Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 124
________________ ૧૦૫ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૭-૨૮ અહીં પ્રશ્ન થાય કે જો દર્શન ન હોય તો ગ્રંથકારશ્રીએ ગાથા-૨પમાં કહ્યું કે અસ્પૃષ્ટ અને અવિષય અર્થમાં થતું જ્ઞાન દર્શન છે, તે કેવી રીતે ઘટે ? તેથી ટીકાકારશ્રી સ્પષ્ટ કરતાં કહે છે – અસ્પષ્ટ અને અવિષય અર્થમાં જે જ્ઞાન છે તેને જ દર્શન કહેવાય. જ્ઞાનથી અન્ય કોઈ દર્શન નથી. Il૨/૨થી. અવતરણિકા : ननु श्रुतमस्पृष्टे विषये, किमिति दर्शनं न भवेत् ? इत्याह - અવતરણિકાર્ય : નથી શંકા કરે છે કે અસ્પૃષ્ટ વિષયમાં શ્રુતજ્ઞાન થાય છે. કયા કારણથી દર્શન નથી? શ્રતને દર્શન નથી ? તેથી કહે છે – ભાવાર્થ : ગાથા-૨૭માં કહેલ કે અર્થના ઉપલભ્યને આશ્રયીને મતિધૃત એકતરમાં પણ દર્શન નથી માટે અર્થના ઉપલભ્યને આશ્રયીને વિચારીએ તો જ્ઞાન જ છે. આમ છતાં ગાથા-૨પમાં કહ્યા પ્રમાણે અસ્પષ્ટ અને અવિષય અર્થમાં જે જ્ઞાન છે તેને દર્શન કહેવાય છે તેમ ફલિત થયું. ત્યાં પ્રશ્ન થાય કે જેમ ચક્ષુથી અસ્પષ્ટ વિષયનું ગ્રહણ થાય છે. તેમ શ્રત પણ અસ્પૃષ્ટ વિષયમાં થાય છે. જેમ નહીં દેખાતા એવા ધર્માસ્તિકાય આદિ પદાર્થોનો બોધ શાસ્ત્રવચનથી થાય છે તે બોધના વિષયભૂત ધર્માસ્તિકાય આદિ અર્થો ઇન્દ્રિયોને અસ્પષ્ટ છે, તેથી અસ્પષ્ટ વિષયમાં શ્રુતજ્ઞાન છે. માટે શ્રુતજ્ઞાનને પણ દર્શન કહેવું જોઈએ. એ પ્રકારની શંકાના નિવારણ માટે કહે છે -- ગાથા : जं पच्चक्खग्गहणं ण इन्ति सुयणाणसम्मिया अत्था । तम्हा दंसणसद्दो ण होइ सयले वि सुयणाणे ।।२/२८ ।। છાયા : यस्मात् प्रत्यक्षग्रहणं न यान्ति श्रुतज्ञानसम्मिता अर्थाः । तस्माद्दर्शनशब्दो न भवति सकलेऽपि श्रुतज्ञाने ।।२/२८ ।। અન્વયાર્થ :નં=જે કારણથી, સુવામિયા ત્યા=શ્રુતજ્ઞાનથી સમિત અર્થો=સ્પષ્ટ નિર્મીત અર્થો, અવ્યવસ્થા ત્તિપ્રત્યક્ષગ્રહણ પામતા નથી, તફા-તે કારણથી, સયત્વે વિ સુયUT =સકલ પણ શ્રુતજ્ઞાનમાં, વંસદો ન હો='દર્શન' શબ્દનો પ્રયોગ થતો નથી. પર/૨૮. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168