Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 36
________________ અહંકાર એમ માનતો હોય છે કે ‘ના’ પાડતા રહેવાથી આપણો વટ પડતો રહે છે, આપણી નોંધ લેવાય છે, આપણી સાથે વાટાઘાટ કરવાની સામાને ફરજ પડે છે. તું સાચે જ આ આદતથી અનુભવી રહેલ નુકસાનીમાંથી જો ઊગરી જવા માગે છે તો મારી તને એક જ સલાહ છે, જો વાત કરનારા તારા ઉપકારી છે કે હિતસ્વી છે અને વાત જો તારા સુખ માટેની છે કે હિત માટેની છે તો એ વાતનો જવાબ આપવા તું મન સાથે નહીં પણ અંતઃકરણ સાથે વિચાર-વિમર્શ કરતો જા. કારણ? મનને જો ‘ના’ પાડતા રહેવાની કુટેવ છે તો અંતઃકરણને ‘હા’ પાડી દેવાની આદત છે. સાચું કહું તો સમસ્યાનાં તાળાને ખોલવાની ચાવી જ તું ગલત લગાવીને બેઠો છે. મન નહીં પણ અંતઃકરણ. લગાડી જો એ ચાવી. કોઈ સમસ્યા ઊભી નહીં રહે.

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102