Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 30
________________ સંબંધમાં તારે આત્મીયતા ઊભી કરવી છે અને એ માટે તું માધ્યમ મનને બનાવે તો એમાં તને સફળતા કોઈ કાળે ન જ મળે. એક વાત તને જણાવું? મનનું પોત તેલ'નું છે જ્યારે અંતઃકરણનું પોત “દૂધનું છે. પાણીને તું તેલમાં નાખ કે તેલમાં તું પાણી નાખ. વરસો સુધી એ કદાચ સાથે રહે તો પણ એકરૂપ તો ક્યારેય ન જ થાય જ્યારે દૂધને તું પાણીમાં નાખ કે પાણીને તું દૂધમાં નાખ. બંનેને એકરૂપ થતાં પળની ય વાર ન લાગે. તને મારે એટલું જ કહેવું છે કે જો તું સંબંધના ક્ષેત્રે આત્મીયતા અનુભવવા માગે જ છે તો તારે તેલ સાથેની દોસ્તી તોડી નાખીને દૂધ સાથેની દોસ્તી જમાવવી જ પડશે. બાકી, આ જગતમાં તેલ-પાણીના સંબંધોનો કોઈ જ તોટો નથી. બંને પોતપોતાના અસ્તિત્વને સ્વતંત્ર ઊભું રાખવામાં સફળ તો બને છે; પરંતુ એ સંબંધો કોઈનાય સ્તુતિપાત્ર બનતા નથી. તારે એ જ સંબંધ પર પસંદગી ઉતારવી હોય તો તું સ્વતંત્ર છે ! ૩0

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102