________________
તર્કનો માર્ગખોટો જ છે કે ખરાબ જ છે એવું તો હું તને નહીં કહું પણ તથ્ય સુધી પહોંચવા માટે એ જ માર્ગ સાચો છે કે સારો છે એ પણ હું તને નહીં કહું.
દોરડું ખાલી ઘડાને કૂવાના પાણી સુધી લઈ જાય છે જરૂર પરંતુ એ ખાલી ઘડો પાણીથી ભરાઈ જાય છે જ્યારે ? પાણી સામે ઝૂકી જાય છે ત્યારે ! હાથમાં પકડેલ દોરડા પરની પકડ ઢીલી કરવામાં આવે છે ત્યારે !
ગુજરાતીમાં એક કહેવત છે ને કે તમારે જો રોટલા સાથે જ નિસ્બત છે તો ટપટપની ચર્ચામાં પડવાની લાંબી જરૂર નથી. મારે તને આ જ વાત કહેવી છે. તું જે અંતઃકરણને પ્રિય એવા તથ્ય સુધી પહોંચવા માગે છે તો મનને પ્રિય એવા તર્કના રુક્ષ રસ્તા પર જ ચાલતા રહેવાની તારે જરૂર નથી. બાકી, તને તારી બુદ્ધિનો બહુ ફાંકો હોય તો રાતના સૂઈ ગયા પછી તને સવારે ઉઠાડે છે કોણ? એનો તર્કબદ્ધ જવાબ શોધી લાવ!