Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 165
________________ ૧૪૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૪૩ એ રીતે રાગ, દ્વેષ અને મોહ – અન્ય પણ જીવના પર્યાયો છબસ્થ અવસ્થાભાવિ છે, તે સંખ્યાતું, અસંખ્યાતું અને અનંત પ્રકારવાળા છે; કેમ કે આલંબના ભેદથી રાગાદિના પણ સંખ્યાતાદિ ભેદો પ્રાપ્ત થાય છે. જેમ રાગના વિષયભૂત પદાર્થો સંખ્યાતુ પણ હોય, અસંખ્યાત્ પણ હોય અને અનંત પણ હોય તેને આશ્રયીને રાગ પણ સંખ્યાત્, અસંખ્યાતું અને અનંતભેદવાળો બને છે અને રાગાદિઆત્મક જીવ હોવાથી સંસારી આત્મા પણ સંખ્યાતું, અસંખ્યાત્ કે અનંતરૂપ છે. આ અર્થને કહેવા માટે આગમમાં સૌમિલ બ્રાહ્મણના પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાને કહ્યું છે. હું એક છું, બે છું' ઇત્યાદિ “યાવતું અને કબૂતરૂપ છું, અનેકવર્તમાનરૂપ છું, અનેકભવિષ્યરૂપ છું'; કેમ કે ભગવાન પણ ભૂતકાળના, વર્તમાનકાળના અને ભવિષ્યકાળના જ્ઞયનું જ્ઞાન કરે છે તે અપેક્ષાએ અનેકસ્વરૂપ છે. આ સર્વ ‘ભગવતીસૂત્ર'નું કથન પ્રસ્તુત ગાથામાં કહેલા અર્થની સાથે સંવાદિસિદ્ધ છે=પ્રસ્તુત અર્થનો યથાર્થ સ્થાપક છે. ટીકાકારશ્રી રાગાદિના અનંતભેદો કેમ છે ? તે અનુમાન પ્રમાણથી બતાવે છે – રાગાદિનું એકાદિ અનંતભેદપણું છે તેમાં “એકાદિ અનંતભેદપણું' સાધ્ય છે. “આત્મપર્યાયપણું' હેતુ છે અને ત્યાં વ્યાપ્તિ છે. “જે આત્મપર્યાયો છે તે એકાદિ અનંતભેદવાળો છે તેમાં દૃષ્ટાંત બતાવે છે. “જે પ્રમાણે કેવળનો અવબોધ એકાદિ અનંતભેદવાળો છે'. ઉપનય વાક્ય બતાવે છે. તે પ્રમાણે રાગાદિ છે.” આનાથી એ ફલિત થાય કે, પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે “કેવળજ્ઞાન એક છે, બે છે યાવતું શેયના વિષયની અપેક્ષાએ અનંત છે' તેમ જીવમાં વર્તતા રાગાદિ પણ આત્માની સાથે અભેદ હોવાથી એક છે, આત્માના અસંખ્યાત પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાત છે અને રાગાદિના વિષયભૂત અનંત પદાર્થોની અપેક્ષાએ અનંત પણ છે. વળી, આત્મપર્યાયવરૂપ હેતુથી તેની સિદ્ધિ એ રીતે થાય છે કે આત્મા જ્ઞાન કરે છે તેનો વિષય અનંત છે માટે અનંત પણ થઈ શકે છે. તેથી એ ફલિત થાય કે આત્માના જે પર્યાયો હોય તે કોઈ અપેક્ષાએ એક પણ થાય, યાવતું કોઈ અપેક્ષાએ અનંત પણ થાય. પ્રસ્તુત ગ્રંથના પ્રસ્તુત દ્વિતીય કાંડના કથનથી શું ફલિત થાય છે ? તે બતાવતા ટીકાકારશ્રી કહે છે - સંસારી જીવોમાં તો સ્થિતિ, ઉત્પત્તિ અને તિરોધાન સિદ્ધ છે; કેમ કે આત્મા આત્મારૂપે જેમ સંસારી સદા અવસ્થિત છે તેમ અરિહંતનો આત્મા પણ સદા અવસ્થિત છે અને જેમ સંસારી જીવોમાં પ્રતિક્ષણ તે તે રાગાદિ ભાવોની ઉત્પત્તિ થાય છે અને પૂર્વના રાગાદિ ભાવોનું તિરોધાન થાય છે. તેમ કેવળીમાં પણ કેવળજ્ઞાન પર્યાય પ્રતિક્ષણ નવાનવા વેદનરૂપે ઉત્પન્ન થાય છે અને પૂર્વનો કેવળજ્ઞાન પર્યાય તિરોધાન પામે છે એ પ્રમાણે સિદ્ધ થાય છે. તેથી જે પર વડે કહેવાયું છે કે કેવળીમાં અનેકાંતાત્મકપણાનો અભાવ હોવા છતાં પણ સત્ત્વપણું છે. તેથી જે જે સતું હોય તે તે અનેકાંતાત્મક હોય. એ પ્રકારના પ્રતિપાદક વચનનું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168