Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 136
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩૦ ૧૧૭ પૂર્વપક્ષી કહે છે તેમ સ્વીકારી શકાય નહીં; કેમ કે આત્મરૂપપણાથી તે બેનો અભેદ સ્વીકારાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે, દર્શન અને જ્ઞાન બેય જુદા છે અને આત્માના બેય ભાવો છે. તે અપેક્ષાએ તે બેનો અભેદ છે પરંતુ જેમ પૂર્વપક્ષી કહે છે તેમ અવગ્રહ-દર્શન છે, ઈહાદિ-જ્ઞાન છે. તેમ કહ્યા પછી જ્ઞાનરૂપે જ દર્શન અને જ્ઞાનનો અભેદ સ્વીકારી શકાય નહીં; કેમ કે આત્મરૂપપણાથી તે બેનો અભેદ સ્વીકારાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે દર્શન અને જ્ઞાન બેય જુદા છે અને તે બેય આત્માના ભાવો છે. તે અપેક્ષાએ તે બેનો અભેદ છે પરંતુ પૂર્વપક્ષી જેમ કહે છે તેમ અવગ્રહ-દર્શન છે, ઈહાદિ-જ્ઞાન છે અને તેમ કહ્યા પછી જ્ઞાનરૂપે જ દર્શન અને જ્ઞાનનો અભેદ સ્વીકારી શકાય નહીં. આ રીતે કથંચિત્ ભેદ કઈ રીતે સ્વીકારી શકાય ? તે સ્પષ્ટ કર્યો. ત્યાં પૂર્વપક્ષી કહે છે કે એક જ મતિજ્ઞાન દર્શનમાં અને જ્ઞાનમાં પાત પામે છે માટે મતિજ્ઞાનરૂપે અભેદ છે અને દર્શનજ્ઞાનરૂપે ભેદ છે તેમ સ્વીકારી શકાશે. તેનું નિરાકરણ કરતાં ટીકાકારશ્રી કહે છે – તેમ સ્વીકારવામાં આવે તો અવગ્રહ દર્શનરૂપ છે તેમ કહ્યા પછી ઈહાથી ધારણા પર્યત મતિજ્ઞાન છે તેમ કહી શકાય. પરંતુ અવગ્રહથી માંડીને ધારણા પર્યત મતિજ્ઞાન છે તેમ કહી શકાય નહીં અને અવગ્રહથી માંડીને ધારણા પર્યત મતિજ્ઞાન સ્વીકારવા માટે પૂર્વપક્ષી કહે કે અવગ્રહ દર્શન નથી પરંતુ જ્ઞાન છે, તો પૂર્વમાં કહેલ કે અવગ્રહ માત્ર દર્શન છે, તે કથનનો વિરોધ આવે. આ રીતે યુક્તિથી પૂર્વપક્ષીના કથનનો વિરોધ બતાવ્યા પછી હવે આગમનો વિરોધ કઈ રીતે આવે છે તે સ્પષ્ટ કરે છે – જ્ઞાનથી અતિરિક્ત દર્શન સ્વીકારવામાં ન આવે તો આગમનો વિરોધ છે; કેમ કે આગમમાં આઠ જ્ઞાન અને ચાર દર્શન કહ્યા છે. તે પ્રમાણે મતિજ્ઞાનથી ભિન્ન ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન છે તેમ સ્વીકારવું જોઈએ. હવે આગમના વિરોધનો પરિહાર કરવા માટે પૂર્વપક્ષી કહે કે જ્ઞાનથી ભિન્ન દર્શન છે તો મતિજ્ઞાનના અઢાવીસ ભેદથી અતિરિક્ત ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનનો સ્વીકાર થાય છે માટે જ્ઞાન જ દર્શન છે એમ છધસ્થ અવસ્થામાં કહી શકાય નહીં અર્થાત્ છમસ્થ અવસ્થામાં મતિજ્ઞાન જ દર્શન છે તેમ કહી શકાય નહીં. વળી, કેવળીને કેવળજ્ઞાન-કેવળદર્શન યાત્મક એકઉપયોગરૂપ કેવળ અવબોધ છે તે બતાવતાં કહે છે – કેવળીને દર્શનના અને જ્ઞાનના આવરણનો ક્ષય થયેલો હોવાથી કેવળી સદા ઉપયોગવાળા છે તેથી કેવળીમાં પ્રથમ જ્ઞાનનો ઉપયોગ પછી દર્શનનો ઉપયોગ એમ ક્રમિક ઉપયોગ નથી પરંતુ સદા જ દર્શનનો ઉપયોગ છે. કેમ સદા દર્શનનો ઉપયોગ છે ? તેમાં હેતુ બતાવે છે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168