Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 144
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૩૪-૩૫ ૧૨૫ તેનો અર્થ કરે છે કે જેમ આત્મા અનાદિ અનંત છે તેમ કેવળજ્ઞાન પ્રગટ થયા પછી આત્માની જેમ સદા સ્થિર છે. વસ્તુતઃ આત્મા દ્રવ્ય છે અને કેવળજ્ઞાન એ આત્માનો પર્યાય છે અને પર્યાય પ્રતિક્ષણ અન્ય અન્ય રૂપે થાય છે. તેથી પ્રતિક્ષણ પર્યવસિત સ્વભાવવાળું વિદ્યમાન પણ કેવલજ્ઞાન છે છતાં કેવલજ્ઞાનને ‘સાદિ અપર્યવસિત’ કહેનારા સૂત્રમાં એકાંત બુદ્ધિને કારણે તેઓ કેવળજ્ઞાનને પર્યાયરૂપે જોઈ શકતા નથી. તેથી દ્રવ્યની જેમ ઉત્પન્ન થયા પછી કેવળજ્ઞાન સદા સ્થિર રહેનાર છે. એમ જેઓ કહે છે તેઓ સમ્યગ્વાદી નથી. ||૨/૩૪|| અવતરણિકા : યત: --- અવતરણિકાર્ય : જે કારણથી=પૂર્વના ગાથામાં કહ્યું કે કેટલાક વિશેષને ઇચ્છતા નથી તે સમ્યગ્ગાદી નથી. કેમ સમ્યવાદી નથી તેથી કહે છે. ‘જે કારણથી ગાથામાં કહેવાય છે તેમ છે. તે કારણથી તેઓ સમ્યવાદી નથી' એમ અન્વય છે ગાથા : છાયા ઃ - जे संघयणाईया भवत्थकेवलिविसेसपज्जाया । सिज्झमाणसमये ण होंति विगयं तओ होइ ।।२ / ३५ ।। Jain Educationa International ये संहननादयो भवस्थकेवलिविशेषपर्यायाः । सिद्ध्यत्समये न भवन्ति विगतं ततो भवति । २ / ३५ ।। અન્વયાર્ચઃ નં સંચવાવા=જે સંઘયણાદિક, મવત્થવૃત્તિવિશેસવન્નાયા=ભવસ્થ કેવળીના વિશેષ પર્યાયો છે, તે=તે પર્યાયો, સિદ્ધમાĪસમયે=સિદ્ધ પામતા સમયમાં, TMતિ=હોતા નથી, તો=તેથી, વિનયં=(કેવળજ્ઞાન) નાશ પામેલું, દો=થાય છે. ।।૨/૩૫।। ગાથાર્થ ઃ જે સંઘયણાદિક ભવસ્થ કેવળીના વિશેષ પર્યાયો છે. તે પર્યાયો સિદ્ધ પામતા સમયમાં હોતા નથી. તેથી કેવળજ્ઞાન નાશ પામેલું થાય છે. II૨/૩૫।। માર For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168