________________
મહારાજ સાહેબ,
સમસ્યા મારા જીવનમાં એ સર્જાઈ છે કે જ્યારે પણ શુભના સેવનની કોઈ તક આવે છે, મન એના સેવનને વિલંબમાં મૂકતું રહે છે પણ અશુભના સેવન માટેનું કોઈ પણ પ્રલોભન આંખ સામે આવી જાય છે, એના સેવન માટે મન તુર્ત જ લાલાયિત થઈ જાય છે.
પરિણામ આનું એ આવે છે કે શુભનું સેવન થતું જ નથી અને અશુભનું સેવન અટકતું જ નથી. જો આમ જ ચાલતું રહ્યું મારું જીવન, તો મને નથી લાગતું કે મારા જીવનમાં હું ક્યારેય પણ કંઈક સારું કરીશ અને ગલતથી બચી જઈશ. આપ આ અંગે કોઈ સમાધાન આપી શકશો?
ઉત્સવ,
મનની એક બદમાસી તું બરાબર સમજી લેજે. એને જે કરવું જ નથી હોતું એને એ વિલંબમાં મૂકતું રહે છે અને એને જે કરવું જ છે એને એ તુર્ત પતાવતું રહે છે.
તું જો એમ માની બેઠો હોય કે શુભના સેવન માટે મન ના તો નથી જ પાડતું તો મારે તને એટલું જ કહેવું છે કે તારી આ માન્યતા એ તારો ભ્રમ છે. કારણ કે જો શુભના સેવન માટે મન સાચોસાચ ગંભીર જ છે તો પછી શુભના સેવન