________________
૧૨૪
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩૪ એવા તેનું=ઘાતી કર્મના ક્ષયથી ઉત્પન્ન એવા કેવળજ્ઞાનનું, પાછળથી આવરણ નથી એથી અનંત છે. એથી ફરી ઉત્પન્ન થતું નથી; કેમ કે ઉત્પાદનું વિનાશપૂર્વકપણું છે. જે કારણથી ઘટતા અવિનાશમાં કપાલનો ઉત્પાદ જોવાયો નથી. એથી અનુત્પાદવ્યયાત્મક=અનુત્પાદ-અવ્યયાત્મક, કેવળ છે કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી ફરી ક્યારેય કેવલજ્ઞાનનો ઉત્પાદ નથી અને વ્યય નથી એવું કેવલ છે, એ પ્રમાણે સ્વીકારનાર પક્ષનું નિરાકરણ કરવા માટે કહે છે – ગાથા :
केवलणाणं साई अपज्जवसियं ति दाइयं सुत्ते । तेत्तियमित्तोत्तणा केइ विसेसं ण इच्छंति ।।२/३४।।
છાયા :
केवलज्ञानं साद्यपर्यवसितमिति दर्शितं सूत्रे ।
तावन्मात्रेदृप्ताः केचन विशेषं नेच्छन्ति ।।२/३४।। અન્વયાર્થ:
વેવનVTi=કેવળજ્ઞાન, સારૂં કપmસિવં તિ સુ વાદ્ય સાદિ અપર્યવસિત’ એ પ્રમાણે સૂત્રમાં બતાવાયું છે, તેત્તિમત્તોતૂUT વેરૂ એટલા માત્રથી ગર્વિત કેટલાક, વિસે જ રૂતિ વિશેષને ઇચ્છતા નથી. ૨/૩૪ ગાથાર્થ :
કેવળજ્ઞાન “સાદિ અપર્યવસિત' એ પ્રમાણે સૂત્રમાં બતાવાયું છે. એટલા માત્રથી ગર્વિત કેટલાક વિશેષને ઈચ્છતા નથી. ર/૩૪ ટીકા :
केवलज्ञानं साद्यपर्यवसितमिति दर्शितं सूत्रे इत्येतावन्मात्रेण गर्विताः केचन विशेष पर्यायं पर्यवसितत्वस्वभावं विद्यमानमपि नेच्छंति ते न च सम्यग्वादिनः ।।२/३४।। ટીકાર્ય :
વજ્ઞાનં ... સવાહિનઃ | કેવળજ્ઞાન “સાદિ અપર્યવસિત’ એ પ્રમાણે સૂત્રમાં દર્શિત છે. એટલામાત્રથી ગાવિંત કેટલાક વિશેષને=પર્યવસિત સ્વભાવવાળા વિદ્યમાન પણ પર્યાયને, ઇચ્છતા નથી અને તેઓ સમ્યગ્વાદી નથી. ૨/૩૪
ભાવાર્થ :શાસ્ત્રમાં કેવળજ્ઞાન “સાદિ અપર્યવસિત' કહ્યું છે તે શાસ્ત્રવચનમાં એકાંતરુચિવાળા કેટલાક દર્શનકાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org