Book Title: Saptatika Part 02 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 303
________________ (૪) અરજ = રોગ રહિત. સંસારી જીવને શરીરના કારણે રોગ થાય છે પણ સિદ્ધભગવંતને શરીર ન હોવાથી રોગાદિદોષોથી રહિત સુખ છે. (૫) નિરુપમ = ઉપમા વગરનું... સંસારમાં એવી કોઈ જ વસ્તુ નથી કે જેની સાથે સિદ્ધભગવંતના સુખને સરખાવી શકાય. એટલે સિદ્ધભગવંતનું સુખ કોઈપણ જાતની ઉપમા વગરનું છે. (૬) સ્વાભાવિક = મૂળ સ્વભાવથી ઉત્પન્ન થયેલું સુખ. વેદનીયકર્મોનો સંપૂર્ણ ક્ષય થવાથી જે અક્ષયસુખ ઉત્પન્ન થાય છે તે આત્માનો મૂળ સ્વભાવ હોવાથી સિદ્ધભગવંતને સ્વાભાવિકસુખ હોય છે. (૭) અનિધન = અનંતકાળ રહેનારુ સુખ જે સુખનો ક્યારેય પણ નાશ થવાનો નથી એવું અનંતકાળ રહેનારુ જે સુખ છે, તે અનિધન સુખ છે. (૮) અવ્યાબાધ = બાધારહિત સુખ... વિ+મા+જ્ઞાધુ = વ્યાબાધ = પીડા (દુઃખ) અવ્યાબાધ = પીડારહિત, દુઃખરહિત, દુઃખનિરપેક્ષ શાશ્વત સુખ સિદ્ધભગવંતને છે. (૯) ત્રિરત્નસાર = સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રના સારભૂત. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્મચારિત્રના સારભૂત એવું સિદ્ધિસુખને મોક્ષમાં પહોંચેલા મહાત્માઓ અનુભવે છે. અહીં ક્ષપકશ્રેણીનું સ્વરૂપ ટૂંકમાં જ બતાવ્યું છે. કારણ કે સપ્તતિકાગ્રંથના પ્રકાશનની પૂર્વે જ ક્ષપકશ્રેણી નામનું પુસ્તક પ્રકાશિત થઈ ગયું છે. તેમાં વિસ્તારથી સચિત્ર પણશ્રેણીનું ૫૮૭

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314