________________
મહારાજ સાહેબ,
હમણાં હમણાં કોણ જાણે કેમ પણ મારા સ્વભાવમાં એક પ્રકારનું ગજબનાક પરિવર્તન આવી ગયું છે. વાત ચાહે ધર્મની હોય છે કે સંસારની હોય છે, પદાર્થની હોય છે કે પરમાત્માની હોય છે, સામાન્ય હોય છે કે વિશિષ્ટ હોય છે, નાની હોય છે કે મોટી હોય છે અને જરૂરી હોય છે કે બિજનરૂરી હોય છે, મને ‘ના’ પાડી દેવાની એક આદત પડી ગઈ છે.
મારી આ આદતથી હું બે પ્રકારની નુકસાની વેઠી રહ્યો છું. એક નુકસાની આકે કેટલીક વાતો મારા સુખ માટેની અને હિત માટેની હોય છે અને છતાં વગર વિચાર્યું એમાં “ના” જ પાડી દેવાની આદતથી હું સુખ અને હિતથી વંચિત રહી જાઉં છું.
અને
બીજી નુકસાની આ કે મારી સાથે વાત કરી રહેલ કોણ છે એ જોયા-જાણ્યા વિના સીધી હું ‘ના’ જ પાડી દેતો. હોવાથી એ સહુમાં હું અપિચ બની રહ્યો છું. હું આ નુકસાનીમાંથી બહાર આવી જવા માગું છું. કોઈ ઉપાય?
શ્રેયસ, તારી ‘ના’ પાડી દેવાની પડી ગયેલ આદતનાં મૂળમાં જઈશ તો ત્યાં તને તારો અહંકાર સળવળતો દેખાશે. કારણ કે