Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 159
________________ ૧૪૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૪૧-૪૨ છે અને મૃદ્રવ્યરૂપે ધ્રુવ છે તેમ જીવદ્રવ્ય પણ પ્રતિક્ષણ તે તે પર્યાયરૂપે નાશ પામે છે અને જીવદ્રવ્યરૂપે ધ્રુવ છે માટે દૃષ્ટાંતની અસિદ્ધિ નથી. આ કથનથી કેવળજ્ઞાનના વિષયમાં શું ફલિત થાય ? તે સ્પષ્ટ કરે છે – કેવળજ્ઞાન કથંચિત્ સાદિ છે; કેમ કે ઘાતકર્મના વિગમનથી ઉત્પન્ન થાય છે. કથંચિત્ અનાદિ છે; કેમ કે અનાદિ એવા જીવનો પર્યાય છે તેથી જીવથી અભિન્ન છે માટે જીવથી અભિન્નરૂપે કેવળજ્ઞાન અનાદિ છે. કથંચિત્ સપર્યવસાન છે; કેમ કે ભવસ્થ અવસ્થામાં જીવના સંઘયણાદિ ભાવોથી અભિન્ન એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ સમયમાં નાશ પામે છે. કથંચિત્ અપર્યવસાન છે; કેમ કે પ્રગટ થયા પછી કેવળભાવરૂપે સદા રહે છે. વળી, કેવળ કથંચિત્ સાદિ અનાદિ કેમ છે ? તેમાં યુક્તિ બતાવે છે – આત્માની જેમ કેવળનું સત્પણું છે અર્થાત્ જેમ આત્મા જગતમાં સત્ વસ્તુ છે તેમ કેવળ પણ જગતમાં સતું વસ્તુ છે. તેથી જેમ આત્મા તે તે ભાવરૂપે સાદિ છે અને આત્મારૂપે અનાદિ છે, આત્મા મનુષ્યાદિભાવોથી સંપર્યવસાન છે અને સિદ્ધાદિ ભાવોથી અપર્યવસાન છે તેમ સત્ એવા કેવળજ્ઞાનમાં પણ સર્વ ઘટે છે. M૨/૪૧ll અવતરણિકા : न द्रव्यं पर्यायेभ्यो भिन्नमेवेत्याह - અવતરણિકાર્ય : પર્યાયથી દ્રવ્ય ભિન્ન જ નથી એને કહે છે – ભાવાર્થ : ગાથા-૩૭-૩૮માં પૂર્વપક્ષીએ જીવદ્રવ્ય અને કેવળજ્ઞાન એકાંત ભિન્ન છે તેમ સ્થાપન કર્યું. તેનો નિષેધ ગ્રંથકારશ્રીએ ગાથા-૩૯-૪૦-૪૧માં કરીને દ્રવ્ય અને પર્યાયનો ભેદભેદ છે, એકાંત ભેદ નથી તેમ સ્થાપન કર્યું. હવે પર્યાયથી દ્રવ્ય ભિન્ન જ નથી તે સ્પષ્ટ કરે છે – ગાથા : जीवो अणाइनिहणो 'जीव'त्ति य णियमओ ण वत्तव्यो । जं पुरिसाउयजीवो देवाउयजीवियविसिट्ठो ।।२/४२।। છાયા : जीवोऽनादिनिधनो 'जीव' इति च नियमतो न वक्तव्यम् । यत् पुरुषायुष्कजीवो देवायुष्कजीवितविशिष्टः ।।२/४२।। Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168