SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજ સાહેબ, ન જાણે કેટકેટલી વ્યક્તિઓ સાથે મારે કોક ને કોક કારણસર અણબનાવો થઈ ચૂક્યા છે. મુશ્કેલી જીવનમાં એ સર્જાઈ છે કે એ સહુ સાથેના વ્યવહારો સહજ કરવા ધારું પણ છું તો ય મન એ બાબતમાં કોઈ પણ હિસાબે સંમત થતું નથી. એ એમ જ સમજાવતું રહે છે કે “એ સહુને થોડાક ઝૂકવા તો દે. એ પછી તારે જે વિચારવું હોય એ વિચારજે.” ટૂંકમાં જણાવું તો લોભી અને કૃપણ વેપારી જે રીતે પોતાના ચોપડામાં પુરાંત ખેંચતો જ રહે છે, મન એ રીતે સહુ સાથેના હિસાબો આગળ ખેંચતું જ રહે છે. કોઈ સમાધાન ? સુધર્મ, તેજે પણ પુસ્તક વાંચ્યું હશે એ પુસ્તકમાં એકવાત તને ખાસ જોવા મળી હશે કે કેટલાંક વાક્યો આગળ અલ્પવિરામ ચિહ્ન મુકાયું છે તો કેટલાંક વાક્યો આગળ પૂર્ણવિરામચિહ્ન. અલ્પવિરામ ચિહ્ન એટલું જ સૂચવે છે કે વાક્ય હજી અધૂરું છે, આગળ વાંચો. જ્યારે પૂર્ણવિરામ ચિહ્ન એટલું જ સૂચવે છે કે વાક્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. આગળ વાંચવાની જરૂર નથી. અને મજાની વાત તો એ છે કે વાક્ય ભલે ગમે તેટલું
SR No.008946
Book TitleVandaniya Sangharsh
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size159 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy