Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 155
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૪૦-૪૧ મનુષ્યસામાન્યવાળો જ પ્રતીત થાય છે. મનુષ્યસામાન્ય ન હોય અને એકલો રાજાપર્યાય હોય તેવી વસ્તુ જગતમાં નથી. તેથી પુરુષ અને રાજાપર્યાય તે બંનેનો કોઈ પૃથક્ વિષય નહીં હોવાથી તે બેનો એકાંતભેદ સ્વીકારવામાં તે બંનેના અભાવની પ્રાપ્તિ થાય. વળી, જો સામાન્ય એવા પુરુષનો રાજાપર્યાયથી એકાંત અભેદ સ્વીકા૨વામાં આવે તો રાજાપર્યાયની પ્રાપ્તિ પૂર્વે પુરુષસામાન્ય હતો ત્યારે પણ રાજાપર્યાયની પ્રાપ્તિ થવી જોઈએ અને રાજાપર્યાય વગરનો પુરુષસામાન્ય પૂર્વમાં હતો તેવી પ્રતીતિ છે. તેથી આજન્મ સુધી રાજાપર્યાયની પ્રતીતિ થતી નથી. માટે સામાન્યનો રાજાપર્યાય સાથે એકાંત અભેદ કહીએ તો તેવા રાજાપર્યાયની અપ્રાપ્તિ હોવાથી રાજાપર્યાયથી એકાંતે અભિન્ન એવા પુરુષના અભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય. ૧૩૬ સામાન્યનો પર્યાયની સાથે એકાંત ભેદ કે એકાંત અભેદ સ્વીકારવામાં સામાન્ય અને વિશેષ બંનેના અભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય તેમ પૂર્વમાં સ્થાપન કર્યું. તેને જ યુક્તિથી સ્પષ્ટ કરે છે - મનુષ્યસામાન્યના આશ્રય વગર રાજાપર્યાયના પ્રાદુર્ભાવનો સંભવ નથી માટે સામાન્યનો પર્યાયથી એકાંત ભેદ નથી. વળી રાજાપર્યાયથી રહિત અથવા અરાજાપર્યાયથી રહિત એવા પુરુષપર્યાયનો તે પુરુષમાં અસંભવ હોવાથી સામાન્યનો રાજાપર્યાયથી એકાંત અભેદ નથી. અહીં એકાંતવાદી કહે કે સામાન્યનો વિશેષથી કથંચિદ્ ભેદ, કથંચિદ્ અભેદ સ્વીકારવામાં આવે તો સંશય ઉત્પન્ન થાય કે સામાન્ય અને વિશેષ ભિન્ન હોય તો અભિન્ન ન હોઈ શકે અને અભિન્ન હોય તો ભિન્ન ન હોઈ શકે. વળી, બેનો અભેદ છે એમ કહ્યા પછી તે બેનો ભેદ છે, એ કથન પરસ્પર વિરોધી છે માટે વિરોધ દોષ પ્રાપ્ત થાય. વળી, બે વસ્તુમાં પરસ્પર ભેદ અને અભેદ રહી શકે નહીં. તેથી ભેદ અને અભેદના વ્યધિકરણના દોષની પ્રાપ્તિ થાય. અહીં સામાન્યનો અને વિશેષનો ભેદ અને અભેદ બંને સ્વીકા૨વામાં આવે તો માનવું પડે કે સામાન્ય સાથે જે વિશેષનો ભેદ છે તે ભેદ પણ કથંચિદ્ ભેદરૂપ છે અને કથંચિદ્ અભેદરૂપ છે, જે અભેદ છે તે પણ કથંચિદ્ ભેદરૂપ છે અને કથંચિદ્ અભેદરૂપ છે. આ રીતે અન્ય અન્ય વિકલ્પ દ્વારા અનવસ્થા દોષની પ્રાપ્તિ છે. વળી, એકાંત ભેદપક્ષમાં કે એકાંત અભેદપક્ષમાં જે દોષોની પ્રાપ્તિ થાય છે તે બંને પક્ષના દોષો ભેદાભેદ પક્ષમાં પ્રાપ્ત થશે. એમ કોઈ કહે તો તેનું નિરાકરણ કરતા ટીકાકારશ્રી કહે છે – સંશય વિરોધ વ્યધિકરણ્ય અનવસ્થા દોષ અને એકાંતભેદપક્ષ-એકાંતઅભેદપક્ષરૂપ ઉભય પક્ષના દોષોની અનેકાંતવાદમાં પ્રાપ્તિ નથી. એ પ્રમાણે પૂર્વમાં જ ગ્રંથકારશ્રીએ નિરાકરણ કરેલ છે. II૨/૪૦ll અવતરણિકા : दृष्टान्तं प्रसाध्य दान्तिकयोजनायाह અવતરણિકાર્ય : દૃષ્ટાંતનું પ્રસાધન કરીને દાષ્કૃતિક યોજનાને કહે છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168