Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 97
________________ ૭૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૭-૧૮ હ્રય નથી, પરંતુ અક્રય છે તેની સંગતિ થાય. પરંતુ જગતમાં માત્ર સામાન્યઆત્મક કોઈ વસ્તુ નથી અને માત્ર વિશેષઆત્મક કોઈ વસ્તુ નથી તેથી કેવલીના ઉપયોગના વિષયભૂત અવિદ્યમાન વસ્તુને સ્વીકા૨વાની આપત્તિ આવે. માટે એકાંત વ્યાવૃત ઉભયરૂપ સ્વીકારીને કેવલજ્ઞાનના ઉપયોગને એકાંત અદ્યય સ્વીકારી શકાય નહીં. વળી અનુભય સ્વભાવવાળો કેવલજ્ઞાનનો ઉપયોગ સ્વીકારીને પણ એકાંત અદ્વૈતની સિદ્ધિ થઈ શકે નહીં; કેમ કે સામાન્ય વિશેષ અનુભય સ્વભાવવાળી જગતમાં કોઈ વસ્તુ નથી કે જેનો વિષય કહીને કેવલજ્ઞાનનો ઉપયોગ એકાંત અદ્રયાત્મક સ્વીકારી શકાય. વળી કેટલાક સાંખ્યદર્શનકાર માને છે કે સંસારી જીવોનું જ્ઞાન ગ્રાહ્ય એવા ઘટપટાદિને ગ્રહણ કરનાર છે, તેથી ગ્રાહ્ય વિષયો છે અને ગ્રાહક જ્ઞાન છે, પરંતુ મુક્ત થયેલા આત્માઓ માટે ગ્રાહ્ય જગતના વિષયો નથી અને તે વિષયોને ગ્રહણ કરનાર એવું ગ્રાહક જ્ઞાન નથી તે દૃષ્ટિને સામે રાખીને કોઈ કહે કે ગ્રાહ્યગ્રાહકભાવથી રહિત એવું અદ્વયરૂપ કેવલજ્ઞાન છે, તેથી કેવલજ્ઞાનને એકાંત અદ્રય સ્વીકારી શકાશે. તેનું નિરાકરણ કરતાં ટીકાકારશ્રી કહે છે ગ્રાહ્ય-ગ્રાહકભાવથી રહિત એવા અય સ્વરૂપ જ્ઞાનનો અનુભવ ક્યારેય થતો દેખાતો નથી, પરંતુ જે કાંઈ જ્ઞાનનું સંવેદન છે તે શેયને સ્પર્શનારું છે તેવો જ અનુભવ છે. વળી ઊંઘમાં પણ ગ્રાહ્ય-ગ્રાહક સ્વરૂપથી વિકલ એવું અદૃયજ્ઞાન અનુભવાતું નથી; કેમ કે જાગ્યા પછી સુખપૂર્વક સુતો હતો તે પ્રકારનું સ્મરણ થાય છે, તેથી ઊંધકાળમાં પણ ગ્રાહક એવા જ્ઞાનનો વિષય પોતાને સુખપૂર્વકની નિદ્રા છે માટે જગતમાં ગ્રાહ્ય અને ગ્રાહક ઉભયનો અભાવ હોય તેવા અનુભય સ્વરૂપ કોઈ જ્ઞાન નથી. માટે કેવલીને દ્રવ્ય અને પર્યાયરૂપ શેયને આશ્રયીને હ્રયાત્મક અને ઉપયોગરૂપે એક એવું કેવલ છે તેમ સ્યાદ્વાદીને સ્વીકારવું ઉચિત છે એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો અભિપ્રાય છે. ૨/૧૭॥ અવતરણિકા : ज्ञानदर्शनोपयोगद्वयात्मकैककेवलोपयोगवादी स्वपक्षे आगमविरोधं परिहरन्नाह અવતરણિકાર્ય : જ્ઞાન-દર્શન ઉપયોગયાત્મક એકકેવલઉપયોગવાદી સ્વપક્ષમાં આગમના વિરોધનો પરિહાર કરતાં કહે છે – - ભાવાર્થ: પૂ. આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાના મતાનુસાર જ્ઞાન-દર્શન ઉપયોગદ્રયાત્મક એવો કેવલીનો એક કેવલ ઉપયોગ છે અને તેમ સ્વીકારવાથી જ સ્યાદ્વાદની સંગતિ થાય છે, અન્યથા એકાંતવાદની પ્રાપ્તિ છે તેમ તેઓશ્રી માને છે. પોતાના પક્ષમાં સ્કૂલથી જે આગમનો વિરોધ દેખાય છે તેનો પરિહાર કરતાં ગ્રંથકારશ્રી કહે છે -~ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168