Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 73
________________ મહારાજ સાહેબ, આપના જ કોક પુસ્તકમાં મેં વાંચ્યું હતું કે મકાનના થાંભલાઓ એક-બીજા વચ્ચે સલામત અંતર રાખે છે તો જ મકાનટકી શકે છે. ભૂલેચૂકે થાંભલાઓ જો એકદમ નજીક આવી જાય તો મકાનનું ટકવું સર્વથા અસંભવિત જ બની જાય. આપની આ વાત મારા હૈયાસોંસરવી ઊતરી ગઈ છે અને મેં એ જ અભિગમ સાથે જીવન જીવવાનું શરૂ કરી દીધું છે. દુશ્મનોથી તો હું સલામત અંતર રાખતો જ હતો પણ હવે મિત્રોથી પણ હું સલામત અંતર રાખવા લાગ્યો છું. પરિચિતો અને સ્વજનો સાથે પણ એવો જ વ્યવહાર મેં શરૂ કરી દીધો છે. પણ, મારા આવા વ્યવહારના કારણે હું એકલો પડી જતો હોઉં એવું મને લાગ્યા કરે છે. જાણવું તો મારે એ છે કે હું કોઈ ગલત રસ્તે તો નથી ચડી ગયો ને? નિર્મળ, દૂધપાકનું વિષ્ટામાં રૂપાંતરણ કરી દેવામાં શરીરનો જેમ કોઈ જોટો નથી તેમ અર્થનો અનર્થ કરતા રહેવામાં મનનો ય કોઈ જોટો નથી, થાંભલાઓ વચ્ચેના સલામત અંતરની વાત મેં જડ પદાર્થો પ્રત્યેની આસક્તિના સંદર્ભમાં ૭૩

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102