Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 44
________________ તારો સ્પષ્ટ જવાબ હશે, ના... હવે બીજો પ્રશ્ન. તારા અંતઃકરણને ચાલબાજીમાં રસ છે? વાસના પ્રત્યે આકર્ષણ છે? દુશ્મનાવટ ફાવે છે? ક્રોધ જામે છે? કાવાદાવા પ્રત્યે લગાવ છે? તારો સ્પષ્ટ જવાબ હશે ના... બસ, સંદેશ સ્પષ્ટ છે. તારા મનને ક્ષમા વગેરે જે સગુણો નથી જ ગમતા એ બધા જ ધર્મરૂપ છે જ્યારે તારા અંતઃકરણને ક્રોધ વગેરે જે દુર્ગુણો નથી જ ગમતા એ બધા જ અધર્મરૂપ છે. તું સાચે જ જો તારા જીવનને ધર્મયુક્ત અને અધર્મમુક્ત બનાવવા માગે છે તો તારી પાસે એક જ વિકલ્પ વધે છે. મનની પસંદગી પર ચોકડી અને અંતઃકરણની પસંદગી પર સંમતિ !

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102