Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 69
________________ મહારાજ સાહેબ, જીવનનાં આટલાં વરસોના અનુભવોએ એક વાત મને સમજાવી દીધી છે કે ભયભીત મનોદશા એ મોતનું જ બીજું નામ છે. સંપત્તિ આપણી પાસે વિપુલ હોય પણ મન જો ભયગ્રસ્ત જ રહ્યા કરે છે તો એ વિપુલ સંપત્તિનું કરવાનું શું? રહેવાની જગા ભલે આલીશાન છે પણ મન જો કોક અજ્ઞાત ભયનું શિકાર બનેલું છે તો એ આલીશાન જગાનું કરવાનું શું? પણ, હમણાં હમણાં આપનાં પુસ્તકોમાં એક જગાએ મારા વાંચવામાં આવ્યું કે ‘સકારાત્મક ભય એ આપણા જીવન વિકાસનું મૂળ છે’ હું આપને એટલું જ પૂછવા માગું છું કે શું આપ ખુદ ભયના હિમાયતી છો? નિર્ભય, તને એક મહત્ત્વના સિદ્ધાંતની કદાચ ખબર નથી લાગતી. જેનાથી આપણને ભય હોય છે એના પર તો પ્રેમ કરવાનો પ્રશ્ન જ નથી; પરંતુ જેના પર આપણને પ્રેમ હોય છે એનાથી તો આપણે ભયભીત રહેવાનું જ છે. ૬૯

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102