Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 80
________________ તેં પત્રમાં જે કાંઈ લખ્યું છે એ તો મનની માગ છે, અંતઃકરણની નહીં, અને યાદ કરાવી દઉં તને આ વાત કે મનની માગને આધીન બની જવા માટે તારે વધુ ને વધુ પશુતા તરફ ધકેલાતા જ રહેવું પડશે. દુનિયા ચાહે કૂતરાની હોય કે ગધેડાની, ડુક્કરની હોય કે શિયાળની ત્યાં તને ભસવાની, કરડવાની, લાતો મારવાની કે આક્રમણો કરવાની ચેષ્ટાઓ સિવાય બીજું કશું ય લગભગ જોવા નહીં મળે. માનવના ખોળિયે પણ તું જો એ જ ચેષ્ટાઓ કરવા માગતો હોય અને તારી જાતને ‘પશુ’ પુરવાર કરવા માગતો હોય તો મારે તને કશું જ કહેવાનું રહેતું નથી. પણ, માનવના ખોળિયે તું જો દેવ બની જવા માગતો હોય તો મારે તને એટલું જ કહેવું છે કે હાથ તું ભલે કોકને જ આપી શકે પણ પગ તો કોઈના ય ખેંચીશ નહીં. કારણ કે હાથ આપવા માટે પ્રોત્સાહિત કરતું અંતઃકરણ પ્રભુની પ્રશંસાનો વિષય બનતું હોય છે જ્યારે પગ ખેંચવા માટે પ્રોત્સાહિત કરતું મન તો સજ્જનોના જગતમાં થૂ થૂ જ થતું હોય છે. સાવધાન! ८०

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102