Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 121
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૨૬ ૫૨કીય મનોગત અર્થના આકારના વિકલ્પનું ઉભયરૂપપણું છે તેથી ૫૨કીય આકારના વિકલ્પને ગ્રહણ કરનાર એવા મનઃપર્યાયના બોધને કેમ દર્શનરૂપતા નથી ? અર્થાત્ મન:પર્યાયના બોધની દર્શનરૂપતા સ્વીકારવી જોઈએ. ૧૦૨ આશય એ છે કે મનઃપર્યવજ્ઞાની ચિંતવન કરનારા પુરુષના મનોવર્ગણા દ્રવ્યને મન:પર્યવજ્ઞાનથી જોનારા છે અને પરકીય મનોવર્ગણાના પુદ્ગલો મનના વિષયભૂત પદાર્થના આકારના વિકલ્પરૂપ છે. તેથી મન:પર્યવજ્ઞાનીના જ્ઞાનના વિષયભૂત ઘટાદિ અર્થો ચિંતવન કરનારના જ્ઞાનના વિષયરૂપે અસ્પૃષ્ટ અને અવિષય છે અને ચિંતન કરાતા મનોવર્ગણાના પુદ્ગલો ચિંતવન કરનાર પુરુષના આત્મપ્રદેશો સાથે સૃષ્ટ પણ છે અને ચિંતવન કરનારના મનનો વિષય પણ છે; કેમ કે ચિંતવન કરનારને તે પ્રકારનો હું વિચાર કરું છું એ સ્વસંવેદનરૂપ છે. તેથી તે મનોવર્ગણાના પુદ્ગલો ચિંતનના વિષયભૂત પદાર્થને આશ્રયીને મન:પર્યવજ્ઞાનીની અપેક્ષાએ ઇન્દ્રિયથી અસ્પૃષ્ટ છે અને ઇન્દ્રિયનો અવિષય છે. ચિંતન કરાતા મનોવર્ગણાના પુદ્ગલો ચિંતન કરનારા પુરુષના આત્મપ્રદેશો સાથે સ્પષ્ટ છે, વળી માનસપ્રત્યક્ષનો વિષય છે અને તેવા મનોવર્ગણાના પુદ્ગલો મનઃપર્યવજ્ઞાનીના જ્ઞાનનો વિષય થતા હોવાથી કોઈક દૃષ્ટિથી સ્પષ્ટ અને ઇન્દ્રિયનો વિષય છે અન્ય દૃષ્ટિથી અસ્પૃષ્ટ અને અવિષય પણ છે માટે તેવા મનોવર્ગણાના પુદ્ગલને ગ્રહણ કરનાર મનઃપર્યવજ્ઞાન દર્શન છે તેમ સ્વીકારવું જોઈએ. આ પ્રકારની આપત્તિનું નિવારણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે = આ પ્રકારની શંકા બરાબર નથી; કેમ કે બાહ્ય ઘટપટાદિ અર્થના ચિંતવનરૂપ મનોવિકલ્પનું વિકલ્પાત્મકપણું છે માટે જ્ઞાનરૂપ છે અર્થાત્ દર્શનનો ઉપયોગ વિકલ્પાત્મક નથી, નિર્વિકલ્પ ઉપયોગ છે અને ચિંતવન કરનાર પુરુષ મનોવર્ગણાના પુદ્ગલો દ્વારા ઘટાદિ પદાર્થવિષયક ચિંતવન કરે છે ત્યારે તે ચિંતવન વિકલ્પાત્મક હોવાથી તે ચિંતવન કરનારનો બોધ દર્શનરૂપ નથી પરંતુ જ્ઞાનસ્વરૂપ છે અને વિકલ્પાત્મક જ્ઞાનસ્વરૂપ બોધને કરાવનાર એવા મનોવર્ગણાના પુદ્દગલોને મનઃપર્યવજ્ઞાની મન:પર્યવજ્ઞાન દ્વારા જાણે છે માટે તે મન:પર્યવજ્ઞાન પણ જ્ઞાનસ્વરૂપ જ છે અને ચિંતન કરનાર પુરુષના જ્ઞાનના વિષયભૂત ઘટાદિ અર્થો તો મન:પર્યવજ્ઞાનીના જ્ઞાનના વિષયભૂત નથી. પરંતુ મન:પર્યવજ્ઞાની પુરુષ અનુમાનથી તે ઘટાદિ અર્થોને જાણે છે માટે તે ઘટાદિ અર્થો મન:પર્યવજ્ઞાની માટે પરોક્ષ છે એથી મન:પર્યવજ્ઞાનને દર્શનનો અભાવ જ છે. આ રીતે મનઃપર્યવજ્ઞાની જ્યારે ચિંતવન કરનાર અન્ય પુરુષના મનોવર્ગણાના પુદ્ગલોને મનઃપર્યવજ્ઞાનથી જાણે છે. તે વખતે મનઃપર્યવજ્ઞાનના વિષયભૂત ૫૨કીય મનોદ્રવ્ય વિકલ્પાત્મક હોવાથી તેને ગ્રહણ કરનાર મન:પર્યવજ્ઞાનને દર્શન નથી તેમ યુક્તિથી સ્થાપન કર્યું. હવે જ્યારે મનઃપર્યવજ્ઞાની પરના મનોવર્ગણાના પુદ્ગલોને મનઃપર્યવજ્ઞાનથી જાણ્યા પછી તે પુરુષ શેનું ચિંતવન કરે છે ? તેનું અનુમાન કરે તે વખતે પણ મનઃપર્યવજ્ઞાની પોતાના મનોવર્ગણાના પુદ્ગલોને જોઈને તે પ્રકારનું અનુમાન કરે છે. છતાં તે મનઃપર્યવજ્ઞાનને પણ દર્શન નથી તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે મન:પર્યવજ્ઞાની કોઈ પુરુષના ઘટપટાદિ ચિંતવન કરાતા મનોવર્ગણાના પુદ્ગલોને જાણે ત્યારે તેને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168