Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 134
________________ ૧૧૫ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩૦ કહેવાય છે અથવા વાક્યશ્રવણ વગર શ્રુતજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી જન્ય વાક્યર્થ ગ્રહણની પરિણતિનો સ્વભાવ આત્માનું શ્રુતજ્ઞાન કહેવાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે ઉપદેશકના વાક્યશ્રવણની સામગ્રીથી કે પુસ્તકાદિના વાચનાદિ સામગ્રીથી જે બોધ થાય છે. તે બોધકાળમાં કાંઈક સહવર્તી શ્રુતજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ વર્તે છે તેનાથી તે બોધ થયેલો છે. વળી, ક્યારેક વાક્યશ્રવણાદિ વગર પણ પૂર્વમાં કરાયેલા બોધવિષયક ઊહ કરવાથી જે વિશેષ પ્રકારનું શ્રુતજ્ઞાન થાય છે તે વખતે પણ તત્સહવર્તી શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમભાવ વર્તે છે. વળી, અવધિજ્ઞાનનું સ્વરૂપ સૂરિજીના અભિપ્રાયથી બતાવે છે – રૂપીદ્રવ્ય ગ્રહણની પરિણતિવિશેષ અવધિજ્ઞાન છે તેમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે, મતિજ્ઞાનમાં પણ રૂપી દ્રવ્યના ગ્રહણની પરિણતિ છે. પરંતુ ઇન્દ્રિય દ્વારા રૂપી દ્રવ્યનું ગ્રહણ મતિજ્ઞાનની પરિણતિ કરે છે. જ્યારે અવધિજ્ઞાન ઇન્દ્રિયનિરપેક્ષ સાક્ષાત્ આત્મપ્રદેશથી રૂપી દ્રવ્યના ગ્રહણની પરિણતિવાળું છે. અને અવધિજ્ઞાનના ક્ષેત્રની અને કાળની મર્યાદા સુધીના ક્ષેત્રમાં અને કાળમાં રહેલા રૂપીદ્રવ્યના ગ્રહણની પરિણતિવિશેષવાળું અવધિજ્ઞાન છે. વળી, ભવના કારણે કે ગુણના કારણે અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રાદુર્ભાવ થનારો જીવનો પરિણામ છે. વળી, તે અવધિજ્ઞાન ચક્ષુઆદિ બાહ્યનિમિત્ત નિરપેક્ષ થનાર છે. વળી, અવધિદર્શનનું સ્વરૂપ બતાવે છે. અવધિદર્શનાવરણના ક્ષયોપશમથી પ્રગટ થયેલ તે જ=રૂપી દ્રવ્યના ગ્રહણની પરિણતિવિશેષરૂપ જ, રૂપી દ્રવ્યના સામાન્યના પર્યાલોચનના સ્વભાવવાળું અવધિદર્શન છે એ પ્રમાણે વ્યપદેશ થાય છે. વળી, મન:પર્યવજ્ઞાનનું સ્વરૂપ બતાવે છે – અઢીદ્વીપ અને સમુદ્રવર્તી જીવોના સર્વ મનોવિકલ્પના ગ્રહણની પરિણતિ મન:પર્યવજ્ઞાન છે. વળી, તે મન:પર્યવજ્ઞાન મન:પર્યવજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમાદિ વિશિષ્ટ સામગ્રીથી ઉત્પન્ન થયેલ છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે મન:પર્યજ્ઞાનીને મન:પર્યવજ્ઞાનાવરણનો ક્ષયોપશમ વર્તે છે અને નિર્મળ ચારિત્રપરિણતિ વર્તે છે અને વિશિષ્ટ લબ્ધિઓ પ્રાપ્ત થયેલ છે. તે સર્વ સામગ્રીથી ઉત્પાદિત મન:પર્યવજ્ઞાન છે. આ મન:પર્યવજ્ઞાન ચક્ષુઆદિ કરણથી નિરપેક્ષ એવા આત્માને પ્રગટ થાય છે. આ ચાર જ્ઞાનોનું સ્વરૂપ બતાવ્યા પછી ટીકાકારશ્રી કહે છે – આ ચાર જ્ઞાનો છાઘસ્થિક જ્ઞાન છે અને છાબસ્થિક ઉપયોગને આત્મા સ્વપ્રદેશના આવરણના ક્ષયોપશમ દ્વારા પ્રાપ્ત કરે છે. પરંતુ અનંત શેયના જ્ઞાનસ્વભાવવાળા આત્માનું આ જ ખંડથી બોધરૂપ પારમાર્થિક રૂપ નથી; કેમ કે તેનું આત્માનું, સામાન્યવિશેષાત્મક વસ્તુના વિસ્તારને વ્યાપી એકસાથે પરિચ્છેદ સ્વભાવદ્રયરૂપ એક કેવલ અવબોધનું તાત્ત્વિક સ્વરૂપપણું છે. આશય એ છે કે, આત્માનું પારમાર્થિક સ્વરૂપ સર્વ જ્ઞેયને એકસાથે જાણવાનો સ્વભાવ છે અને સર્વ શેય સામાન્ય વિશેષાત્મક છે. તેથી નિરાવરણ એવા કેવળી સર્વ શેયને એકસાથે સામાન્ય વિશેષરૂપે જાણે છે. પરંતુ મતિ આદિ ચાર જ્ઞાનવાળા જીવો તેના જ્ઞાનના આવારક કર્મના ક્ષયોપશમ દ્વારા છાબસ્થિક ઉપયોગને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168