Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 150
________________ ૧૩૧ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૩૭-૩૮, ૩૯ લક્ષણ છે. અર્થાત્ પારિણામિકાદિ પાંચ ભાવો સ્વરૂપ જીવ છે. એ પ્રમાણે ગાથા-૩૭ અને ગાથા૩૮માં અત્યાર સુધી જે કહ્યું એ પ્રમાણે, કેટલાક વ્યાખ્યાન કરનારા સ્વીકારે છે. ૨/૩૮ ભાવાર્થ : સંઘયણનો આત્માની સાથે અભેદ બતાવીને સંઘયણથી વિશિષ્ટ આત્માનો નાશ મોક્ષગમન વખતે થાય છે માટે ભવસ્થ કેવળજ્ઞાન પણ આત્માથી અભિન્ન હોવાના કારણે મોક્ષ વખતે નાશ પામે છે અને કેવળજ્ઞાન ભવના અંતે નાશ થયા પછી મોક્ષના પ્રથમ સમયે ઉત્પન્ન થાય છે. તેમ ગાથા-૩૫-૩૬માં બતાવ્યું. ત્યાં કોઈક વ્યાખ્યાન કરનાર કહે છે કે જીવ અનાદિ અનંત છે અને કેવળજ્ઞાન સાદિ અનંત છે. એ પ્રકારે જીવ અને કેવળજ્ઞાન વચ્ચે સ્થળ વિશેષ છે. અર્થાત્ સ્થૂળ ભેદ છે અર્થાત્ પ્રગટ દેખાય તેવો ભેદ છે. માટે જેમ છાયા અને આતાપનો અત્યંત ભેદ છે તેમ જીવ અને કેવળજ્ઞાનનો અત્યંત ભેદ છે. વળી, કેવળજ્ઞાન-કેવળદર્શનનું લક્ષણ અને જીવનું લક્ષણ ભિન્ન હોવાથી પણ તે બેનો ભેદ છે. તે લક્ષણનો ભેદ સ્પષ્ટ કરે છે – જીવમાં વર્તતા જ્ઞાનદર્શન કેવળજ્ઞાનકાળમાં ક્ષાયિક હોય છે અને તેની પૂર્વે ક્ષાયોપથમિક હોય છે. વળી જીવના પારિણામિકાદિ પાંચ ભાવો છે. તેથી તે બેના લક્ષણનો ભેદ હોવાથી જીવ અને કેવળજ્ઞાન એકરૂપ છે તેમ કહી શકાય નહીં. માટે જીવની સાથે કેવળજ્ઞાનનો અભેદ કરીને સંઘયણાદિના નાશથી કેવળજ્ઞાનનો નાશ થાય છે તેમ ગાથા-૩૫માં સ્થાપન કરીને ગ્રંથકારશ્રીએ મુક્ત અવસ્થામાં કેવળજ્ઞાનનો ઉત્પાદ ગાથા૩૬માં જે કહેલ તે સંગત નથી એમ કેટલાક કહે છે. li[૩૭-૩૮ અવતરણિકા : एतनिषेधायाह - અવતરણિકાર્ચ - આના નિષેધ માટે કહે છે=ગાથા-૩૭-૩૮માં કેટલાક વ્યાખ્યાન કરનારે જે કહ્યું, તેના વિષેધ માટે કહે છે – ગાથા : अह पुण, पुवपयुत्तो अत्थो एगंतपक्खपडिसेहे । तह वि उयाहरणमिणं ति हेउपडिजोअणं वोच्छं ।।२/३९।। છાયા : अथ पुनः पूर्वप्रयुक्तोऽर्थ एकान्तपक्षप्रतिषेधः । तथाऽपि उदाहरणमिदमिति हेतुप्रतियोजनं वक्ष्ये ।।२/३९।। Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168