Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 26
________________ તેમ પોતાનું જીવન જેણે બુદ્ધિના હાથમાં જ સોપીદીધું હોય છે એનું ઉજ્જવળ ભાવિ તો નથી જ હોતું; પરંતુપ્રસન્નતાસભર વર્તમાન પણ નથી હોતો. પાણી કરતાં દૂધ વધુ કીમતી હોવા છતાં માછલી જેમ પાણીમાં તરતી રહે છે તો જ જીવંત રહે છે તેમ સંસાર જગતમાં લાગણી કરતાં બુદ્ધિની વધુ બોલબાલા હોવા છતાં પ્રસન્નતા અનુભવતા રહેવા માણસ લાગણીને પ્રાધાન્ય આપતો રહે છે તો જ એમાં એ સફળ બનતો રહે છે. તું સાચે જ જે પરિસ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યો છે એ પરિસ્થિતિમાંથી બહાર આવી જવા માગે છે તો એનો એક માત્ર વિકલ્પ આ જ છે. કાં તો બુદ્ધિના જંગલમાંથી કાયમ માટે બહાર નીકળી જા અને એ સંભવિત ન જ હોય તો છેવટે બદ્ધિના જંગલમાં રહીને જ વારંવાર લાગણીના સરોવરમાં સ્નાન કરતો જા. ટૂંકમાં, જીવનવ્યવહારનું સુકાન કાં તો અંતઃકરણના હાથમાં જ સોંપી દે અને કાં તો મનને અંતઃકરણની આજ્ઞામાં ગોઠવી દે. ફાવી જઈશ.

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102