________________
હિંદ જ્યારે તનદુરસ્ત માનસ ધરાવતું હતું તે વખતના હેના તત્વવેત્તાઓએ માનસનું સ્વરૂપ સારી રીતે વિચાર્યું હતું અને હિંદીઓના આખાય માનસના આરોગ્ય તથા વિકાસનું સાયન્સ શોધ્યું હતું. તેઓ “માનસ” ને “અંતઃકરણ” કહેતા અને એમાં મન, બુદ્ધિ, ચિત્ત તથા “અહંકાર એવાં ચાર સૂક્ષ્મ અંગાને સમાવેશ કરતા. “અહંકાર એટલે વ્યકિતત્વ (Individuality) જેમાં ચારિત્ર (character) નો વાસ છે, એને Will (ઈચ્છાશકિત, સંકલ્પબળ ) કહે તે પણ ચાલે. તાત્પર્ય કે માણસના બાહ્ય શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો એ જેમ મુખ્ય “અંગ” અથવા “કરણ છે, તેમ હેના આંતરશરીરમાં (અંતઃકરણમાં) મન, બુદ્ધિ, ચિત્ત અને વ્યક્તિત્વ એ ચાર ‘કરણ” અથવા અંગ છે.
અને એ પ્રત્યેક કરણ જ્યારે તનદુરસ્ત હોય એટલું જ નહિ, પણ એક-બીજાથી સહકાર કરતા હોય ત્યારે જ એમ કહી શકાય કે અમુકનું માનસ બરાબર છે, અર્થાત્ અમુક મનુષ્ય “સ્વાભાવિક સ્થિતિમાં છે. એ ચાર અંગેમાંનું એક પણ અંગ બીમાર, મુડદાલ, દબાયેલું, સહકાર નહિ કરનારૂં, સ્વછંદી બને તે મનુષ્યની અંદરની મશીનરી અવ્યવસ્થિત થાય અને એ ક્ષણભર પણ ભૂલવું ન જોઈએ કે મનુષ્યની સઘળી ક્રિયાઓ પ્રથમ “અંતઃકરણમાંથી જ પ્રકટે છે. ક્રિયા કરવાની ઈચ્છા ત્યાંથી જ ઉદભવે છે, ક્રિયાની દિશા ત્યાં જ નક્કી થાય છે, અને યિાનું બળ પણ ત્યાંથી જ મળે છે. એટલે જે પ્રજાએ, “સંપૂર્ણ મનુષ્ય ઉપજાવવા હોય તેણે માનસના ચાર અંગોના આરોગ્ય, વિકાસ તથા સહકાર તરફ લક્ષ ઠેરવીને જ શિક્ષણ પદ્ધતિઓ મુકરર કરવી જોઈશે, એ દષ્ટિએ જ લગ્નાદિ સામાજિક પ્રશ્નોની પુનવ્યવસ્થા કરવી જોઇશે અને એ દૃષ્ટિએ જ રાજકીય પુનરૂત્થાનના પ્રશ્નો હલ કરવા જોઇશે.
આટલી સહમજ એ પુનરૂત્થાનનું કામ કરનારાઓ માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com