________________
મહારાજ સાહેબ,
ન જાણે આજ સુધીમાં હું કેટકેટલીય વ્યક્તિઓને મળી ચૂક્યો છું પણ જેને આત્મીય સંબંધ કહી શકાય એવો સંબંધ બનાવવામાં મને હજી સુધી તો સફળતા નથી જ મળી.
અલબત્ત, એક વાત હું આપને જણાવી દઉં કે હું લાગણીશીલ બની જવામાં માનતો નથી. જેની પણ સાથે સંપર્કમાં આવું છું એની સાથે સંબંધ બાંધતાં પહેલાં લાખ વાર વિચારી લઉં છું. પ્રત્યેક કદમ સાચવી સાચવીને ભરું છું. કારણ કે સંબંધમાં છેતરાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. પણ આમાં મુશ્કેલી એ સર્જાઈ છે કે સંબંધના ક્ષેત્રે મેં માર ભલે ક્યાંય ખાધો નથી પણ સાથોસાથ મને સફળતા પણ ક્યાંય મળી નથી. કારણ શું હશે આની પાછળ?
વધમાન,
પહેલી વાત તો એ છે કે સંબંધનો સંબંધ’ મન સાથે નથી હોતો પણ અંતઃક્રણ સાથે હોય છે અને તેં સંબંધ બાંધવા માટે મનને નિર્ણાયક બનાવ્યું છે !
અનુભૂતિ તારે સુવાસની કરવી છે અને એ માટે તું માધ્યમ કાનને બનાવે તો એમાં તને સફળતા જો ન જ મળે તો
૨૯