Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 99
________________ મહારાજ સાહેબ, મારા પુણ્યનો મને ખ્યાલ છે અને એટલે જ હું મનમાં કોઈ મોટા અરમાનો સંઘરીને નથી બેઠો પણ એટલો આગ્રહ તો મારો ચોક્કસ હોય જ છે કે ચીજ ભલે નાની હોય પણ એ એકદમ વ્યવસ્થિત તો હોવી જ જોઈએ. ચા આખા દિવસમાં હું એક જ વાર લઉં છું અને એ ઠંડી હોય તો શેં ચાલે ? નવાં કપડાં મારે ક્યારેક જ પહેરવાનાં હોય છે અને એ ઇસ્ત્રી કર્યા વિનાનાં હોય એ શું ચાલે ? સત્કાર્ય આપણે ક્યારેક તો કરતા હોઈએ અને કદરના બે શબ્દો પણ સાંભળવા ન મળે એ શું ચાલે ? ટૂંકમાં, મન મારું એમ કહે છે કે જગતની દૃષ્ટિએ જે ચીજોની કે પ્રસંગોની ગણના ભલે ‘તુચ્છ’ માં થતી હોય પણ આપણી પાસે એ ચીજો અપ-ટુ-ડેટ જ હોવી જોઈએ અને એ પ્રસંગો સારી રીતે જ ઊજવાવા જોઈએ. આ અંગે આપ શું કહો છો ? વૈભવ, તને એક વાતનો કદાચ ખ્યાલ નહીં હોય કે માણસની કક્ષા એની પાસે શું છે એના આધારે નક્કી નથી થતી પણ એની પસંદગી શું છે એના આધારે નક્કી થાય છે.

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102