Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 16
________________ તને મારે સ્પષ્ટ જણાવવું છે કે જો તારા દુશ્મનો સતત વધી જ રહ્યા છે તો એનો એક જ અર્થ છે કે તું તારા મનની આજ્ઞામાં છે, અંતઃકરણની આજ્ઞામાં નહીં. કારણ કે મનને રસ હોય છે દુશ્મનવૃદ્ધિમાં જ્યારે અંતઃકરણને રસ હોય છે મિત્રવૃદ્ધિમાં! કારણ? આ જ કે મનને પોતાના અસ્તિત્વને ટકાવવામાં રસ છે અને એનું અસ્તિત્વ ત્યારે જ ટકે છે કે જ્યારે એને કોઈ પડકાર ફેંકનાર હોય છે અને પડકાર દુશ્મન સિવાય કોઈ ફેંકતું નથી. સાચે જ જો તું થોડું-ઘણું પણ ડહાપણ ધરાવતો હોય તો મારે તને એટલું જ કહેવું છે કે તું દુશ્મનો ઘટાડવાના પ્રયાસો કરવાને બદલે અંતઃકરણના અવાજને સાંભળતો જા. આજ સુધીમાં પુષ્પ તરફથી કોઈને ય ક્યારે પણ દુર્ગધ અનુભવવા મળી નથી. અંતઃકરણે આજસુધીમાં ક્યારેય કોઈને ય દુશ્મન બનાવ્યા નથી.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102