Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 48
________________ કારણ? રણપ્રદેશમાં જેમ કાયમ માટે પાણીની અછત જ હોય છે તેમ આ કાળમાં સત્કાર્યો કરનારની અછત જ છે. રણપ્રદેશમાં પાણીનો દુર્વ્યય કરવાનું જો પરવડે નહીં તો આ કાળમાં સત્કાર્યો કરનારાઓની સંખ્યામાં કડાકો બોલાતો રહે એ પણ શે પરવડે? અને સત્કાર્યો કરનારાઓની સતત આલોચના જ કરતા રહીને તે પોતે જ દુષ્કાર્ય તો કરી રહ્યો છે! અને એક સ્પષ્ટ વાત તને જણાવું? સંપૂર્ણ સફેદ કાગળમાં માત્ર એક જ કાળું ટપકું હોવા માત્રથી એ કાગળની આલોચના કરતા રહેવું એ તો મનની બદમાસી છે. બાકી અંતઃકરણને જો તેં બોલતું રાખ્યું હોત ને તો એ અંતઃકરણ તો કાગળને અભિનંદન જ આપતું રહ્યું હોત ! હું શું કહેવા માગું છું એ તું સમજી ગયો હોઈશ.

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102