Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 113
________________ ૯૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૩-૨૪ આ યુક્ત નથી; કેમ કે, “તે બે પ્રકારનો છે=ઉપયોગ જ્ઞાન-દર્શનરૂપ બે પ્રકારનો છે. તેના આઠ અને ચાર ભેદ છે=જ્ઞાનનો ઉપયોગ આઠ પ્રકારનો છે અને દર્શનનો ઉપયોગ ચાર પ્રકારનો છે". (તત્વાર્થસૂત્ર અધ્યાય-૨, સૂત્ર૯) એ પ્રકારના સૂત્રનો વિરોધ છે. ૨/૨ પર્વ... મેદ્ર તિ છે. એ રીતે=જે રીતે ચઇન્દ્રિયના મતિવા બોધરૂપ અવગ્રહમાત્ર દર્શન છે અને ‘ઘટ’ એ પ્રકારનો બોધ એ જ્ઞાન છે એ રીતે, શેષ ઇન્દ્રિયના દર્શનમાં પણ અવગ્રહ જ દર્શન છે એ પ્રકારના સ્વીકારથી મતિજ્ઞાન જ તે છે=મતિજ્ઞાન જ દર્શન છે અને તે યુક્ત નથી=અવગ્રહરૂપ મતિજ્ઞાન દર્શન છે તે યુક્ત નથી; કેમ કે પૂર્વમાં કહેલા દોષની અતિવૃત્તિ છે=ગાથા-૨૩માં કહેલ 'તત્વાર્થસૂત્ર'ના સૂત્રના વિરોધનો અપરિહાર છે. હવે તેઓમાં=શ્રોત્રાદિ ઇન્દ્રિયોમાં, દર્શન પણ થતું પૂર્વપક્ષીના અભિપ્રાય અનુસાર અવગ્રહરૂપ બોધ દર્શન પણ થતું, તે=અવગ્રહ, જ્ઞાન જ છે; કેમ કે માત્ર શબ્દનું ગાથામાં રહેલા “જ્ઞાનમાત્રમાં રહેલા માત્ર' શબ્દનું, દર્શનનું વ્યવચ્છેદકપણું છે. આથી જ શ્રોત્રાદિમાં થતું અવગ્રહ જ્ઞાન જ છે આથી જ, ત્યાં=શ્રોત્રાદિ વિષયક અવબોધમાં, શ્રોત્રજ્ઞાન ઇત્યાદિ વ્યપદેશ પ્રાપ્ત થાય છે, પરંતુ ‘શ્રોત્રદર્શન', ‘ઘાણદર્શન' ઇત્યાદિ વ્યપદેશ આગમમાં ક્યાંય પ્રસિદ્ધ નથી, તો શ્રોત્રાદિમાં અવગ્રહ જ્ઞાન છે તો, ચક્ષમાં પણ તે પ્રમાણે જ ગ્રહણ કરો='ચક્ષજ્ઞાન છે અર્થાત્ ચક્ષુનો અવગ્રહ જ્ઞાન છે, એ પ્રમાણે જ ગ્રહણ કરો, પરંતુ ચક્ષુદર્શન' નથી અર્થાત્ ચક્ષુનો અવગ્રહ દર્શન નથી, એ પ્રમાણે ગ્રહણ કરો. હવે ત્યાં=ચક્ષના અવગ્રહમાં, દર્શન છે, ઈતરત્ર પણ=શ્રોત્રાદિના અવગ્રહમાં પણ, તે પ્રમાણે જ ગ્રહણ કરો અર્થાત્ શ્રોત્રાદિના અવગ્રહમાં પણ દર્શન છે તે પ્રમાણે જ ગ્રહણ કરો. જ્ઞાનદર્શનનું ઉપલંભરૂપપણું હોતે છતે=પદાર્થના બોધસ્વરૂપપણું હોતે છતે, તે બેરો=જ્ઞાતદર્શનનો અવિશેષ પ્રસંગ છે. એમ કોઈ શંકા કરે તો, ટીકાકારશ્રી કહે છે – આ રીતે ગાથા-૨પમાં બતાવશે એ રીતે, આનું સ્વરૂપ પણું હોવાથી=જ્ઞાતદર્શનનું સ્વરૂપપણું હોવાથી. સ્વભાવભેદથી ભેદ છે=જ્ઞાનદર્શનતા સ્વભાવભેદથી જ્ઞાતદર્શનનો ભેદ છે. પ૨/૨૪. ભાવાર્થ :પૂર્વપક્ષી મતિજ્ઞાનના અવગ્રહમાત્રરૂપ બોધને દર્શન કહે છે તેને ગ્રંથકારશ્રી કહે છે – જો મતિજ્ઞાનના બોધમાં જે અવગ્રહમાત્ર છે તે દર્શન છે અને વિશેષિત એવું જ્ઞાન છે=“આ ઘટ છે' ઇત્યાદિ નિર્ણયરૂપ બોધ છે તે જ્ઞાન છે, એમ તું માને છે તો મતિજ્ઞાન જ દર્શન છે એમ પ્રાપ્ત થાય અને એ વચન અયુક્ત છે; કેમ કે “ઉપયોગ બે ભેદવાળો છે – જ્ઞાન અને દર્શન. તેમાં જ્ઞાનનો ઉપયોગ આઠ ભેદવાળો છે અને દર્શનનો ઉપયોગ ચાર ભેદવાળો છે” એ પ્રકારે જે તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે તેનો વિરોધ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168