________________
લાંબુ થઈ ગયું છે, તમે જો એને હવે આગળ લંબાવવા નથી જ માગતા તો તુર્ત જ વાક્ય આગળ પૂર્ણવિરામ ચિહ્ન મૂકી દો. વાક્ય પૂરું થઈ જશે.
તેં જે સંદર્ભમાં મારી પાસે સમાધાન માગ્યું છે એ સંદર્ભ અંગે મારો જવાબ આ છે કે મન અલ્પવિરામ ચિહનું હિમાયતી છે જ્યારે અંતઃકરણ પૂર્ણવિરામ ચિહનું. તું જેઓની સાથે પણ થઈ ચૂકેલા અણબનાવો પર પૂર્ણવિરામ મૂકી દેવા માગે છે, એ સહુના ઝૂકવાની રાહ જોયા વિના તારા જ ખુદના અંતઃકરણ પાસે પહોંચી જા. તારું અંતઃકરણ તને વિલંબ વિના -પળના વિલંબ વિનાપૂર્ણવિરામ મૂકાવી દેવામાં સફળતા આપી દેશે.
યાદ રાખજે. પુસ્તકના કેટલાંક વાક્યો આગળ અલ્પવિરામ ચિહ્નો મૂકવાં કદાચ જરૂરી હશે; પરંતુ જીવનના પુસ્તકમાં ક્યાંય પણ, ક્યારેય પણ દુભવનાં દ્વેષનાં કે કલેશનાં અલ્પવિરામ મૂકવા જેવાં નથી.
૩૮