________________
सत्तेव अपज्जत्ता, सामी सुहुमा बायरा चेव । विगलिंदिआउ तिन्नि उ, तह य असन्नी अ सन्नी अ ।। ४२ ।।
ગાથાર્થ:- સાત અપર્યાપ્તાને બંધસ્થાન-૫, ઉદયસ્થાન-૨, સત્તાસ્થાન-૫ હોય છે. સૂક્ષ્મપર્યાપ્તાને બંધસ્થાન-૫, ઉદયસ્થાન-૪, સત્તાસ્થાન-પ હોય છે. બાદરપર્યાપ્તાને બંધસ્થાન-પ, ઉદયસ્થાન-૫, સત્તાસ્થાન-પ હોય છે. વિકલેન્દ્રિયને બંધસ્થાન-૫, ઉદયસ્થાન-૬, સત્તાસ્થાન-પ હોય છે. પર્યાપ્તઅસંશીને બંધસ્થાન-૬, ઉદયસ્થાન-૬, સત્તાસ્થાન-પ હોય છે અને પર્યાપ્તસંશીને બંધસ્થાન-૮, ઉદયસ્થાન૮, સત્તાસ્થાન-૧૦ હોય છે.
વિવેચનઃ- લબ્ધિ-અપર્યાપ્તસૂક્ષ્મએકેન્દ્રિય તિર્યંચ-મનુષ્યપ્રાયોગ્ય જ બંધ કરે છે. દેવ-નારક પ્રાયોગ્ય બંધ કરતા નથી. તેથી તે જીવોને એકેપ્રા૦૨૩/૨૫/૨૬ (કુલ-૩) બંધસ્થાન હોય છે. વિકલેપ્રા૦૨૫/૨૯/૩૦ (કુલ-૩) બંધસ્થાન હોય છે. તિપંચે૦પ્રા૦૨૫/૨૯/૩૦ (કુલ-૩) બંધસ્થાન હોય છે. મનુપ્રા૦૨૫/૨૯ (કુલ-૨) બંધસ્થાન હોય છે.
એટલે અપસ્ટએકે૦ને-૨૩/૨૫/૨૬/૨૯/૩૦ (કુલ-૫) બંધસ્થાન હોય છે. તેના ક્રમશઃ ૪ + ૨૫ + ૧૬ + ૯૨૪૦ + ૪૬૩૨ = ૧૩૯૧૭ બંધભાંગા થાય છે અને અપæએકેને ૨૧/ ૨૪ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. ૨૧/૨૪ના ઉદયના ક્રમશઃ ૧ + ૨ = ૩ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૨૯૭) અને ૯૨/૮૮/ ૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે.
અપસ્એકેને તિર્યંચપ્રાયોગ્ય-૨૩/૨૫/૨૬/૨૯/૩૦નો બંધ કરતી વખતે ૨૧/૨૪ના ઉદયના ૩ ભાંગામાં ૫ સત્તાસ્થાન હોય છે. અને મનુષ્યપ્રાયોગ્ય-૨૫/૨૯નો બંધ કરતી વખતે ૨૧/૨૪ના ઉદયના ૩ ભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે. મનુષ્યપ્રાયોગ્ય બંધ કરતી વખતે મનુષ્યદ્ધિકની સત્તા અવશ્ય હોય છે. તેથી ૭૮નું સત્તાસ્થાન ન હોય.
૪૦૦