Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 84
________________ પાસે છે ખરા? તારું મન એમ કહે છે કે “જેટલી મીઠાઈ હું ખરીદી શકું તેમ છું એ બધી જ મીઠાઈ મારે પેટમાં પધરાવી દેવી છે.” તારી હોજરી એટલી મજબૂત છે ખરી? જો ના, તો આનો અર્થ તો આ જ ને કે તારે પ્રસન્નતાના નામનું નાહી જ નાખવાનું રહે ! ના. પ્રસન્નતા અનુભવી શકાય છે, પરંતુ એક અલગ રીતે. “જે ચાહતા હોઈએ એ મળી જાય તો જ પ્રસન્નતા' આ ગણિતમાં ભલે મનને રસ છે; પરંતુ અંતઃકરણને તો “જે મળી જાય એને ચાહવા લાગીએ એટલે પ્રસન્નતા જ પ્રસન્નતા.' આ ગણિતમાં રસ છે. | મન કહે છે, મીઠાઈ મળે તો જ પ્રસન્નતા પણ અંતઃકરણ કહે છે, રોટલો મળી ગયો છે ને? બસ, પ્રસન્નતા જ પ્રસનતા છે. વાંચી છે તે અંગ્રેજીની આ પંક્તિ? WHEN WE HAVE NOT WHAT WE LIKE, THAN WE MUST LIKE WHAT WE HAVE. એટલું જ કહીશ કે મનની સલાહના માર્ગે પ્રસન્નતા ક્યારેય નથી અને અંતઃકરણની સલાહના માર્ગે પ્રસન્નતા અત્યારે જ છે. કયા માર્ગે કદમ માંડવા એનો નિર્ણય તારે કરવાનો છે.

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102