Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 120
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૬ ૧૦૧ નિર્ણય કરવા યત્ન કરે છે ત્યારે સ્વગત મનોવર્ગણાને જોનારા છે તે વખતે પરગત મનોવર્માને જોનારા નથી તેથી સ્વગતપરગત મનોવર્ગણારૂપ પરિપૂર્ણ વસ્તુના ગ્રાહકત્વનો અસંભવ હોવાથી, મન:પર્યવજ્ઞાનમાં દર્શનના ઉપયોગનો સંભવ નથી પરકીય મનોદ્રવ્યને આશ્રયીને અસ્પષ્ટ અર્થવિષયતાને ગ્રહણ કરીને તેને દર્શનનો ઉપયોગ છે તેમ કહી શકાય નહીં. ૨/૨૬. ભાવાર્થ : ગાથા-રપમાં કહ્યું કે અસ્પષ્ટ અર્થમાં ચક્ષુથી થનારો બોધ ચક્ષુદર્શન છે અને ઇન્દ્રિયોના અવિષયમાં મનથી થનારો બોધ અચક્ષુદર્શન છે. આ પ્રકારે દર્શનનું લક્ષણ કરવામાં આવે તો મન:પર્યવજ્ઞાન પણ દર્શન છે તેમ સ્વીકારવાની આપત્તિ આવે અર્થાત્ મતિજ્ઞાનને તો દર્શન છે પરંતુ મન:પર્યવજ્ઞાન પણ દર્શન છે તેમ સ્વીકારવાની આપત્તિ આવે; કેમ કે મન:પર્યવજ્ઞાની પરકીય મનથી ચિંતવન કરાયેલા પદાર્થોનો બોધ કરે છે ત્યારે પર દ્વારા ચિંતવન કરાયેલા ચિતવનના વિષયભૂત ઘટાદિ અર્થો મન:પર્યવજ્ઞાનીના જ્ઞાનના વિષયરૂપ હોવા છતાં મન:પર્યવજ્ઞાનીના ચક્ષુ સામે વિદ્યમાન નથી અને તે ઘટાદિ અર્થો ઇન્દ્રિયના વિષય પણ નથી. કેમ કે મન:પર્યવજ્ઞાનીને તે ઘટાદિ અર્થો કોઈ ઇન્દ્રિયથી ગ્રહણ થતા નથી તેથી અસ્પષ્ટ અને અવિષય એવા ઘટાદિ અર્થનું જ્ઞાન મન:પર્યવજ્ઞાની કરે છે માટે મન:પર્યવજ્ઞાન પણ દર્શન છે તેમ સ્વીકારવાની આપત્તિ આવે, માટે ગાથા-૨પમાં દર્શનનું જે લક્ષણ કર્યું તે ઉચિત નથી એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. વળી પૂર્વપક્ષી કહે છે કે આ યુક્ત નથી અર્થાત્ મન:પર્યવજ્ઞાનને દર્શન છે એમ સ્વીકારવું યુક્ત નથી; કેમ કે આગમમાં મન:પર્યવજ્ઞાનને દર્શન સ્વીકારેલ નથી. માટે ગાથા-૨૫માં જે દર્શનનું લક્ષણ ગ્રંથકારશ્રીએ કરેલ છે તે ઉચિત નથી એ પ્રકારનો પૂર્વપક્ષીનો અભિપ્રાય છે. ગાથાના ઉત્તરાર્ધથી આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાનો ઉત્તર ગ્રંથકારશ્રી બતાવે છે – મન:પર્યવજ્ઞાન મનોવર્ગણા નામના મનવિશેષરૂપ નોઇન્દ્રિય વિષયમાં પ્રવર્તમાન છે. તે નોઇન્દ્રિયના વિષયમાં પ્રવર્તમાન એવું મન:પર્યવ બોધરૂપ જ્ઞાન જ છે દર્શન નથી અર્થાત્ પ્રથમ દર્શન પછી જ્ઞાન એ પ્રમાણે જેમ મતિજ્ઞાનમાં થાય છે તેમ મનઃપર્યવજ્ઞાન જ્ઞાનરૂપ પણ છે અને દર્શનારૂપ પણ છે, તેમ નથી પરંતુ માત્ર જ્ઞાનરૂપ જ છે. મન:પર્યવજ્ઞાન કેમ દર્શન નથી ? તેમાં યુક્તિ બતાવે છે – જે કારણથી અસ્પષ્ટ એવા ઘટાદિ મન:પર્યવજ્ઞાનનો વિષય નથી; કેમ કે મન:પર્યવજ્ઞાનનો વિષય ચિંતવન કરનારના ઘટાદિ વિષયક મનોદ્રવ્ય છે. વળી, ચિંતવન કરનારના મનના વિષયભૂત અસ્કૃષ્ટ અને અવિષય એવા ઘટાદિનું મન:પર્યવજ્ઞાની લિંગથી અનુમાન કરે છે. તેથી પૂર્વપક્ષીએ કહેલ કે અસ્પષ્ટ અને અવિષય એવા ઘટાદિ વિષયનું મન:પર્યવજ્ઞાન થાય છે માટે તે દર્શન છે તેમ સ્વીકારવું જોઈએ, તે વચન સંગત નથી. આ રીતે ગાથાનો અર્થ કર્યા પછી ‘નથી ટીકાકારશ્રી શંકા કરતાં કહે છે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168