Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 37
________________ મહારાજ સાહેબ, ન જાણે કેટકેટલી વ્યક્તિઓ સાથે મારે કોક ને કોક કારણસર અણબનાવો થઈ ચૂક્યા છે. મુશ્કેલી જીવનમાં એ સર્જાઈ છે કે એ સહુ સાથેના વ્યવહારો સહજ કરવા ધારું પણ છું તો ય મન એ બાબતમાં કોઈ પણ હિસાબે સંમત થતું નથી. એ એમ જ સમજાવતું રહે છે કે “એ સહુને થોડાક ઝૂકવા તો દે. એ પછી તારે જે વિચારવું હોય એ વિચારજે.” ટૂંકમાં જણાવું તો લોભી અને કૃપણ વેપારી જે રીતે પોતાના ચોપડામાં પુરાંત ખેંચતો જ રહે છે, મન એ રીતે સહુ સાથેના હિસાબો આગળ ખેંચતું જ રહે છે. કોઈ સમાધાન ? સુધર્મ, તેજે પણ પુસ્તક વાંચ્યું હશે એ પુસ્તકમાં એકવાત તને ખાસ જોવા મળી હશે કે કેટલાંક વાક્યો આગળ અલ્પવિરામ ચિહ્ન મુકાયું છે તો કેટલાંક વાક્યો આગળ પૂર્ણવિરામચિહ્ન. અલ્પવિરામ ચિહ્ન એટલું જ સૂચવે છે કે વાક્ય હજી અધૂરું છે, આગળ વાંચો. જ્યારે પૂર્ણવિરામ ચિહ્ન એટલું જ સૂચવે છે કે વાક્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. આગળ વાંચવાની જરૂર નથી. અને મજાની વાત તો એ છે કે વાક્ય ભલે ગમે તેટલું

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102