________________
કારણ?
આ જ કે “દ:ખ ન જ જોઈએ’ એ સંકલ્પ કરનાર આખરે છે કોણ? મન ! અને મન છે સ્વાર્થી ! પોતાના પર આવતા રાઈ જેટલા દુઃખથી બચવા એ સામાને મેરુ જેટલું દુઃખ આપવું પડે તો ય આપવા તૈયાર અને તત્પર હોય છે.
તારે સાચે જ જો દુઃખ અંગેનો કોઈ સંકલ્પ કરવો જ હતો તો અંતઃકરણ પાસે જવાની જરૂર હતી કારણ કે અંતઃકરણ પરમાર્થના રવભાવવાળું છે. એની પાસે તું ગયો હોત તો એ તને આ સંકલ્પ કરાવત કે “મારે દુઃખ કોઈને પણ આપવું નથી.'
“દુઃખ જોઈતું નથી એ સંકલ્પ અને દુઃખ આપવું નથી” એ સંકલ્પવચ્ચેનો તફાવત ઝેર અને અમૃત વચ્ચેના તફાવત જેટલો છે એ તું કાયમ આંખ સામે રાખજે. પ્રથમ સંકલ્પમાં દુ:ખો લમણે ઝીંકાવાનાં નિશ્ચિત છે જ્યારે બીજા સંકલ્પમાં દુઃખોની કાયમી વિદાય નિશ્ચિત છે.