Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 162
________________ ૧૪૩ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૪૨-૪૩ અહીં પૂર્વપક્ષી કહે કે પરમાર્થથી પુરુષ અને જીવ ભિન્ન છે. તેથી પુરુષવિશિષ્ટ જીવ નહીં હોવા છતાં નિર્નિમિત્ત જ પુરુષવિશિષ્ટ જીવની પ્રતીતિ થાય છે. તેને ટીકાકારશ્રી કહે છે – નિર્નિમિત્ત પણ વિશેષ પ્રત્યયના અભિધાનનો સંભવ હોતે છતે સામાન્ય પ્રત્યય અભિધાનનું પણ નિર્નિમિત્ત જ ભાવ છે તેમ કહી શકાય. અર્થાત્ જેમ પુરુષ જીવ છે એવી અનુભવસિદ્ધ પ્રતીતિ છે. છતાં કહેવામાં આવે કે પુરુષથી વિશિષ્ટ જીવ નથી, માત્ર જીવ છે, તે રીતે “જીવ છે', એ પ્રકારની સામાન્ય પ્રતીતિ થાય છે તે પ્રતીતિના બળથી “આ જીવ છે', એ પ્રકારનું કથન થાય છે, તે પણ નિર્નિમિત્ત જ છે અર્થાત્ સામાન્ય જીવ નામની વસ્તુ નથી છતાં તે પ્રકારની પ્રતીતિ થાય છે તેમ કહી શકાય અને તેમ સ્વીકારીએ તો તનિબંધન સામાન્યનો સ્વીકાર પણ અયુક્ત સિદ્ધ થાય. તેથી સામાન્ય, વિશેષ સર્વનો અભાવ પ્રાપ્ત થાય. અહીં પૂર્વપક્ષી કહે કે પ્રતીતિ દ્વારા બાધારહિત પણ જીવનું વિશેષ પ્રત્યય મિથ્યા છે, જીવ સામાન્ય જ સમ્યગ્ છે. તેથી ગ્રંથકારશ્રી કહે છે – તે રીતે સામાન્યમાં પણ મિથ્યાત્વની પ્રસક્તિનું પ્રતિપાદન થઈ શકે છે. માટે પર્યાયરૂપ વિશેષથી દ્રવ્ય ભિન્ન જ છે તેમ સ્વીકા દેવું જોઈએ નહીં. પરંતુ કથંચિત્ ભિન્ન છે, કથંચિત્ અભિન્ન છે. તેમ સ્વીકારવું ઉચિત છે. ૨/૪શા અવતરણિકા - केवलज्ञानस्य कथंचिदात्माऽव्यतिरेकादात्मनो वा केवलज्ञानाव्यतिरेकात् कथञ्चिदेकत्वं तयोरित्याह - અવતરણિતાર્થ : કેવળજ્ઞાનનું આત્માથી કથંચિત્ અવ્યતિરેકપણું હોવાથી અથવા આત્માનું કેવળજ્ઞાનથી આવ્યતિરેકપણું હોવાથીકથંચિત્ અવ્યતિરેકપણું હોવાથી, તે બેનું આત્માનું અને કેવળજ્ઞાનનું, કથંચિત્ એકત્વ છે. એને કહે છે – ગાથા : संखेज्जमसंखेज्जं अणंतकप्पं च केवलं णाणं । तह रागदोसमोहा अण्णे वि य जीवपज्जाया ।।२/४३।। છાયા : संख्येयमसंख्येयमनन्तकल्पञ्च केवलं ज्ञानम् । तथा रागद्वेषमोहा अन्येऽपि च जीवपर्यायाः ।।२/४३।। અન્વયાર્થ :સંવેમ્બમર્સન્ન અનંતત્ત્વ =સંખ્યાત, અસંખ્યાત્મ અને અનંતકલ્પ, વત્ન =કેવળ જ્ઞાન છે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168