્મા ગણાવાનેા માહ ન રાખશો. એમાં અભિમાન કરવા જેવું કાંઈ જ નથી. જેમ ખાવાની જરૂર પડી ત્યારે ખાધું એ કાંઇ કાર્યને માટે ખાધું નથી, તેમ અનિયમિત કે વધુ પડતું કે અનિષ્ટ ખાણું ખાવાની ભૂલ કરી તે ભૂલ સુધારવા ઉપવાસ કર્યા તે પણ પેાતાની જરૂરીગ્માત છે એમાં માન પામવા જેવું કાંઇ જ નથી. Co ઉપવાસથી અશક્તિ આવે એ વાત ખાટી છે. લેાકેા અગાઉથી એવું માની લે છે તેથી જ એમને નખળાઈ લાગે છે. ઉપવાસ કરીને તમામ કાર્ય કરતા રહેવું એઈએ. ઉપવાસના આગલે દિવસે અને ઉપવાસના પછીના દિવસે વધારે ખાનારા કે ધામધૂમ કરનાશ માત્ર બાળક છે—મૂર્ખ છે. પેટ સાફ થયું લાગે, મગજ શાન્ત લાગે, જીભ સ્વચ્છ થયેલી લાગે, અને કુદરતી–નહિ કે ખાટી-ભૂખ લાગવા માંડે એટલા વખત સુધીના ઉપવાસ કરવા. મતલબ કે આગળથી ૫ કે ૧૦ કે ૨૦ ઉપવાસના નિયમ કરી લેવા એ ભૂલ છે. જરૂર કરતાં વધુ ઉપવાસ કરવાથી શરીર અને મનની શક્તિઓના નાશ થાય છે. કરવાથી જ શારીરિક તપ માત્ર ઉપવાસ એમ નથી. ખીજા પણ શારીરિક તા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat થાય www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ત૫ ७१ જ્યારે ખોરાક ખાઓ ત્યારે પણ વિવેક પૂર્વક ખાવો એ તપ છે. શું ખાવાથી શરીર અને બુદ્ધિને હિત છે, અને શું ખાવાથી અહિત છે તેને વિવેક કરે જ જોઈએ, કેટલા પ્રમાણમાં ખાવું તેને પણ વિવેક જોઈએ, કયારે ખાવું ને ક્યારે નહિ એને પણ વિવેક જોઈએ. માસને કે તેથી વધુ સામટે તપ કરનાર માણસ તે પછીના દિવસોમાં જે મરચાં અને અથાણું ખાતે હોય તે તેના જે મૂર્ખ કઈ નહિ. મરચાં, અથાણાં અને તીખા પદાર્થો લોહીને નાશ કરે છે, બુદ્ધિને અસ્થિર કરે છે અને મનને વિલ કરે છે. ખરે તપસ્વી તે છે કે જે હમેશ ખાતો હોય, કઈ દિવસ તપ ન કરતા હોય, સાચી ભૂખ વખતે જ ખાતે હેય, ભૂખ પૂરતું જ-વધુ તો નહિ પણ ઓછુંય નહિ જ-ખાતો હેય. પિષણ પૂરું મળે એવા પદાર્થો –નહિ કે માત્ર દાળ-ભાત કે–જેમાં પોષણ કાંઈ જ નથી–ખાતે હાય અને ખાધા પછી પાચનને વિલન કરે એવું કશું કામ ન કરતે હોય. તે મનુષ્ય હમેશ ખાવા છતાં સદાને તપસ્વી છે. આજના હિંદીઓનાં શરીર સંકડો વર્ષની અંધાધુધીભરી જીવન પ્રણાલિકાને લીધે રોગિષ્ટ જ છે અને કુટેવોથી ભરેલા જ છે. તદુરસ્તમાં તદુરસ્ત દેખાતાં જી–સ્ત્રી પુરુષો પણ તેઓ ન જાણતાં હોય એવી રીતે એક યા બીજા રોગના ભાગ હોય છે, તેથી અવારનવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ આર્યધર્મ : લેખક, વા. મા. શાહ ઉપવાસની એમને જરૂર અવશ્ય છે. ઉપવાસ તે છે કે જેના પાલનથી અમુક વર્ષે એવી સ્થિતિ ઉત્પન્ન થવી જોઈએ કે જ્યારે ઉપવાસની જરૂર જ ન રહે. ઉપવાસ કરવા અને પછી ખારાકના કુદરતી નિયમાના ભંગ કરતા રહેવું એ ાટામાં મ્હાટી મૂર્ખતા છે. હાથ-પગને ઉદ્યમી રાખવા એ પણ તપ છે. ७२ હાથ-પગને સદા થકવી નાખે એવા શ્રમ લેનાર સ્ત્રી પુરુષનું મગજ શાન્ત રહે છે, પાચનક્રિયા ખરાખર થાય છે અને હિંમત વધે છે. વાણી ખેલવા પહેલાં વિચાર કરવાની ટેવ પાડવી એ પણ તપ છે. મેાલનાર હું કઈ સ્થિતિના મનુષ્ય છું ? કેાની સમક્ષ બેસું છું? પ્રસંગ શું છે? ખેલવામાં મ્હારો આશય શું છે? પરિણામ શું સંભવે છે? આ મધું વિચારતાં સુધી ખેલવું અટકાવવું એ તપ છે. સંકુચિત સ્વાર્થને દાખી બીજા કોઇની કે સમાજની સેવા થાય——હિત થાય એવું કાંઈ કરવું તે તપ છે. કારણ કે એમાં સંકુચિત સ્વાર્થની પ્રેરણાને દાખવાના પુરુષાર્થ છે. પેાતાના તાત્કાલિક હિત કે સુખના ખ્યાલને દાબી પેાતાના દૂરના અને મ્હોટા હિતના વિચારથી કામ કરવું એ પણ તપ છે. મનના સંકલ્પવિકલ્પને દાબીને કાંઈ ઉપયેગી વાત સાંભળવી, ઉપયેાગી ગ્રંથ વાંચવે, અગત્યની ખાખત પર મનન કરવું એ ઉંચા પ્રકારના-માનસિક તપ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ = = ૭ મન અને બુદ્ધિઃ બનેને ચૂપ કરીને-શરીર તેમ જ મનથી અક્રિય બનવું–એ સૌથી હોટે તપ છે. જેમાંથી ખર્ચાઈ ગયેલી શક્તિઓ પાછી આવે છે. ન્હાના-મ્હોટા બધા તપ આ જીવનમાં જ લાભકારક છે અને તેથી તપ વગરનું જીવન મિથ્યા જીવન છે. તાત્કાલિક અગવડ, થોડું નુકસાન, શ્રમ, સહી લેવાની કાયરતા એ જ તપ કરતાં અટકાવે છે, અને મનુષ્યને વધુને વધુ કાયર બનાવે છે, કે જે કાયરતા દંભને જન્મ આપે છે અને દંભ પિતાના આખા જીવનને વિકૃત કરવા ઉપરાંત હજારેના જીવનને નુકસાન કરે છે. લેક જેને આત્મગ કહે છે હેના સિવાય ત૫ થઈ શકે જ નહિ. અને આત્મગ ખરેખર શું છે ? આત્માને ખરેખરી રીતે ભોગવવા ખાતર આત્મા નહિ એવી ચીજોને ભેગ ઉલાસપૂર્વક આપવો તે. આંધળી કરીને કોઈના કહાથી અપાતા ભેગ એ બેગ નથી : એ તે અશક્તિને નાચ છે. શક્તિના નાચ રૂપ ભેગ તે છે કે જે આશયપૂર્વક, વિવેકપૂર્વક અંત:કરણમાંથી પ્રકટતો હોય, અતઃકરણની વાળા રૂપ હેય. સઘળે વિકાસ લેગ અથવા તપ નામના યજ્ઞકુંડદ્વારા જ થાય છે. અગ્નિ જેમ એકે દિશા કે એકે ખૂણાને છેડતી નથી તેમ તપ મનુષ્યના જીવનની એકે દિશા કે ખૂણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૪ આર્યધર્મ : લેખક, વા. મ. શાહ, છેડતું નથી, પણ જ્યાં જ્યાં નકામે કચરે હય, જ્યાં જ્યાં નકામી મિતરૂપ જે હય, જ્યાં જ્યાં નકામી કે હાનીકારક ટેવરૂપ આડખીલ હોય ત્યાં ત્યાં પહોંચી જઈ એને બાળી સફાચટ કરે ત્યારે જ હેની શાન્તિ થાય છે. સઘળા કચરાને બાળી તપ શાન્ત થાય છે, અદ્રશ્ય થાય છે અને પછી એ મનુષ્યમાં અપૂર્વ શાન્તિ પ્રકટે છે. તપ એ શાન્તિને છીદાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ भावना શુદ્ધ બુદ્ધિથી કાઇ એક ખ્યાલ પર મનન કરવું એ ભાવના. એવી ભાવના કરી કે— ઘર એ હું નથી, મ્હારા શરીરને રહેવાનું સ્થાન છે. વસ્ત્ર એ હું નથી, મ્હારા શરીરને ટાઢ—તડકાથી અચાવવાની ચીજ છે. ધન–મિલ્કત એ હું નથી, પણ મ્હારા જરૂરીઆતા પૂરવાનાં સાધન છે. મ્હારા શરીરની શરીર એ હું નથી, હું જેમાં વસુ છું એ ઘર છે. –કર્મેન્દ્રિયા એ હું નથી, પણુ............ –જ્ઞાનેન્દ્રિયા એ હું નથી, પણ........... “અત:કરણ એ હું નથી ઃ મ્હારી ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિના સ્ટોરરૂમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ આર્યધર્મ : લેખક, વા. મે. શાહ -હું આ સઘળાનો સ્વામી છું અથવા ઉપયોગ કરનાર છું. –જેટલા પ્રમાણમાં હું તે સર્વને વિવેકપૂર્વક ઉપયોગ કરું તેટલા પ્રમાણમાં હારી શક્તિઓ ખિલે છે. જેટલા પ્રમાણમાં હું તે સર્વને દુરૂપયેાગ કરૂં... –શકિતઓ વધતી વધતી અમર્યાદ શક્તિ અને એટલે હું જ પરમાત્મારૂપ બનું. –હું પરમાત્માનું કિરણ છું અને પરમાત્મામાં જ મ્હારું સ્થાન છે. –જેમ હું પરમાત્માનું એક કિરણ છું તેમ સઘળા જી પરમાત્માનાં કિરણે છે. –સર્વ મનુષ્યો પરમાત્માનાં કિરણ છે. -મ્હારે દેશ પરમાત્માનું કિરણ છે. -મ્હારું કુટુમ્બ પરમાત્માનું કિરણ છે. –હારા શત્રુ તરીકે વર્તનાર પણ પરમાત્માનું જ કિર છે. -જે પરમાત્મા સાથે સંબંધ તેડી બેઠા છે તેઓ હારી દયાને પાત્ર છે. પિતાને વિકાસ પ્રતિદિન થાય છે કે કેહવાટ કે પતન થાય છે તેની વિચારણા માટે દર મહિને એક રાત્રી વિચાર કરે–જાગરણ કરો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ભાવના પેાતાની સંભાળ નીચેનાં મનુષ્યેામાં શારીરિક અને માનસિક આરેાગ્ય અને વિકાસની વિચારણા માટે દર મહીને એક રાત્રી જાગરણ કરો. પેાતાની કામ.... પેાતાના દેશ .... * * જન્મ, ચુવાની, વૃદ્ધાવસ્થા, મરણુ.... × સ્થિતિના *_*_* × 1099 .... × × 100 .... X * * જાગૃત, સ્વપ્ન, સુરુપ્તિની વિચારણા કરે.... .... * વગરની * X હર્ષ-શાક, સુખ-દુ:ખ અને એ દ્વંદ્વો X X X .... * ....નું જાગરણ કરા. ....જાગરણ કરા. × . * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat * * X .... * * * ... ××× હ www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ मुक्ति દાન, શીલ, તપ અને ભાવના : એ ચારનું યથાર્થ રીતે સેવન કરવું એ જ મુક્તિ. જો દાન, શીલ, તપ અને ભાવનાથી આ જીવનમાં મુકિત ન મળે અગર મુક્તિની નજીકમાં ન અવાય તા હુમજો કે ત્હમે દાન, શીલ, સંપ, ભાવના વાજબી રીતે સેવ્યાં નથી. મુક્તિ કેાની ? હંમે જ કહેા છે કે મ્હારે મુક્તિ જોઇએ છે. એટલે મુક્તિ ત્હમારા ‘હું’ ની હમે માંગેા છે. એ હું જ પેાતાને સુખી અને દુઃખી માને છે, એ જ પેાતાને અદ્ધ અને મુક્ત માને છે; તેા મુક્તિ પણ એને જ જોઈએ. ખાહ્ય જગમાં વ્યકિત માત્રને કાનૂનનું બંધન છે જ, પણ વ્યકિત રાજા અને તા રાજાને કાનૂનનું બંધન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ મુકિત Ge નથી. તેમ જ ત્હમારા ‘હું’ અથવા વ્યકિતત્વને હમે રાજા બનાવા—સમષ્ટિરૂપ બનાવે તા હમે સુખ– દુઃખના કાનૂનરૂપી બંધનથી મુક્ત જ છે. - ઘરડાંઓ કહે છે કે ‘મુકિત આ લેકમાં નહિ પણ પરલેાકમાં મળે છે’ અને એ વાત ખાટી નથી. બાહ્ય ઈન્દ્રિચાને દેખાતી દુનિયા એ આલાક, અને અંતઃકરણુ–મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી અનુભવાતું સર્વ કાંઈ એ પરલાક છે' આ લેકમાં તે મજુરી અને શ્રમ જ —તરફડાટ જ હોય; શાન્તિ, મુક્તિ, આનંદ એ અનુભવા અંતઃકરણ અથવા પરલેાકના જ છે. જ પણ પરલેાક કાંઇ ભવિષ્યકાળની જ ચીજ નથી, વર્તુમાનમાં પણ વ્હેની હયાતી છે. ત્હમે આજે પણ પરલેાકમાં તેમ જ આલેાકમાં વસેા છે તેથી આજે પણ મુક્તિનું ભાન મેળવી શકેા છે. અદ્ધ મુકત મનુષ્યનું દરેક વર્તન અને વિચારવું મનુષ્યના વર્તન અને વિચારવાથી જૂદું જ હાય. ગામડીએ પણ ખાય છે, શહેરી પણ ખાય છે અને રાજા પણ ખાય છે: ત્રણેની ખાવાની રીતમાં અને ખાવાના પદાર્થમાં ફેર હાય. ભિખારીને હર્ષ–શેાક થાય છે, રાજાને હર્ષ-શાક થાય છે, સાધુને પણ હર્ષ–શાક થાય છે : પણ ત્રણેના હર્ષ–શેાક જૂદી જાતના હાય. મુક્તિ ભવિષ્યમાં મળવાનાં વચના પર માહ ન રાખા : આ જન્મમાં જ મેળવવાની ગરજ કરી કે જેથી મુકત બનીને જીવનના અશ્વ પર ખેલવાની મઝા ચાખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૦ આર્યધર્મ : લેખક, વા. મે. શાહ શકે. ખચ્ચર પર લધાયેલા ગાડાંની પેઠે જીદગીને મરતાંરોતાં ખેંચ્યા કરવામાં શું મઝા છે? મુક્ત આર્યો, અને મુકત આર્યાએ આર્યાવર્તને રમતાં-ખેલતાં મુક્ત કરશે,-ના મનુષ્યજાતિને મુક્ત કરશે. હમે મુક્ત થવાના પરિશ્રમ પેજનાપૂર્વક અને ઉત્સાહપૂર્વક કરવા છતાં આ જીદગીમાં મુકિત મેળવી શકે તે પણ એ પ્રયતથી મુકિતને નજીક તે લાવી જ શકે અને હમારી પ્રજા મુકિતને એથી ય વધુ નજીક લાવી શકે, અને હેની પ્રજા મુક્તિ પર સવાર થઈ શકે. એ સિંહણ પર સવાર થવાની તાલાવેલીવાળી પ્રજાને જન્માવે તે ય હમારી મુક્તિ જ સમજજે, હમારી તે પ્રજાની મુક્તિ એ હમારી નવા જન્મની મુક્તિ છે–હમારી બીજી કે બારમી આવૃત્તિની મુક્તિ છે. ગુલામ દેશ ગુલામ માટે જ રહેવા દે............. x x x x x x – સમાસ – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ સ્વ. વા. મા. શાહ કૃત પુસ્તકા જે શબ્દ, વ્યાખ્યા, સૂત્ર, પુસ્તક, સલાહ ‘આપણને’ ઉપયાગમાં ન આવે, આપણા ભાનને જનનેન્દ્રિચી અને ઉદરથી ઉપાડીને હૃદયે કે ગળે કે તાળવે ખેચી ન જાય વિકાસક્રમ કે પ્રગતિમાં ન મૂકે તે દરેક શબ્દ, વ્યાખ્યા, સૂત્ર, પુસ્તક, સલાહને ભલા થઈ અભરાઇ પર જ રહેવા દેજો. માથા ઉપર હેંડાવી નાહક ભારે ન મરતા. — . અંદરની ′ ભૂખ ’વગર મિષ્ટાન પણ તનદુરસ્તીને હાનિકારક થઇ પડે, અંદરની ગરજ વગરનું વાચન-લેખન કલેશકારી થઇ પડે, બહારની ક્ષણિક ચળ ભાગે એ ઝૂંદી વાત છે. પ્રત્યેક ગરજ હૃદયાકાશમાં બળતી જ્વાળા હાય. મગજની કલ્પના માત્ર નહિ, બુદ્ધિની પસંદગી નહિ, શબ્દાડખર નહિ. અને દરેક ગરજ જુલમી હેાય : પેાતાની દરેક પ્રકારની ‘મિલ્કત’ના ભાગે તે પેાતાની તૃપ્તિ ઈચ્છે ! વા. મા. શાહ. " વા. મા. શા. ' પ બ્લિ શીં ગ હા ઉ સ સા રં ગ પુ ર–મુ ખા રા ની પા ળ-અમદાવા દે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ - | मळी शकतां पुस्तको अने अभिप्रायो = ૧ એક પ્રથમ આવૃત્તિ, સન ૧૯૩૨ મૂલ્ય-પાકુ પૂઠું એક રૂપિયે. સાહિત્ય માસિકપત્ર-૧૯૨૬ માં લખાયેલું આ પુસ્તક પહેલવારકું હાલ બહાર પડયું. એ ખૂબ વિચાર પ્રેરક છે. વાતના વળા દ્વારા લખનારે આર્યતત્વજ્ઞાનના અમર સિદ્ધાંત ઠસાવવાનો અજબ જે યત્ન કર્યો છે. પ્રસ્તાવથી તે અંત સુધી પ્રસ્તાવના એક એટલે એકતા કુટુંબમાં, સંસારમાં, રાજકાજમાં, શાસનમાં, શરીરમાં, અધ્યાત્મમાં કેટલે દરજજે મહત્વ ભોગવે છે તે દર્શાવી વાર્તામાં એ મહત્વને હરેક રીતે આગળ આણવાનો–સાબીત કરવાને પ્રયત્ન કર્યો છે. પાર્થિવ જગત અને તેના પાર્થિવ સંબંધોની મર્યાદા દર્શાવવી, અન્ન અને રૂ અને શરાફીના ખેલ પાછળ ગાંડી થતી દુનિયા સાધને છતાં ગરીબી ને ભુખમરે શા માટે વેઠે છે એ બતાવવું, મનની અને ચિત્તની એકાગ્રતા સાધતાં પરમસત્ય કેવી રીતે પમાય તે જણાવવું. આ પુસ્તકને હેતુ પાર પડ્યો છે. લેખકની શૈલી ગંભીર છતાં જરા તોફાની છેઃ જ્ઞાનગતિ હેવા છતાં તેમાં તનમનાટ છે. છેવટે તેઓ ઠસાવે છેઃ એક એવી જબર ઈચ્છા કરો, જેની નીચે બધી ઈચછાઓ દબાઈ જાય, એક એવી જીજ્ઞાસા કરે કે બધું જાણવાની ચળ બળી જાય; એક એવી મસ્તી કરે, જેથી બધી મસ્તીઓ હઠી જાય; એક એવો શબ્દ ગજા, જેમાં સઘળા અવાજ અને અવાજ ઉત્પન્ન કરનાર વિશ્વ ડૂબી જાય.” ખરે, સકળ વિશ્વની એક્તા સાધવાથી–અનુભવવાથી જ આવું પરિણામ આવી શકે – ડીસે. ૧૯૩૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ વા. મ. શાહ કૃત મળી શકતાં પુસ્તક અને અભિપ્રાય. ૮૩ | ગુજરાતી પંચ –આ પણ એક વાર્તા છે. પરંતુ તે દ્વારા સમાજ સુધારાના ઘણા પ્રશ્નોને આર્ય ફિલસુફીથી લેખકે ચર્ચા છે. ભાષા જેમવાળી છે, અને જાણે લેખક પિતાનો અંતરનાદ રજુ કરતા હોય એવું તેમાંથી સાફસાફ સમજાઈ આવે છે. આ પુસ્તક મનન કરવા જેવું છે. ૧૧-૧૨-૩૨ મુંબઈ સમાચાર–આ પુસ્તકમાં જ્ઞાન, ભાવ અને ભક્તિની ઉંચી ફીલસુફી સંવાદરૂપે સમજાવી છે. સાથે સાથે તેઓ ગુરૂ અને રાજ્યની સંસ્થાના ઉદ્દેશ અને અન્ય પ્રશ્નોની ચર્ચા કરવાને પણ ચૂક્યા નથી. પરમાનંદ પ્રાપ્ત કરવા માટે એકતાની કેટલી જરૂર છે, તે તેમણે સુંદર રીતે સમજાવ્યું છે. પુસ્તકાલય –એકતાનું મહત્વ જીવનના એકેએક ક્ષેત્રમાં કેટલું બધું છે અને એના વિના બધાં જ કાર્ય કેવાં કથળે છે તે આ પુસ્તકનો અભ્યાસ કરનારાં સ્પષ્ટ રૂપે જોઈ શકશે. જ્ઞાનદેવ, ભાવસિંહ, સાંઈ ઉદાસી, ફક્કડ, મસ્ત, ભક્તિજાન વગેરે વાર્તાનાં પાનાં નામ પણ ખાસ સૂચક હે આધ્યાત્મ જીવનને જ આબાદ ખ્યાલ આપે છે. વાર્તા સાહિત્યમાં અનેરી ભાત પાડનારું આ પુસ્તક ધાર્મિકવૃત્તિવાળા જીજ્ઞાસુ જનેને ખાસ રૂચે એમ હોવાથી પુસ્તકાલમાં એને અવશ્ય સ્થાન મળવું ઘટે. સપ્ટે. ૧૯૩૩ સાંજ વતમાન –આ પુસ્તક પાંચ પ્રકરણની એક નવલકથા કહી શકાય. પરંતુ બીજી નવલકથાઓ કરતાં આ નવલકથાની વસ્તુ નિરાળીજ છે. સ્વ. વાડીલાલની લાક્ષણિક શૈલી અને ઝમકદાર ભાષા આ પુસ્તકમાં પણ નજરે પડે છે. પુસ્તક વાંચીને જ્ઞાન મેળવી શકાય એવું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ –– – પ્રાયશ્ચિત્ત – પ્રથમ આવૃત્તિ, સન ૧૯૩૨ : મૂલ્ય – બે આના. પ્રજાબંધુ –આ એક ભાવનામય ગદ્યકાવ્ય છે અને તે કવિશ્રી નાનાલાલના અપદ્યાગદ્યની ઘાટીએ લખાયેલું તથા પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. “પાપ” અને “નીતિ'ના સંબંધમાં લેખના વિચારોનું તેમાં દર્શન થાય છે. કે જે વિચારે નિજોની ફીલસુફી ઉપર ઘડાયેલા અને પોષાયેલા જણાય છે. પ્લેટને સોક્રેટીસને, ક્રાઇસ્ટને, કયા ગુન્હા માટે માર્યા ? નિરોને ક્યા ગુન્હા ખાતર, દીવાનાશાળામાં ધકકેલ્યો ? સીતાને રામ જેવાએ કયા ગુન્હા ખાતર આગમાં ઉતારી ? કલાપીને શા માટે અલ્પાયુ રડવામાં જ વિતાડવું પડયું ? કહો હવે કે ગુન્હો એ કોઈ “ ચીજ ” નથી–ભૂત છે હમારી અણઘડ લાગણી એને ધખારે માત્ર ! સરળ – ભેળા – ભક્તિમાન છોને ડરાવવાને હાઉ ! ને ક્રર રાક્ષસેનો રસ્તો સાફ કરનાર હળ ! + + પ્રૌઢતા, પરોપકાર, ક્ષમા ને આત્મભોગ, શોભે છે માત્ર યુદ્ધના સંતાનના મુખમાં ! અન્યત્ર ભલાઈ છે તુચ્છ દશ્ય, પાપ, ગુન્હો ! કોણ બોલ્યું કે “ સહવું” એ ધર્મ છે ? વગર શકિતએ સરદારી મેળવવાની ઈચ્છા ? સરદારી હેને જન્મને વારસે છે, હેને તે ઇચ્છાએ નથી ! ને શકિત એની રગે રગે વહે છે ! સહે છે તે તે પોતે જ ઉત્પન્ન કરેલાં સંકટો ! પારકાં નાખેલાં સંકટ સહવા તે હેને અધર્યું છે ! www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #90 -------------------------------------------------------------------------- ________________ વા. મ. શાહ કૃત મળી શક્તાં પુસ્તક અને અભિપ્રાયે ૮૫ લેખકની વિચારસરણી, ભાષાનું ઓજસ અને તાત્વિક વીરતા તથા નીતિને ખ્યાલ આટલા ઉતારા પરથી આવી શકશે. અલબત્ત, તેમાં પંક્તિએ પંક્તિએ વીરતા ભરી છે, પરંતુ એ વીરતા પચાવવાનું કાર્ય સામાન્ય જનતા માટે મુશ્કેલ છે. “શક્તિ ઉભરાઈ જવાનો ખેલ તે જ સખાવત છે” એવી “સખાવત” ની સામાન્ય વ્યાખ્યા ભય ઉપજાવે તેવી છે, પરંતુ વસ્તુતઃ તેમ નથી. જેઓ “વીર” છે, “યુદ્ધના સંતાને' છે, તેમને માટે એ સ્વાભાવિક છે, અન્યત્ર તે તુચ્છતા છે. આ પ્રકારના વિવેકપૂર્વક જ જે આ કાવ્ય સમજવામાં આવે તે જ તેમાંની વિચારસરણ ઉપકારક નીવડી શકે તેમ છે. ખરેખર, પોતાના હૃદયમાં જળતી સત્યની જવાળાજ લેખકે પિતાની વાણીના ધગધગતા -તરંગમાં ઉતારી છે. તા. ૬-૮–૩૩ સાહિત્ય:-ગુન્હો એટલે શું એ એના પરમ સ્વરૂપમાં જાણવું હોય તો આ નાનો નિબંધ વાંચો. પ્રાયશ્ચિત્તને અર્થ પણ સમજાશે. જેમ ગુન્હાની નવી ફિલસુફી એમાં છે, તેમ વાક્યોને અજબ બળ અર્પે એવી મિતાક્ષરી કે સુત્રાત્મક કે પ્રશ્નાત્મક ભાષા તમને જરૂર આર્કસશે. હિંદુસ્તાન અને પ્રજામિત્ર:–એમાં વાડીલાલની ભાષાની ભભક એના પૂર બહારમાં છે. કેટલાક વિચારો નોંધવા સરખા છે. Eસગાળશા શેઠ અને કેલૈ કુમાર = પ્રથમ આવૃત્તિ, સન ૧૯ર ઃ મૂલ્ય-બે આના. સાંજ વર્તમાન –જાણીતા વિચારક, વિવેચક. ફીલ્સફ અને લેખક શ્રી વાડીલાલ મોતીલાલ શાહે પોતાની લાક્ષણિક શૈલીમાં આ ચેપડીમાં સગાળશા શેઠ અને કેલઈયા કુમારની કથા આલેખી છે. કથા છે કે નાની છે પણ તે ઉડી અને સમજવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ e વા. મા. શાહ કૃત મળી શકતાં પુસ્તક અને અભિપ્રાયા. એ 66 લાયક ભાવનાથી ભરપૂર છે. કથાના અંતમાં કે “ લેાકાને સ્થૂલના ભેગ આપવા પાલવતા નથી, ભાગવવા જોઇએ છે ! માથાં મૂકવાં નથી, માથાં આવુંજ નામ માયાપુરી." પુસ્તકાલય:—સગાળશા શેઠનું ભજન સૌ કાઇએ સાંભળ્યું હશે જ. આ ભજનમાંના પાત્રા સગાળશા, તેમની સ્ત્રી, કુમાર અને સંત એ ચારે પાત્રાની વિશેષતા લેખકે પેાતાની સંસ્કારી ભાષામાં રસદાયક રીતે વર્ષોંધી છે. પુસ્તકમાં છેવટનાં પૃષ્ઠોમાં કરૂણતા ઝળકી ઉઠે છે. આવું નાનું સરખું પુસ્તક ધણું પ્રિય લાગે એવું છે. દરેક સુશિક્ષિત ભાઇએ તે ખરીદવું તે વાંચવું ઘટે છે. —એપ્રીલ, ૧૯૩૩ મહાત્મા કશ્મીરનાં આધ્યાત્મિક પદા (વિવેચન સાથે ) ત્રીજી આવૃત્તિ, સન ૧૯૩૨ : મૂલ્ય-પાકું પૂંઠું સવા રૂપિયા શિક્ષકોની લાયબ્રેરીઓ માટે મજુર થયુ ટ્રેનીંગ ઈન્સ્ટીટયુટસમાં ગુજરાતી ૫'ચઃ—આ પુસ્તકમાં મહાત્મા કશ્મીરનાં આધ્યાત્મિક પદાના સંગ્રહ કરી પેાતાની ભભકભરી શૈલીએ સ્વર્ગસ્થ જૈન સાક્ષર અને તત્વવેત્તા શ્રી. વાડીલાલ મેાતીલાલ શાહે તેના ઉપર વિવેચન કર્યું છે. કબીરજીનુ સંક્ષિપ્ત જીવનચરિત્ર પણ પુસ્તકમાં આપવામાં આવ્યું છે. હિંદુ-મુસલમાન ઐકયના આ પ્રગતિના જમાનામાં જાહેર જનતાને આવા ઉપયાગી પદ્મોના પુસ્તકની ત્રીજી આવૃત્તિ પ્રકટ કરવા માટે સ્વસ્થના અને ખરેખર ધન્યવાદ ધટે છે. માયાની વાત, પરમેશ્વરની વાતા, ધૈય', સંસારમાં સુખ ક્યાં વગેરે બાબતે સંબધીના કબીરજીનાં પહેા સત્ય વસ્તુનું પ્રતિપાદન કરનારાં અને મનન કરવા યેાગ્ય છે. તા. ૧૧–૧૨-૩૨ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat જણાવે છે સ્થૂલ માત્ર કાપવાં છે! Page #92 -------------------------------------------------------------------------- ________________ વા. મ. શાહ કૃત મળી શકતાં પુસ્તકે અને અભિપ્રાયો. ૮૭ સાહિત્ય –ત્રીજી આવૃત્તિ બહાર પડે એ બેશક પુસ્તકની લોકપ્રિયતા સાબીત કરે. એ લોકપ્રિયતા શાથી? એ જેટલી કબીરજીની વાણીને લીધે, તેટલીજ સ્વ. વાડીલાલના વિવેચનને લીધે છે. દરેક પદ પસંદ કરવામાં અને તેની ટીકા તળે યોજવામાં વિદ્વતા અને વિવેકનો ભેગો મેળ સાધવામાં આવ્યો છે. –ડીસે. ૧૯૩૨ મુંબઈ સમાચાર–કબીરના પદોથી ભાગ્યેજ કોઈ અજાણું હેય પણ તેમાં રહેલે ગુઢ ભાવાર્થ ઘણું એાછા સમજે છે. કબીરનાં પદેના અર્થ અને સમજણ અનેક ભાષાની માફક ગુજરાતીમાં પણ પ્રગટ થઈ છે પણ સ્વર્ગસ્થ વાડીલાલ શાહે ઉપલા પુસ્તકમાં તેને અર્થ સમજાવ્યું છે તેને જરૂર અભ્યાસ થ ઘટે છે હિંદુસ્તાન અને પ્રજામિત્ર–હિંદીતત્વવેતાઓએ હજાર વખત ચુંથી નાખેલા વિષયો પર કબીરની પ્રાસાદિક અને લોકભેગ્ય વાણીમાં લખાયેલા પદનું બહુજ યુકિત મત વિવરણ કરવામાં વાડીલાલે બહુજ સારી ફતેહ મેળવી છે. સાંજવર્તમાન વાચકોને કબીરજીને લગતાં બહાર પડેલાં પુસ્તકોમાં અનેરીભાત પાડતું સ્વ. વા. મ. શાહ કૃત આ પુસ્તક વસાવવાની ભલામણ છે. પુસ્તકાલય –તમામ પદો મુખપાઠ કરવા જેવાં સુંદર અને તત્વથી ભરેલાં હેઈ દરેક જીજ્ઞાસુએ ખાસ વાંચવા જેવાં છે. પુસ્તક આદરપાત્ર હોઈ તેટલું જ કિમતી છે. જનતા એને સુવેળે અપનાવે. -સપ્ટે. ૧૯૩૩ કૌમુદી–ટીકા લખનાર સ્વ. વાડીલાલ શાહ જેવા કલ્પનાશીલ વિચારક અને મર્મગ્રાહી લેખક છે એ પરથી જ તેની ઉપગિતા સમજાશે. –ડીસે. ૧૯૩૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ - = શ્રી મહાવીર કહેતા હવા =સચિત્ર બીજી આવૃત્તિ, સન ૧૯૩૩ : મૂલ્ય-પાંચ આના. સાંજ વર્તમાન –આ પુસ્તક બાર વર્ષ પહેલાં પ્રગટ થયેલું છતાં તેની આ બીજી આવૃત્તિ હજી પણ તેટલાજ રસથી વાંચી શકાય તેવી છે. એ વીસમી સદીના હિંદ માટે નૂતન રાષ્ટ્રિય ગીતા અને શક્તિશાળી વ્યક્તિત્વ ઘડનારી નીતિની એક નૂતન ભાવનાનું પુસ્તક છે. આ ચોપડીમાં મહાવીર, શત્રુંજય વગેરે જેન ધર્માનુયાયીઓના માનીતાં નામે લેખકે પિતાની કલાના સાધન તરીકે વાપર્યા છે અને મહાવીરના શ્રી મુખેથી શક્તિના ફુવારા છુટતા હોય તેવાં વા ખરેખર કમાલ છે. મરહુમ ભાઈ વાડીલાલની કલમનું જેમ તાતી તલવારના પાણીની માફક આમાં ચમકારા મારી રહ્યું છે. આવતી કાલના શકિતશાળી ભારતવાસીઓ બનાવવામાં આ પુસ્તક જરૂર સુંદર ફાળો આપી શકશે. તા. ૧૩-૪-૧૯૩૫ પુસ્તકાયલ –પુસ્તક ઘણું સારી અને ભાવવાહી શૈલીમાં લખાયું છે. લેખકનું ધાર્મિક જ્ઞાન ઘણું ઉત્તમ પ્રકારનું જણાય છે. બ્રહ્મ સત્ય જગત્મિકથા' એ સૂત્ર આખા પુસ્તકમાં પ્રસરી રહ્યું છે. આધ્યાત્મિક ભાવ બતાવનારાં ત્રણ ચિત્ર પુસ્તકની શેભામાં વધારો કરે છે. મુમુક્ષુઓને આ પુસ્તક જરૂર ખરીદવા ભલામણ છે. પુસ્તકાલયે પણ વસાવવા જેવું છે. --એપ્રીલ, ૧૯૩૩ સાહિત્યનિર્દોષ બાળક થયા વિના–થવા પહેલાં કોઈને ઉદ્ધાર નથી, અને બાળક એટલે શું એ સમજાવતાં સમજાવતાં લેખકે પિતાની ફીલસુફી રચી છે. બેટી બીક કે બેટી અહિંસા એ બેનું તેલ એમણે કાઢયું છે. આ નાનીસી ફીલસુફીને પૂરી ઘટાવવા કે બહલાવવા એ રહ્યા નહિ એટલી આપણી દીલગીરી. લખનારની શૈલી અસરકારક, ધારાબંધ, વેગવતી અને જોરદાર છે. એનું બળ અસીમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ સદ્દગત શ્રી વી. એ. શાહનું છેલ્લામાં છેટલું પુસ્તક -= આર્ય ધર્મ - – અથવા – વીસમી સદીના આર્ય અને આર્યા ઘડનાર સંસ્કાર ત્રીજી આવૃત્તિ, સન ૧૯૩૫ : મૂલ્ય-પાંચ આના. (૧) દિ. બ. કણલાલ મેહનલાલ ઝવેરી ઝ. A. M. B (મુંબઈ હાઈકોર્ટના રીટાયર્ડ જજ અને ગૂજરાતી સાહિત્ય પરિષના પ્રમુખ) લખે છે કે:-“સ્વ. ભાઈ વાડીલાલભાઈનું “આર્યધર્મનું પુસ્તક એમના હમેશાંના જુસ્સા અને જેમથી લખાયેલું છે. “આપણે કોણ' એ પ્રકરણમાં અસલ ઋષિજીવનને એમણે ટૂંક પણ સચોટ ખ્યાલ આપ્યો છે. “આર્ય અને આ બંનેને એમણે જે સદુપદેશ આપ્યો છે ને જે સંદેશ પહોંચાડયો છે તે ખરેખર મનનીય હોવા ઉપરાંત હાલના વાતાવરણને અંગે ઘણું જ જરૂર છે, એટલે એ પુસ્તક વખતસર જ બહાર પડે છે.” (૨) શ્રીયુત હીંમતલાલ ગણેશજી અંજારીયા ઝ. A. 1. B. (મુંબઈ યુ. ગૂ. શાળાઓના સુપ્રીન્ટેન્ડન્ટ) લખે છે કે – આર્યધર્મ ” સશસુંદર નાનુંસરખું પુસ્તક છે. તેની પ્રસ્તાવના ઉત્તેજક, સૂચક અને નિર્ણયાત્મક છે. જ્યાં સુધી હિન્દની જનતા કાંઈક સમાજઘટના કે વિચારવટનામાં સ્થિર નહિ થાય ત્યાં સુધી એ પ્રસ્તાવના એક પ્રભાતના ડંકા જેવી, ઉંઘનારાને જગાડનાર જેવી, પતનશીલ સમાજને એકાવનાર માર્ગદર્શક જેવી અને દરેક વાચક અને વિચારકને પ્રેરણું કરનાર એક ગેબી અવાજ જેવી બની રહેશે. આર્યધર્મના મૂળગત સિદ્ધાંતની સમજ આપવામાં પણ એ પુસ્તક ખરેખર બહુ ઉપયોગી અને કિંમતી ગણાવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૦ વા. મેા. શાહ કૃત મળી શકતાં પુસ્તક અને અભિપ્રાયા. પ્રાથમિક શાળાના છઠ્ઠા સાતમા ધારણમાં અને હાઈસ્કુલાના પાંચમા, છઠ્ઠા, સાતમા ધેારણામાં એ પુસ્તક એક ફરજીયાત શિક્ષણપુસ્તક તરીકે રાખવામાં આવે તે દરેક આર્ય પોતાના ખરા ધર્મ સમજી શકે. કાઈ પણ હિન્દુને તે પુસ્તકના એક પણ શબ્દની સામે વિરોધ તા શું પણુ અસંતાષ પણુ બતાવવાના રહે જ નહિ એમ હું તા નિશ્ચયપૂર્વક કહી શકું છું. ગુજરાતી દરેક શિક્ષણસંસ્થામાં, દરેક લાયબ્રેરીમાં અને હું તા કહું છું કે દરેક ધરમાં એ પુસ્તક જવું જાઇ એ—જવું જોઇએ એટલું જ નહિ પણ દરેક નિશાળમાં (જ્યાં જ્યાં ઉંચા ધારણા હાય ત્યાં ત્યાં), કૉલેજોમાં, હાર્ટલેામાં અને જ્યાં જ્યાં વિદ્યાર્થી સમુદાયા હોય ત્યાં ત્યાં તે વંચાવું જોઈએ અને તેના અભ્યાસ આવશ્યક ગણાવવા જોઇએ. "" (૩) મહાત્મા ગાંધીજી ( યરવડા સેંટ્રલ જેલમાંથી ) તા. ૧૮-૧૨-૩૨ના પત્રમાં લખે છે. “ તમારા કાગળ મળ્યો. વળી પણ તમને નિરાશ કરવા પડશે. તમને અભિપ્રાય મેાકલવાની મને ટ નથી. "" (૪) મુંબઇ સમાચાર—આ પુસ્તક યુવકે તેમજ વૃદ્ધોએ વાંચી મનન કરવા જેવું છે. આપણા સમાજ અને દેશની પડતીનું કારણુ તેમાંથી મળી આવવા ઉપરાંત ઉન્નતિ માટે શું કરવું જોઈ એ તે પણ તે પરથી સમજી શકાય તેમ છે. ધર્મગુરૂ અને શ્રીમંતોએ દેશનું કેટલી હદે સત્યાનાશ વાળ્યું છે તે આ પુસ્તક પરથી યથાર્થ સમજી શકાય તેમ છે. પુસ્તકની પ્રસ્તાવના વાંચવાથીજ હિંદની અત્યારની સ્થિતિ જોઈ તેમનું હૃદય કેવું રડતું હતું તે જણાઇ આવ્યા વિના રહેતું નથી. આર્યધર્મના મૂળ સિદ્ધાંત સમજવા માટે.આ પુસ્તક જરૂર ઉપયેાગી થઇ પડશે.આ પુસ્તકને પુસ્તકાલયા અને શાળાઓમાં સ્થાન મળવું ઘટે છે. —તા. ૫-૧-૨૩ 6 બાએ સેન્ટીનલ ” ( અંગ્રેજી દૈનિક )–પુસ્તક નાનું પણ ધણું ઉપયાગી છે. આ પુસ્તકની પહેલી આવૃત્તિ થેાડાજ મહિનામાં ખપી ગઇ એજ પુસ્તકની ઉપયાગીતા અને ખ્યાતિ પૂરવાર કરે છે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ વા. મ. શાહ કૃત મળી શકતાં પુસ્તકે અને અભિપ્રાયો. ૯૧ (૬) ગુજરાતી સાપ્તાહિક પત્ર (મુંબઈ)–હિંદુ, પારસી, જેન, મુસ્લીમ દરેકે આ પુસ્તક વાંચવા જેવું છે. દરેક સ્કુલમાં આ પુસ્તક રાખવામાં આવે એ ઈચ્છવા યોગ્ય છે. તા. ૧૭-૯-૩૩ (૭) પુસ્તકાલય માસિક પત્ર (વડોદરા)-લેખકે દાન, શીલ, તપ, ભાવનાના લેખોમાં સુંદર વિચારે ગુંચ્યા છે. આવા નીડર લેખકની આ અમલી કૃતિ છે. પુષ્કળ સૂક્ષ્મ પાકટ વિચારેને. મુક્તિમાર્ગો લેખકે એમાં દર્શાવેલા છે. –ઑગસ્ટ, ૧૯૩૩ (૮) સાહિત્ય માસિક પત્ર (વડોદરા)–આ વાડીલાલ શાહની છેટલી પ્રસાદી હોવાથી આપણને ખુબ પ્રિય થઈ પડશે. તેઓ સમર્થ પ્રસ્તાવનામાં એમની લાક્ષણિક શૈલીમાં કહે છે? “હિંદ જે ધર્મ ગુમાવશે તે જગલી–રાક્ષસીજ બની જશે. એના અનિયંત્રિત માનસને કાબુમાં રાખનારી એ એકની એક ચીજ નાબુદ થાય એ એના વિકાસને અને મુકિતને માટે નહિ ઈચ્છવા જોગ છે. પણ હિંદ એના અતિ ધર્મને લીધે જ ધર્મને નાશ કરી બેસશે તો કેાણ અટકાવી શકશે?” આ બે વાક્યને, આ નાના નિબંધનો કહે કે નિબંધ સંગ્રહનો કહો સારો ઉદ્દેશ સમાઈ જાય છે. એક બાજુ ધમધતા અને પાખંડ અને બીજી બાજુ નાસ્તીકતા અને અશ્રદ્ધાઃ એ બેની વચ્ચે હિંદુસ્તાને સંભાળીને પ્રયાણ કરવાનું છે. સીમાઓ ઓળંગવાથી ભયંકર પ્રદેશમાં જવાય એ વાતની યાદ વારે વારે વાડીલાલે જીવતાં આપી હતી. આ છેલ્લી ચાપડીમાં તેઓ સાચે આર્ય ધર્મ ( યાદ રાખે કે એ જેન ધર્મને પણ આર્યધર્મને ભાગજ ગણતા ) આપણને સમજાવે છે ને તે એવા ઉદ્દેશથી કે નાનપણમાં જ ધર્મના અંકુર ફટી નીકળે. જાહેર શાળામાં શીખવવા જેવા આ ધાર્મિક ટકા પ્રવચને છે. “આપણે કાણું એ પ્રશ્નમાં તે મૂળ હિંદુ ધર્મ શું તે સમજાવે છે, પછી આર્યા એટલે કેવી સ્ત્રી જેનું વિવેચન બીજા નીબંધમાં છે, આર્ય ધર્મ તે શું તે ત્રીજો વિષય છે અને તેના ચાર અંગ દાન, શીલ, તપ, અને ભાવના એના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૨ વા. મો. શાહ કૃત મળી શકતાં પુસ્તકો અને અભિપ્રાયો. પર ગહન છતાં સરળ વિચાર આપેલા છે. છેલ્લા ભાવના વિષેના ઉદ્દગારે ખુબ ઉંચી ભાવના જગાડે એવા સરસ છે. નિશાળમાં ચલાવવા લાયક આ ચોપડી છે. . (૯) સાંજ વતમાન-પ્રસ્તાવના વાંચવા, મનન કરવા અને જીવનમાં ઉતારવા લાયક છે... આ પુસ્તક લખવાને લેખકને ઉદ્દેશ તનદુરસ્ત હિંદી ઘડવાનો છે... આ પુસ્તક હિંદુ કે બીન હિંદુને પણ સરખી રીતે ઉપયોગી થઈ પડે તેવું છે. (૧૦) કૌમુદી–એટલું તો આપણે ખુલ્લા દિલે સ્વીકારવું જ પડે તેમ છે કે પ્રસ્તાવનામાં કર્તાએ આપણને જે ચાબખા માર્યા છે તેને આપણે જેમ પૂરેપૂરા લાયક છીએ, તેમ ગ્રંથમાં આર્યત્વ વિશેનાં જે સત્ય વિધાનાત્મક રીતે તેમણે રજુ કર્યા છે તે આચરવાં એ પણ આપણને ખરેખર લાજમ છે. એપ્રીલ, ૧૯૩૩ =સુદર્શન (વેલ) ત્રીજી આવૃત્તિ ઃ સન ૧૯૧૧ : મૂલ્ય દશ આના. પ્રજાબંધુ' સાપ્તાહિક પત્ર–વર્તમાન જૈન સમાજની નૈતિક અને સામાજીક નિર્બળતાએ સ્પષ્ટ શબદોમાં બતાવી આપવી અને તેમાં ઈષ્ટ સુધારણું કરવાના હેતુથી શ્રી વા. મે. શાહે કેટલાંક વર્ષો પહેલાં આ જેન નવલકથા લખી હતી. પિતાની જલવંત શૈલીમાં તેમણે જૈન સમાજનાં નિબળ મર્મસ્થાનો બતાવી તે ઉપર કડક પ્રહાર કર્યા છે અને સુયોગ્ય વિચારથી દોરવણી પણ કરી છે. સુદર્શન’ને નવલકથાનું રૂપ આપવામાં આવ્યું છે, પરંતુ વસ્તુતઃ તેમાં નવલકથાની કલા નથી. મર્મસ્થાનને સ્પર્શીને હૃદયને ક્ષુબ્ધ કરી છેવટે વિચારણને માર્ગે ચડાવે તેવા ઉપદેશવાળી વાર્તા છે. સુદર્શનને જન્મ થતાં પૂર્વથી વાર્તાની શરૂઆત થાય છે અને તે જન્મે છે, ભણે છે, પરણે છે, ત્યાં સુધીમાં વિવિધ જીવન પ્રસંગે યોજીને તેને ઘટતી વિચારણા લેખકે સમાજ સમક્ષ રજુ કરી એક મનુષ્યના જન્મથી મરણ સુધીના જીવનમાં જે સ્વાભાવિક પ્રસંગે આવે તે પ્રત્યેક પ્રસંગોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ વા. મે. શાહ કૃત મળી શકતાં પુસ્તક અને અભિપ્રા. ૯૩. અનુસરતી દોરવણી કરવાને લેખકને આશય છે એમ સ્પષ્ટ જોઈ શકાય છે, અને આ પ્રથમ ખંડમાં લગ્ન સુધીના પ્રસંગે આવી જાય છે. બાળલગ્ન, કન્યાવિક્રય, કન્યાની પસંદગી, લગ્નનાં અણઘટતાં ખર્ચો, જ્ઞાતિ ભેજનનાં ગંદા જમણવાર, પતિત સાધુએના આચાર ઈત્યાદિ અનેક બાબતે વિષે લેખકે પિતાના વિચારે ધગધગતા શબ્દોમાં દર્શાવ્યા છે, જે વિચારો વર્તમાન જૈન સમાજ ધરાવતે થયો છે. તે વિચારે આજથી લગભગ ૨૫ વર્ષ પૂર્વે આ પુસ્તકમાં સ્વ. વા. મે. શાહે જેન જનતા સમક્ષ રજુ કર્યા હતા. –૨૫ જુન ૧૯૩૩ ગુજરાતી પંચજેની વસ્તુસંકલના ઘડતાં સ્વર્ગસ્થ આપણું લેકની લગ્નની રૂઢીઓ, દાન ધર્મની પ્રથા, જમણવારની ગેરવ્યવસ્થા વગેરે બાબતમાં કેવા કેવા સુધારાની આવશ્યકતા છે, તે સમજાવ્યું છે. વિચારે બધપ્રદ છે અને વાર્તા વાંચીને સાર ગ્રહણ કરવા જેવી છે. ૧૧–૧૨–૩૨ સાહિત્ય –સ્વ. વાડીલાલની આ નવલકથામાં પણ વસ્તુ કરતાં બોધ પર વધારે ભાર મૂકેલ છે. કૃત્રિમ કે નાટકીઆ સ્નેહના આ જમાનામાં આ વાત ન પણ રૂચે. વળી ગુજરાતી સાહિત્યમાં ભેજ અને અખો એ બેએ સમાજને ખુબ ચાબખા મારેલા. સ્વ. વાડીલાલ પણ એ ચાબખારીતના ઉપાસક હતા. –ડીસે. ૧૯૩૨ મૃત્યુના મોંમાં કલ્લાક્કa અથવા છેક ટકા અમૃતલાલનું અઠવાડિયું છે સચિત્ર બીજી આવૃત્તિ સન ૧૯૩૫: પાકું પૂંઠું મૂ. બે રૂપિયા સંકટ સિવાય બીજી કોઈ ચીજ મનુષ્યના હૃદયને પલટ આપી શકતી નથી અને હૃદયના પલટા પછી મનુષ્યમાત્ર એક અઠવાડીઆ જેટલા ટૂંક સમયમાં કેવાં દિવ્ય પરાક્રમ કરી શકે છે તે બતાવનારી અને એક મહાત્મા, એક મિલ માલેક તથા એક સાયન્ટીસ્ટઃ મુડદાલ હિંદના પુનરૂદ્ધાર કેવી રીતે કરે છે, તે કહેનારી અદ્દભૂત કથા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com 8. Page #99 -------------------------------------------------------------------------- ________________ વા. મે. શાહ કૃત મળી શકતાં પુસ્તક અને અભિપ્રાયે. મિલેાનાં પાકળ કેમ સુધરે, મહાત્માને સર્વ પ્રજા જોગ ઢંઢેરા, ડયુક આક્ કાનાટ મહાત્માની મૈત્રી માગે છે, દવા વગરનું નૂતન આરાગ્યભવન, શક્તિશાસ્ત્રના અમેાધસૂત્રેા, તમામ ધર્માને જગાડનાર નૂતનધર્મ, જ્ઞાતિ અને શિક્ષણના પ્રશ્નના ઉકેલ અને દુનિયાનું ભવિષ્ય વગેરે બાબતે ગાંધીયુગની શરૂઆત પહેલાં લખાયલી આ કથામાં જોશો. આ પુસ્તકમાં આપેલું દુનિયાનું ભવિષ્ય આજે તદૃન ખરૂં પડતું જોવામાં આવે છે. પહેલી આવૃત્તિની માત્ર ૧૦૦ પ્રતા જ શીલીકમાં છે જે એક રૂપિયાની કિંમતથી મળી શકશે. જૈન દીક્ષા પ્રથમ આવૃત્તિ, સન ૧૯૨૯ : મૂલ્ય-પાકું પૂંઠું એ રૂપિયા દીક્ષા શું ચીજ છે, શા માટે છે; સાધુનું સ્થાન જૈન શાસનમાં કયાં છે, સાધુની સામાન્ય અને વિશેષ ફરજો શું છે, સાધુ સાચેા હાય તે। જગતને શું હિત છે; જૈન ધર્મ શું ચીજ છે, શા માટે છે, કાને માટે છે; જગતમાં જૈન ધર્મનું સ્થાન કયાં છે; જૈન ધર્મની આજે સ્થિતિ શું છે, જૈન સાધુની આજે સ્થિતિ શું છે, શ્રાવકવર્ગની આજે સ્થિતિ શું છે, જગતના ઉદ્દારમાં સાધુશ્રાવકનું સ્થાન શું છે; દ્દાર એટલે શું, મેક્ષ એટલે શું, આ જીંદગીમાં ઉદ્દાર કે મેાક્ષ કેમ થાય; જૈન બન્યા સિવાય દુનિયાના કોઈ મનુષ્યને નહિજ ચાલી શકે અને દરેક સાચા જૈનને ઉપર લખેલા પ્રશ્નોના જ્ઞાન વગર પણ નહીંજ ચાલે. એ જ્ઞાન થશે તેા દીક્ષાના તેમજ કાઈ જાતના ઝગડા થવા નહીં પામે. એ જ્ઞાન આપનારૂં એકનું એક પુસ્તક જૈન દીક્ષા હમણાંજ ખરીદો. અને એમાંને શબ્દેશબ્દ એકાંતમાં વાંચેા. આ પુસ્તકમાં યેાગશાસ્ત્રની છૂપી ચાવીઓ પહેલીવાર ખુલ્લી કરી છે, ઉપરાંત શાસ્ત્રોનું રહસ્ય અને તપ, વ્રત, ધ્યાનાદિના ઉપયાગ બતાવ્યા છે. જૈનશાસનની સત્તા આખી દુનિયા પર સ્થાપવાની કળા પણ એમાં જોશેા. માત્ર થાડી જ પ્રતા શીલીકમાં છે. 99 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat もと t www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ *પ્રગતિના પાદચિન્હ હિન્દુસ્તાન' દૈનિક કેટલાક વિહિક આદિ પત્રોમાં અથવા watedઅનુભવના એહકારHRERS પ્રથમ આવૃત્તિ, સન ૧૯૩૩ઃ મૂલ્ય-પાકું પૂંઠે એક રૂપિયા આ લેખમાળા “પ્રગતિ” પત્રમાં છપાયા પછી એટલી બધી લકાપ્રય થઈ પડી હતી કે થોડા જ વખતમાં “હિંદુસ્તાન' દૈનિક, જેનજીવન' સાપ્તાહિક આદિ પત્રમાં હેનો ઉતારે થયા હતા. કેટલાક વિદ્વાન મિત્રોની માગણથી આ લેખમાળાને પુસ્તકરૂપે પ્રકટ કરવામાં આવી છે. આ પુસ્તકમાં લેખકે પોતે લખેલું પિતાનું આત્મવૃત્ત પણ આપવામાં આવ્યું છે. પ્રગતિની ખરી ગરજવાળા દરેક મનુષ્ય આ પુસ્તકનો અવસ્ય અભ્યાસ કરવો ઘટે છે. = નસત્ય = પ્રથમ આવૃત્તિ ઃ મૂલ્ય-પાકું પૂંઠું અઢી રૂપિયા. આ લેખમાળા જ્યારથી પ્રગટ થવા લાગી ત્યારથી ગુજરાતી શબ્દકોશમાં “નગ્નસત્ય” નામનો ન જ શબ્દ ઉમેરાયો છે અને પત્રકારે, લેખકે તેમજ જાહેરજનતા હેને છૂટથી ઉપયોગ કરે છે. આ લેખમાળા માટે લેખકને આધુનિક ગુજરાતી લેખકોની કદર માટે યોજાયેલા શ્રી ગલીઆરા પ્રાઈઝીસનું પ્રથમ પંક્તિનું રૂપિયા એક હજારનું પ્રાઈઝ મળ્યું હતું. આ પુસ્તકની પ્રસ્તાવનામાં મુંબઈ હાઈકોર્ટના રિટાયર્ડ જજ અને ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ દિ. બ. શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી જણાવે છે કે – રા. વાડીલાલે લખ્યું છે ને ચિંતવ્યું છે તેને સુધારી શકે યા તેની પર જઈ શકે એવી તે કઈ વિરલા જ વ્યકિત મm શકે.” વીર વિજય પ્રિન્ટિંગ પ્રેસમાં શા. મણિલાલ છગનલાલે છાપી. સાગરની ખડકી રતનપળ–અમદાવાદ શબ્દામ તેમજ અને એઝોસનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ વાંચનાખી નેધ. . . . . #મ ? , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ બી ચોટ zlcPhllo nollers - આખી દુનિયા (લ ડેન અલીન, પેરીસ, હોલાન્ડ, ઈટલી, - તમારા દીવાનખાનામાં સાંભળવી છે = સામા રેડીયા ખરીદો સામા રે ડીયેા સર્વોત્તમ હોવાથી આખી દુનિયામાં ૧પ. - કરતાં વધારે ઠેકાણે ચાલુ છે. આ રેડીયા હિદરતાનન આબેહવાને અનુકુળ થાય એવી રીતે બનાવેલા હાવાથે એક વર્ષ માં વાવ સિવાય ગમે તે ભાગ અગર :: 3 તા તે મફત અદલી આપવામાં આવે છે. * ડી.એડજસ્ટ્રેશન માટે લખેલા ચા સળે- 1 સાબા રેડીયો કંપની હેડ ઓફિસ- 29 ન્યુ કવીન્સ રાડ - મુંબઈ ટેલીફાન ૨૦૯૩.............ટેલીગ્રાન્સ V ATMOSTEL : શાખાઓ : મદ્રાસ 98 A વાલાન્તાહ રોડ - માઉંન્ટ રોડ અગલેાર : ચીટ પેટ. અવલપીંડી : એડ્રવર્ડ કે રોટ કલકત્તાઠ : આગસ્ટ માસમાં ખુલરો. જયાં આ *કપનીની શાખા ન હોય ત્યાં હેડ , તરફથી એકવલ ઉપર સાબ રેડીયે મળી શકશે. જરૂર ૫ડયે પૂછાવરો દવા.. મા. શા.' છાપના જર્મન જીન પાટર્સ, મીલ-જીને કે લગતા તમામ સ્ટાર્સ, દરેક જાતની મશીનરી અને છટા ભાગે વગેરે માલની જ્યારે જરૂર પડે ત્યારે અમને પૂછાવરો પાનિયર સીલ સ્ટાર્સ ટ્રેડીંગ કાં. એપેલેસ્ટ્રીટ, કપટ-લું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com