________________
મહારાજ સાહેબ,
મારે એક મૂંઝવણનું આપની પાસે સમાધાન જોઈએ છે. હું સંકલ્પ કરું છું કે “મારે ખમણ ઢોકળાં ન જ જોઈએ’ તો પછી જમણવારમાં કોઈ મને ગમે તેટલો આગ્રહ કરે છે તો પણ હું ખમણ ઢોકળાં નથી જ ખાતો.
હું સંકલ્પ કરું છું કે મારે નરેશ સાથે સંબંધ નથી જ રાખવો” તો પછી નરેશના લાખ પ્રયાસો છતાં યહું એની સાથે સંબંધ નથી જ બાંધતો પણ,
હું સંકલ્પ કરું છું કે “મારે દુઃખ ન જ જોઈએ' તો પછી દુઃખને દૂર રાખવાના ગમે તેટલા પ્રયાસો ભલે ને હું કરું છું, દુઃખો મારા લમણે ઝીંકાઈને જ રહે છે. સમજાતું તો મને એ નથી કે મારા આ સંકલ્પને હં સફળ કેમ નથી. કરી શકતો ?
નિઃશંક,
મારે દુઃખ ન જ જોઈએ’ એ સંકલ્પ કરીને તેં તારી બુદ્ધિનું પ્રદર્શન જ કર્યું છે કે બીજું કાંઈ? કારણ કે દુઃખ તો આ જગતમાં કોને જોઈએ છે એ પ્રશ્ન છે. ઘોડાને કે ગધેડાને, કીડીને મંકોડાને, દુર્જનને કે ડાકુને કોઈને ય દુઃખ નથી જોઈતું અને દુઃખને દૂર જ રાખવાના એ સહુ જબરદસ્ત પ્રયાસો પણ કરે છે છતાં ય દુઃખો એ સહુને લમણે ઝીંકાતા જ રહે છે.