SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ? આ જ કે “દ:ખ ન જ જોઈએ’ એ સંકલ્પ કરનાર આખરે છે કોણ? મન ! અને મન છે સ્વાર્થી ! પોતાના પર આવતા રાઈ જેટલા દુઃખથી બચવા એ સામાને મેરુ જેટલું દુઃખ આપવું પડે તો ય આપવા તૈયાર અને તત્પર હોય છે. તારે સાચે જ જો દુઃખ અંગેનો કોઈ સંકલ્પ કરવો જ હતો તો અંતઃકરણ પાસે જવાની જરૂર હતી કારણ કે અંતઃકરણ પરમાર્થના રવભાવવાળું છે. એની પાસે તું ગયો હોત તો એ તને આ સંકલ્પ કરાવત કે “મારે દુઃખ કોઈને પણ આપવું નથી.' “દુઃખ જોઈતું નથી એ સંકલ્પ અને દુઃખ આપવું નથી” એ સંકલ્પવચ્ચેનો તફાવત ઝેર અને અમૃત વચ્ચેના તફાવત જેટલો છે એ તું કાયમ આંખ સામે રાખજે. પ્રથમ સંકલ્પમાં દુ:ખો લમણે ઝીંકાવાનાં નિશ્ચિત છે જ્યારે બીજા સંકલ્પમાં દુઃખોની કાયમી વિદાય નિશ્ચિત છે.
SR No.008946
Book TitleVandaniya Sangharsh
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size159 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy