________________
મહારાજ સાહેબ,
કમાલની કરુણતા મારા જીવનમાં એ સર્જાઈ છે કે સામી વ્યક્તિ પોતાનાં જીવનની કોક સમસ્યાની મારી પાસે રજૂઆત કરે છે અને હું એને એ સમસ્યામાંથી બહાર નીકળી જવાના રસ્તાઓ બતાવતી સલાહ આપું પણ છું તો ય એ સલાહને અનુસરવાનું તો એને ગમતું નથી, એ સલાહને સ્વીકારવાનું તો એને ગમતું નથી, પણ એ સલાહને સાંભળવાનું પણ એને ગમતું નથી.
પ્રશ્ન તો મારા મનમાં એ છે ઊઠે કે સામી વ્યક્તિ જો આપણી સલાહ સાંભળવા પણ ન માગતી હોય તો પછી શા માટે વગર બોલાવ્યે આપણી પાસે આવીને પોતાની સમસ્યાની રજૂઆત કરતી હશે ? આખરે આપણે કાંઈ નવરા-ધૂપ તો નથી બેઠા ને ?
ત્યાગ,
તારી વેદના હું સમજું છું પણ તેં જે મૂંઝવણ રજૂ કરી છે એના સંદર્ભમાં એક વાત તને જણાવું ? જે પણ વ્યક્તિ પોતાની સમસ્યાની રજૂઆત તારી પાસે કરવા આવતી હશે એ વ્યક્તિને તારી પાસે આશા હશે કે તું એને કંઈક સહાય
૫૯