Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 31
________________ ૧૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૨-૩ જેટલો મતિજ્ઞાન આદિનો ક્ષયોપશમ વર્તે છે તેના ભેદથી પણ તેના સામાન્ય ઉપયોગમાં ભેદ પડે છે. આથી સામાન્ય બોધવાળા કોઈક જીવને કોઈ પદાર્થવિષયક દર્શનનો બોધ છે અને પૂર્વધરાદિ મહાત્માને કોઈ પદાર્થવિષયક દર્શનનો બોધ છે તે વખતે તે દર્શન અંશથી બેયનો બોધ સમાન હોવા છતાં તત્સવલિત લાયોપથમિક, ક્ષાયિક અને ઔદયિકભાવકૃત જ્ઞાનના ભેદથી કર્મબંધ કે નિર્જરાદિનો ભેદ પડે છે. આથી જેમ જેમ જ્ઞાનનો વિસ્તૃત બોધ થાય, જેમ જેમ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થાય, તેમ તેમ છબસ્થ જીવોનો કોઈક પદાર્થ વિષયક સામાન્ય ઉપયોગ હોય ત્યારે પણ મિથ્યાત્વમોહનીયના લયોપશમ, અનંતાનુબંધી કષાયના ક્ષયોપશમ, અપ્રત્યાખ્યાનીયકષાયના ક્ષયોપશમ, પ્રત્યાખ્યાનીયકષાયના ક્ષયોપશમ અને સંજ્વલનકષાયના ક્ષયોપશમ વગેરેથી સંવલિત અને તદ્ સહવર્તી શ્રુતજ્ઞાનનો જે ક્ષયોપશમ હોય, અવધિજ્ઞાનનો જે ક્ષયોપશમ હોય અને મન:પર્યવજ્ઞાનનો જે ક્ષાયોપશમ હોય તે સર્વ પ્રકારના લાયોપથમિક ભાવોથી સંવલિત એવા તે મહાત્માનો સામાન્ય ઉપયોગ હોય છે. તેથી સ્થૂલથી અન્ય જીવોનો જે ઉપયોગ છે તેવો જ ઘટાદિવિષયક સામાન્ય ઉપયોગ તે મહાત્માને હોય છે. છતાં તે સર્વ ક્ષયોપશમથી સંવલિત એવો ક્ષયોપશમ તે મહાત્માને હોવાને કારણે કર્મનિર્જરામાં અને કર્મબંધમાં તેમનો સામાન્ય ઉપયોગ અન્ય જીવો કરતાં જુદો પડે છે. છદ્મસ્થ અવસ્થામાં જે કાંઈ ગુણસંપત્તિ છે તે સર્વ જ્ઞાનના ઉપયોગ સ્વરૂપ જ છે, ચારિત્ર પણ જ્ઞાનસ્વરૂપ જ છે અને સમ્યગ્દર્શન પણ જ્ઞાનસ્વરૂપ જ છે. તેથી છપસ્થ જીવોના સામાન્ય ઉપયોગો બાહ્યથી સમાન દેખાતાં હોય તો પણ તે સામાન્ય ઉપયોગ જ્ઞાનના વિશેષ ઉપયોગથી સંવલિત હોવાને કારણે ગુણસ્થાનકની વૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આથી જ ક્ષપકશ્રેણી માંડનારા જીવો પણ ક્ષપકશ્રેણીની પૂર્વમાં જે સામાન્ય ઉપયોગવાળા હતા તે સામાન્ય ઉપયોગ અન્ય જીવોના સામાન્ય ઉપયોગ કરતાં અત્યંત વિલક્ષણ છે, એટલું જ નહીં પણ ક્ષપકશ્રેણીનું કારણ બને એવો તે સામાન્ય ઉપયોગ હોય છે. જેનાથી ઉત્તરમાં પ્રગટ થનારો જ્ઞાનનો ઉપયોગ પ્રાભિજ્ઞાનથી સંવલિત થઈને કેવલજ્ઞાનનું કારણ બને છે. ll૨/રચા અવતરણિકા : अत्र च सामान्यविशेषात्मके प्रमेयवस्तुनि तद्ग्राहि प्रमाणमपि दर्शनज्ञानरूपं, तथापि च्छद्मस्थोपयोगस्वाभाव्यात् कदाचिद् ज्ञानोपसर्जनो दर्शनोपयोगः कदाचित्तु दर्शनोपसर्जनो ज्ञानोपयोग इति क्रमेण दर्शनज्ञानोपयोगौ क्षायिके तु ज्ञानदर्शने युगपद्वर्तिनी इति दर्शयन्नाह सूरिः - અવતરણકાર્ય : અને અહીં=જગતમાં સામાન્ય વિશેષાત્મક પ્રમેયવસ્તુમાં, તેનું ગ્રાહી એવું પ્રમાણ પણ=સામાન્ય વિશેષાત્મક વસ્તુ ગ્રાહી એવું પ્રમાણ પણ, દર્શન-જ્ઞાનરૂપ છે, તોપણ છદ્મસ્થતા ઉપયોગના સ્વભાવપણાને કારણે ક્યારેક જ્ઞાનઉપસર્જન દર્શન ઉપયોગ છે. વળી, ક્યારેક દર્શનઉપસર્જન જ્ઞાન ઉપયોગી છે એ પ્રમાણે ક્રમથી દર્શન-જ્ઞાનઉપયોગ પ્રવર્તે છે. વળી, ક્ષાયિકદર્શન-જ્ઞાનમાં યુગપદ્રવર્તી દર્શન-જ્ઞાનનો ઉપયોગ છે એ પ્રમાણે બતાવતાં સૂરિ કહે છે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168