________________
હોય છે. ૬ થી ૧૩ સુધીના-૮ ગુણઠાણામાં એક ભાગો હોય છે અને ૧૪મા ગુણઠાણામાં બે ભાંગા હોય છે.
વિવેચન- જુઓ પેજ નં. ૪૮, પેજ નં. ૮૨.... ગુણઠાણામાં આયુષ્યકર્મનો સંવેધ - अट्ठच्छाहिगवीसा सोलस वीसं च बारस छ दोसु । दो चउसु तीसु इक्कं मिच्छाइसु आउए भंगा ।। ४७ ।।
ગાથાર્થ - આયુષ્યકર્મના ભાંગા ૧ થી ૭ ગુણઠાણે ક્રમશઃ ૨૮-૨૬-૧૬-૨૦-૧૨-૬-૬ હોય છે. ૮ થી ૧૧ ગુણઠાણે બે ભાંગા હોય છે અને ૧૨ થી ૧૪ ગુણઠાણે-૧ ભાંગો હોય છે.
વિવેચન- જુઓ પેજ નં. ૬૨... ગુણઠાણામાં મોહનીયના બંધસ્થાનगुणठाणएसु अट्ठसु, इक्किक्कं मोहबंधठाणं तु । पंच अनियट्ठिठाणे, बन्धोवरमो परं तत्तो ॥ ४८ ॥
ગાથાર્થ- ૧ થી ૮ ગુણઠાણામાં મોહનીયકર્મનું એક-એક બંધસ્થાન હોય છે. અનિવૃત્તિગુણઠાણે મોહનીયના પાંચ બંધસ્થાન હોય છે. ત્યારપછીના ગુણઠાણે બંધ હોતો નથી.
વિવેચન - જુઓ પેજ નં. ૯૦. ગુણઠાણામાં મોહનીયના ઉદયસ્થાનઃसत्ताइ दस उ मिच्छे, सासायणमीसए नवुक्कोसा । छाई नव उ अविरए, देसे पंचाइ अट्ठेव ।। ४९ ॥ विरए खओवसमिए, चउराई सत्त छच्च पुव्वम्मि । अणिअट्टिबायरे पुण, इक्को व दुवे व उदयंसा ॥ ५० ॥ एगं सुहुमसरागो वेएइ अवेयगा भवे सेसा । भंगाणं च पमाणं, पुव्वुद्दिष्टेण नायव्वं ॥ ५१ ॥ ગાથાર્થ - મિથ્યાત્વે ૭ થી ૧૦ સુધીના-૪, સાસ્વાદન અને
૪૧૯