________________
મહારાજ સાહેબ,
અત્તર જો મને પ્રિય જ છે, પુષ્પ જો મને ગમે જ છે, સંપત્તિ જો મને જામે જ છે, મેઘધનુષ્ય મને જો આકર્ષે જ છે તો કહેવા દો કે સત્કાર્યો પણ મને ગમે જ છે. સત્કાર્યો આચરનાર લોકોને જોઉં છું ત્યારે એ સત્કાર્યો આચરી લેવાની મને ઇચ્છા પણ થાય છે.
પણ,
જ્યાં એ સત્કાર્યો આચરવાની શરૂઆત કરું છું ત્યાં એના સેવનમાં પડતી મુશ્કેલીઓ અનુભવતાં મન પાછું પડી જાય છે અને સત્કાર્ય સેવનના પ્રયાસો પર હું પૂર્ણવિરામ મૂકી દઉં છું.
અલબત્ત,
કબૂલ કરું છું હું આપની પાસે કે સત્કાર્યસેવન શક્ય જરૂર છે; પરંતુ કઠિન ભારે છે અને એટલે જ મને એમ લાગે છે કે સત્કાર્ય સેવનમાં આપણા જેવાનું કામ નહીં. આપ આ અંગે શું કહો છો ?
પ્રકાશ, એક વાત તને યાદ કરાવું? તાળું જે ધાતુનું બન્યું હોય છે એની ચાવી પણ એ જ ધાતુની બની હોય છે. જે ધાતુનું
૬૩