________________
મહારાજ સાહેબ,
એક વાત મને એ સમજાતી નથી કે હમણાં છેલ્લા કેટલાક સમયથી મારા દુશ્મનોની સંખ્યામાં સતત ને સતત વધારો જ કેમ થઈ રહ્યો છે ? અલબત્ત, મારી સમક્ષ તો સહુ મીઠી મીઠી વાતો જ કરી રહ્યા છે; પરંતુ મારી પીઠ પાછળ સહુ મારા અવર્ણવાદ જ કરી રહ્યા છે એનો મને બરાબર ખ્યાલ આવી ગયો છે. હું ક્યાંય પણ જઈને ઊભો રહું છું, મારું આગમન કોઈને ય ગમતું ન હોય એવું હું સ્પષ્ટ અનુભવી રહ્યો છું.
અને એક વાત આપને જણાવું ? મારું મન મને એમ કહી રહ્યું છે કે થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ’. જો કોઈને ય તારા મિત્ર બનવામાં રસ ન હોય તો તારે પણ કોઈના યમિત્ર બનવાની જરૂર નથી, તેઓ તારા તરફ જો ઇંટ ફેંકી રહ્યા છે તો તારે એનો જવાબ પથ્થરથી આપતા રહેવા જેવું છે. આપ આ અંગે શું કહો છો ?
અભિષેક,
એ જગાએ મેં વાંચ્યું હતું કે ‘મિત્ર સહુને ન બનાવી શકો તો ય વાંધો નથી; પરંતુ દુશ્મન તો એકને પણ ન બનાવશો’ અને તું મને પત્રમાં લખી રહ્યો છે કે ‘મારા દુશ્મનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને મારું મન પણ એ સહુ સાથે એવો જ વ્યવહાર કરવાની પ્રેરણા કરી રહ્યું છે !’
૧૫