SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સંબંધમાં તારે આત્મીયતા ઊભી કરવી છે અને એ માટે તું માધ્યમ મનને બનાવે તો એમાં તને સફળતા કોઈ કાળે ન જ મળે. એક વાત તને જણાવું? મનનું પોત તેલ'નું છે જ્યારે અંતઃકરણનું પોત “દૂધનું છે. પાણીને તું તેલમાં નાખ કે તેલમાં તું પાણી નાખ. વરસો સુધી એ કદાચ સાથે રહે તો પણ એકરૂપ તો ક્યારેય ન જ થાય જ્યારે દૂધને તું પાણીમાં નાખ કે પાણીને તું દૂધમાં નાખ. બંનેને એકરૂપ થતાં પળની ય વાર ન લાગે. તને મારે એટલું જ કહેવું છે કે જો તું સંબંધના ક્ષેત્રે આત્મીયતા અનુભવવા માગે જ છે તો તારે તેલ સાથેની દોસ્તી તોડી નાખીને દૂધ સાથેની દોસ્તી જમાવવી જ પડશે. બાકી, આ જગતમાં તેલ-પાણીના સંબંધોનો કોઈ જ તોટો નથી. બંને પોતપોતાના અસ્તિત્વને સ્વતંત્ર ઊભું રાખવામાં સફળ તો બને છે; પરંતુ એ સંબંધો કોઈનાય સ્તુતિપાત્ર બનતા નથી. તારે એ જ સંબંધ પર પસંદગી ઉતારવી હોય તો તું સ્વતંત્ર છે ! ૩0
SR No.008946
Book TitleVandaniya Sangharsh
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size159 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy