Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 55
________________ મહારાજ સાહેબ, ગુલાબ સહુને ગમે છે તો કાંટા કોઈનેય ગમતા નથી. દૂધપાક સહુને પસંદ છે તો વિષ્ટા કોઈનેય પસંદ પડતી નથી. બંગલો સહુને આકર્ષે છે તો ઝૂંપડું કોઈને ય આકર્ષતું નથી. રૂપ પર સહુ મોહી પડે છે તો કુરૂપ કોઈને ય ગમતું નથી. અનુકૂળતા સહુને ગમે છે તો પ્રતિકૂળતાથી સહુ ભાગતા ફરે છે. મારે આપને એટલું જ પૂછવું છે કે પ્રિય સંયોગો, પ્રિય સામગ્રીઓ અને પ્રિય સંબંધો જ્યારે સહુને જ ગમતા હોય છે ત્યારે એ સહુમાં હું પણ અપવાદ તો ન જ હોઈ શકું ને? તો પછી જીવનભર હું પ્રિયની જ પસંદગી કરતો રહું તો એમાં કાંઈ ખોટું તો નથી ને? જ્ઞાન, એક વાત તારા ધ્યાન પર હું એ લાવવા માગું છું કે મન પ્રેસપેમી છે જ્યારે અંતઃકરણ શ્રેચપેમી છે. શરીરને જે પણ ઉત્તેજિત કરતું રહે છે અને મનને જે બહેલાવતું રહે છે એનો સમાવેશ જો પ્રેયમાં થાય છે તો આત્માને માટે જે હિતકર છે અને કલ્યાણકર છે એનો સમાવેશ શ્રેયમાં થાય છે. ક્ષમા અને નમ્રતા, પરોપકાર અને પ્રેમ, સહિષ્ણુતા અને પપ

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102