________________
sy
મહારાજ સાહેબ,
હું મારી માન્યતામાં સાચો છું કે નહીં એની મને ખબર નથી પણ હમણાં હમણાં છેલ્લા કેટલાક સમયથી મારા મનનો કબજો એક વિચારે લઈ લીધો છે અને એ વિચાર આ છે કે મારી સાથે જે પણ વ્યક્તિ જાણી જોઈને ગલત વ્યવહાર આચરે, એ વ્યક્તિ વારંવાર એવો વ્યવહાર આચરવા ન લાગે એ ખ્યાલે એને એના એ ગલત વ્યવહાર બદલ સજા કરતા જ રહેવું જોઈએ.
મેં ક્યાંક વાંચ્યું હતું કે રોગ, દેવું, આગ અને દુશ્મન આ ચાર નાનાં હોય તો ય એને નાનાં ન માનતા, ઊગતાં જ ડામી દેવા. જો એ બાબતમાં તમે ઊણાં ઊતર્યા તો શક્ય છે કે તમારે સંપત્તિથી યાવત્ ક્યારેક જાનથી પણ હાથ ધોઈ નાખવા પડે.
જાણવું તો મારે એ છે કે ‘થાય તેવા થઈએ, તો ગામ વચ્ચે રહીએ' નો મારો અભિગમ બરાબર તો છે ને ? અંકુર,
મને બરાબર ખ્યાલ છે કે કૂતરો તારી સામે ભસતો હોય છે તો તું પણ એની સામે ભસવા નથી જ લાગતો. દારૂડિયો
૮૭