________________
મહારાજ સાહેબ,
સ્કૂલ અને કૉલેજમાં હંમેશહું નંબર એકપર જ રહ્યો છું. વિષય ચાહે ગણિતનો રહેતો હતો કે વિજ્ઞાનનો, ઈતિહાસનો રહેતો હતો કે ભૂગોળનો-મને પડકારવાની હિંમત કોઈ પણ વિદ્યાર્થીએ ક્યારેય પણ કરી નથી. મારી આ હોશિયારી બદલ મને કૉલેજ તરફથી સુવર્ણચન્દ્રકો પણ ઓછા નથી મળ્યા.
મને પોતાને એમ લાગે છે કે મારી આ હોશિયારીને ચરિતાર્થ કરવા માટે મારી આજુબાજુ જેટલાં પણ ક્ષેત્રો છે એ તમામમાં આમૂલચૂલ પરિવર્તન કરી દેવું જોઈએ. ડૉક્ટરો દર્દીઓને લૂંટી રહ્યા છે તો વેપારીઓ ઘરાકોને લૂંટી રહ્યા છે, નેતાઓ પ્રજાજનોની હાલત કફોડી કરી રહ્યા છે તો વકીલો અસીલોની પથારી ફેરવી રહ્યા છે.
હું આ તમામમાં ધરમૂળથી ફેરફાર કરી દેવા માગું છું. મારી હોશિયારી પર મને ગર્વ પણ છે અને શ્રદ્ધા પણ છે. હું સફળ બનીને જ રહીશ. આપ આ અંગે કોઈ સૂચન આપશો?
ધ્યાન, તારી હોશિયારી બદલ તને ગર્વ હોય એનો મને કોઈ વાંધો નથી, પણ એક વાત તને હું ખાસ યાદ કરાવવા માગું છું
પ